Utkarsh7 Flashcards
Spiritual
*Title
- _કયું સાધન શ્રેષ્ઠ તપ કે ભક્તિ ?_
» તપ ઈન્દ્રિયોનું આવરણ દૂર કરે છે અને ભક્તિ એ જીવનું આવરણ દૂર કરે છે
Ok
» અહમશૂન્ય થયા વિના સત્સંગ થતો નથી, અંદર ઉતરતો નથી
Ok
comfortzone* માંથી બહાર આવે તો વૈરાગ્ય સતેજ થાય છે
Ok
» અતિરસ છે એ પ્રમાદને વધારે છે
Ok
» શાસ્ત્રમાં કરકસરતા એ સાધુતાનું લક્ષણ બતાવ્યું નથી પણ કરકસરતા સાધુતાને વધારે છે, સપોર્ટ કરે છે
Ok
» ભગવાને જીવને ઇન્દ્રિયો-અંતઃકરણ કલ્યાણ માટે આપ્યા છે, પણ ઘોરકર્મો કરવાથી એના પર મેલ જામી ગયો છે
Ok
» વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ વગેરે સાધનોમાં ક્યુ સાધન શ્રેષ્ઠ છે ? જે સાધન નિષ્કામભાવથી ભગવાનને રાજી કરવામાં વપરાય આવે એ શ્રેષ્ઠ છે
Ok
» કેવળ તપ અને ભક્તિએ કરીને વૈરાગ્ય થતો નથી પણ સાંખ્યવિચારે કરીને વૈરાગ્ય થાય છે
Ok
» જગતમાં pure સુખ, દુઃખ વિનાનું હોતું નથી પણ pure દુઃખ હોય છે
Ok
» તપ છે એ physical action છે અને વિચાર છે એ mental action છે વિચારથી વૈરાગ્ય આવે છે
Ok
» સત્સંગ જેને ગળે ઉતરે અને મનાય તો સત્સંગ શ્રેષ્ઠ સાધન છે
Ok
» ભગવાન છે એ આપણી શક્તિ પ્રમાણે અપેક્ષા રાખે છે
Ok
» પ્રતિકૂળતા વૈરાગ્યને તેજ કરે છે, જો વિવેકી હોય તો નહીં તો હાય હોય થાય
Ok
» અનુકૂળતા મુમુક્ષુના વૈરાગ્યને પણ ઢીલો પાડી દે છે
Ok
» પંચવિષય ભક્તિને ઉગરવા દેતા નથી એટલે તપ પંચવિષયને ઓછા કરી અને ભક્તિનું પ્રોટેક્શન કરે છે
Ok
» બધા સાધનો કરવામાં આપણી કેપેસિટી ન હોઈ શકે પણ ભગવાનના ધામમાં જવાનો બધાને અધિકાર છે
Ok
» શાસ્ત્રોમાં ઝાઝા સાધનો શા માટે કીધા છે કારણ કે બધાની રુચિ ભિન્ન ભિન્ન હોય એટલા માટે
Ok
» જેને ઇશક હોય એને વિઘ્નો આવતા નથી અને વિઘ્નો આવે છે એનેે ઇશક નબળો છે
Ok
» ઘરના માથામાં મારે તો વૈરાગ્ય થાય, બહારના માથામાં મારે તો એને બતાવી દેવાનું જોર આવે
Ok
*Title
- _ભગવાનની અનુભૂતિ કેમ થાય ?_
» ભગવાનના માર્ગમાં પહેલા માનવાનું હોય છે અને પછી જાણવાનું હોય છે
Ok
“આ ભગવાને કર્યું” એમ માને ત્યારે ભગવાનનો ગ્રેટીટ્યુડ મનાય ત્યાર પછી ભગવાન પ્રત્યેની ભક્તિ ઉજાગર થાય છે
To accept that this was done by God, generates Gratitude. There after it give rise to Bhakti towards him… love and seva. So, I have to remind myself that the activities are done by God and not by me. Helps to fight EGO.
» ભગવાનની ભક્તિસંબંધી એટલે કે પૂજા, કથા, સેવાઆદિક કોઈપણ એકાનુભૂતિ થાય તો ભગવાનનું સુખ આવે
Ok
» ભગવાનની એકાનુભૂતિ થાય તો શલ્ય બહાર નીકળી જાય
Ok
» મહારાજ આપણો સંકલ્પ પૂરો કરે ત્યારે ભલે બીજાની મદદથી પૂરો થયો હોય તો પણ મહારાજની મૂર્તિને ચિંતામણી ફીલ કરવી જોઈએ
Ok
» શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા કે “મહારાજે મારા બધા સંકલ્પ સવાયા પૂરા કર્યા છે, મારી હૂંડીને દરરોજ સ્વીકારે છે”
Ok
» ભગવાન સંબંધી એકાઅનુભૂતિ થાય તો સર્વાનુભૂતિ થાય
Ok
» આપણને અહંકાર અને મોહ છે એટલે ભગવાનની મૂર્તિને ચિંતામણી માની શકાતી નથી
Ok
» સુખની પાછળ તો દોડવું જોઈએ પણ ખોટા સુખની પાછળ ના દોડવું જોઈએ
Ok
» ખોટા સુખની પાછળ દોડે અથવા સાચા સુખની પાછળ* ન દોડે એ મૂર્ખાય* છે
Ok
» સાચું સુખ એક ભગવાન પાસે જ છે અને એ સત્સંગથી જ આવે છે
Ok
» જગતનું સુખ તત્કાળ મળે છે એટલે બધા ભગવાનના સુખનો મહિમા જાણવા છતાં જગતના સુખની પાછળ જ દોડે છે અને ભગવાનનું સુખ લાંબા સમયે આવે છે
Ok
» મુમુક્ષુની દશા ગાયના વાછડાની જેવી હોય છે, દૂધ પીતી વખતે જેમ આંખો બંધ હોય એમ આંખો બંધ રાખી અને બીજું બધું ચાલુ રાખે છે
Ok
» ભગવાનનું સુખ ઘણો પ્રયત્ન કરે ત્યારે લાંબે સમય આવે છે
Ok
» માયિક સુખ તત્કાળ આવે છે એટલે માણસને એમાં વિશ્વાસ આવે છે પણ એ પરમેનેન્ટ નથી
Ok
» ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું, ગઢડા મધ્ય પ્રકરણનું 13મું અને ગઢડા અંત્ય પ્રકરણનું 39મુ, આ ત્રણ વચનામૃત ખૂબ પ્રચલિત છે, સારરૂપ છે અને મૂર્તિને આધારે છે
Ok
» મોટા મોટા જેને માને એને મોટાઈ કહેવાય, ભગવાનને આ લોકના તો નથી માનતા પણ બ્રહ્માથી મોટા મોટા માને છે
Ok
» સત્તા, સુખ, મોટાઈ અને કળા આ ચાર દ્વારા ભગવાનનો મહિમા જાણી શકાય છે
Ok
*Title
- _વિષયરસ ટાળવાની દવા_
» રાગ છે એ બુદ્ધિથી પર છે, એટલા માટે પોતાની બુદ્ધિથી નહીં પણ ભગવાન અને ભગવાનના સંતની બુદ્ધિથી જીતી શકાય છે
Ok
» આત્મનિષ્ઠા અને મહાત્મ્યજ્ઞાનથી પંચવિષય જીતાય છે, મન જીતાય છે
Ok
» રાગથી સંકલ્પ પ્રેરાય છે, અને દોષબુદ્ધિથી સંકલ્પનો નિરોધ થાય છે
Ok
» પંચવિષય જીતવાની એક જ દવા છે, વિષય સાથે વેરબુદ્ધિ અને દોષબુદ્ધિ
Ok
» જગત એટલે પંચવિષય, પંચવિષયને જીતે એટલે જગત જીતી લીધું
Ok
» જીવમાં રાગ છે એ કેમ ખબર પડે ? વિષયનું સાનિધ્ય સારું લાગે, વિષયની વાતો સારી લાગે તો જીવમાં રાગ પડયો છે
Ok
» દેહ ગુજરાન માટે વિષય ભોગવે તો બંધન ન કરે પણ વિષયમાં માલ માની જાય તો બંધન કરે
Ok
» પદાર્થનો અભાવ નથી કરવાનો પણ વિષયનો અભાવ કરવાનો છે
Ok
» ઘરવાળા સાંભરે છે એટલા માટે અક્ષરધામમાં જવાતું નથી અને ગયા હોય તો પાછું અવાય છે
Ok
» ભગવાનનું સુખ અને પંચવિષયનું સુખ either or છે, એક સાથે બંનેનું નથી આવતું
Ok
» પંચવિષયનો દ્વાર ઇન્દ્રિયો છે
Ok
» વિષયમાં દોષબુદ્ધિ થાય એટલે વિષય ભોગવવાની લિમિટ બંધાઈ જાય છે
Ok
» જીવ નવરો થાય એટલે વિષય ઓગદાળ્યા વિના રહેવાતું નથી, એટલે નવરુ ન રહેવું
Ok
» એક પણ ઇન્દ્રિયોનો વિષય રસ ચાલુ હોય ત્યાં સુધી મન જીતી શકાતું નથી
Ok
» ઇન્દ્રિયો આકાશ જેવી છે ક્યારેય ભરાતી જ નથી, ધરાતી જ નથી
Ok
» વિષયનુ મનન કરે એટલે વિષયનો રાગ જીવમાં ઉતરે છે, વિષયનો રસ જીવમાં ઉતરે છે
Ok
» ઇન્દ્રિયો વિષયને ભોગવે છે એટલે કે વિષયનો રસ ખેંચે છે, ભોગવે છે
Ok
» વિષયોની ઉત્પત્તિ બહાર છે, પછી વિષયો ઇન્દ્રિયોમાં આવે છે, પછી મનમાં આવે છે અને પછી જીવમાં આવે છે આખી link તૂટે ત્યારે વિષય જીતાય
Ok
» વિષય ત્યાગનો સંકલ્પ કરે એટલે 50% વિષય જીતાઈ જાય છે જેને યતમાન વૈરાગ્ય કહેવાય
Ok
» ઇન્દ્રિયોમાંથી વિષયો નીકળી જાય તો વ્યતિરેક વૈરાગ્ય કહેવાય અને મનમાંથી નીકળી જાય તો એકેન્દ્રીય વૈરાગ્ય કહેવાય અને જીવમાંથી નીકળી જાય તો વશીકાર વૈરાગ્ય કહેવાય
Ok
*Title
- _બિનશરતી હેત કોને કહેવાય ?_
» કુસંગ, આસુરીભાવ અને દ્રોહ એ ત્રણ કરે તો ભગવાન અને મોટાપુરુષ સબંધી શુભ સંસ્કારો નાશ પામે છે
Ok
» પોતાને કાંય કામના હોય તો ભગવાનને પ્રાર્થના કરવી પણ ભગવાન પૂરી ન કરે તો તૂટી જાય તેવું ભગવાનમાં શરતી હેત ન કરવું
Ok
» શરતી હેત ન કરવું કેવળ જીવના કલ્યાણ માટે ભગવાનમાં હેત કરવું
Ok
» અજ્ઞાનદશામાં જે થાય તેને સંસ્કાર કહેવાય અને જાગ્રતદશામાં થાય તેને સાધના કહેવાય
Ok
» ભગવાનના મોટાસંત રાજી થયા હોય તો સત્સંગ માંથી ડગે નહીં
Ok
» પૂર્વના શુભ સંસ્કારો હોય તો ભગવાનનો અને ભગવાનના સંતોનો યોગ કરાવી દે છે પણ એનું nourishment પોતે કરવું પડે છે
Ok
» લોહીના હેત કરતા વિજાતીય હેત વધુ શક્તિશાળી છે અને વિજાતીય હેત કરતા પણ ગુણનું હેત વધુ શક્તિશાળી છે
Ok
» ભગવાનમાં હેત ની શરૂઆત ક્યારેક સ્વાર્થે કરીને, ફાયદે કરીને થતી હોય છે, પણ પછી ભગવાનમાં બિનશરતી હેત કરવું
Ok
» સંબંધીનું હેત થોરના ઝાડ જેવું હોય છે, 30-40 વર્ષ પછી પણ પડીકાબંધ હોય છે
Ok
*Title
- _ભગવાનનો આપણા ઉપર અતિશય રાજીપો કેમ થાય ?_
» ભગવાનની અપેક્ષા એવી નથી કે ભગવાનના કે ભગવાનના ભક્તના ખોટા વખાણ કરવા પણ વાસ્તવિકતા હોય એ તો કહેવી જોઈએ
Ok
» સત્ય હોય એ હંમેશા કડવું જ હોય એ આપણી માન્યતા છે, શાસ્ત્રની નહીં એને પણ મીઠું કરી શકાય છે
Ok
» આપણે ભગવાનના ભક્તનુ સન્માન કરીએ છીએ એ તે ultimately ભગવાનનું જ સન્માન છે
Ok
» એકાગ્ર દ્રષ્ટિએ કરીને મહારાજના દર્શન કરવા એ મનનું મોટામાં મોટું તપ છે
Ok
» આંખ અને કાન એ બંને સૌથી વધારે એકાગ્રતા વિખેરનારા છે
Ok
» પ્રશ્ન-ઉત્તરમાં ભગવાનના ભક્તને નીચું દેખાય તો કદાચ ભક્ત તો માફ કરી દે પણ ભગવાન માફ નથી કરતા
Ok
» દેહે કરીને ભગવાનના ભક્તની સેવા કરવી અને જાણી જોઈને કષ્ટ સહન કરવું એ દેહનું તપ છે
Ok
» ભગવાનના ભક્તોને ગ્લાનિ થાય, રંચ થાય, હેઠું જોવું પડે એવો પ્રશ્ન ન પૂછવો
Ok
» એકાગ્ર મનથી કથા, દર્શન, પૂજા, સેવા કરવી તો ભગવાનનો આપણા પર અતિશય રાજીપો થાય છે
Ok
» આખો દિવસ જેનો આલોચ હોય એ જ્યારે આપણે પૂજા કરવા કે ભજન કરવા બેસીએ ત્યારે યાદ આવે છે માટે ક્રિયા કરતા-કરતા પણ જો ભગવાનની મૂર્તિ સંભાળવાનો આલોચ હોય તો પૂજામાં બીજું ન સાંભરે
Ok
» એકાગ્ર મને કરીને એટલે બીજું કાંઈ ન સાંભળતા-સાંભળતા
Ok
» ડિમાન્ડ હોય તો રસ પડે છે. ડિમાન્ડ ન હોય તો ડિમાન્ડ ઊભી કરવી, જેમકે આજના દર્શન કાલે યાદ કરવા છે તો સહેજે દર્શન માં એકાગ્રતા વધી જાય છે
Ok
» દેહમાં ઉન્નમતાય ન આવવા દેવી અને પોતાની મેળે પોતાના દેહની સંભાવના ન રાખવી તો ભગવાનનો અતિશય રાજીપો થાય છે
Ok
» મન, કર્મ અને વચનની એકરૂપતા એને આલોચ કહેવાય છે
Ok
» ભગવાનના ભક્તને સન્માન નથી અપાતું એમાં આપણો અહંકાર અથવા બીજુ કોઈ કારણ હોઈ શકે
Ok
» આપણે dilling ભગવાનના ભક્ત સાથે કરવાની છે અને રાજી મહારાજને કરવાના છે
Ok
» જે સરખા દર્શન નથી કરતો એ સરખો ભક્ત નથી એવું certificate મહારાજે આ વચનામૃત માં આપ્યું છે
Ok
» ભગવાનને આપણા ઉપર અતિશય હેત થાય એનો અર્થ એ છે કે આપણા પર અતિશય રાજીપો થાય
Ok
» સૌમ્યતા એ મનનું તપ છે એટલે કે ભગવાનના સારા ભક્તોની સાથે matching થવું જોઈએ
Ok
» ભગવાનના સન્માન કરતા ભક્તોના સન્માનથી ભગવાન વધારે રાજી થાય છે
Ok
» બહુ બોલવાથી આયુષ્ય ઓછુ થાય છે
Ok
*Title
- _ભગવાનમાં રસ develop કેમ થાય ?_
» રસ હોય તો થાક ન લાગે અને લાંબો સમય સુધી સેવા કે ભક્તિ ચાલે
Ok
» માનસીપૂજા અને પ્રત્યક્ષપૂજામાં માનસીપૂજા શ્રેષ્ઠ છે કારણ કે એમાં ડ્રામા નથી ચાલતો
Ok
» મહિમા અને શ્રદ્ધા એ રસનું પરિણામ છે અને જોલા અને કંટાળો એ નિરસતાનું પરિણામ છે
Ok
» સમય અને શક્તિમાં લિમિટેશન હોય શકે પણ મનમાં સંતોષ ન થવો જોઈએ
Ok
» ગદગદ કંઠ અને રોમાંચિત ગાત્ર એટલે અતિરસપૂર્વક
Ok
» શરૂઆતમાં આયોજનપૂર્વક કે આર્ટિફિશિયલ રસ લેવા માંડે તો ધીરે ધીરે એ નેચરલ થઈ જાય છે
Ok
» આપણને જેમાંથી રસ આવતો હોય એના દ્વારા ભગવાનમાં જોડાઈ શકાય
Ok
» મનનો એવો સ્વભાવ છે કે એને રસ પડે ત્યાં ગમે તે રીતે connection કરી લે અને રસ ન પડે ત્યાં ગમે તે રીતે disconnection કરી લે
Ok
» સંસારમાં સંતોષ રાખવો એ ગુણ છે પણ ભગવાનના માર્ગ માટે ખામી છે
Ok
» મહારાજને કોમન વસ્તુ બહુ નથી ગમતી અતિશય હોય એ ગમે છે
Ok
» સ્વાભાવિક ભગવાનમાં રસ હોવો એ પૂર્વજન્મનું પરિણામ છે જ્યારે મહિમાથી રસ ઊભો કરવો એ આ જન્મનું પરિણામ છે
Ok
» રસ અથવા મહિમા હોય તો રોમાંચિત ગાત્ર થાય છે
Ok
» વ્યવહારે કરીને અવરાઈ ગયો હોય એટલે કે બહુ મોટી આર્થિક આવક હોય
Ok
» અતિઆસક્તિ હોય તો મુળજી ભગતની જેમ શરીરની chemistry પણ બદલાઈ જાય છે
Ok
» પૂજા કે કથામાં જોલા આવે છે એ એમાંથી નથી નીકળતા, એ આપણી નીરસતા માંથી નીકળે છે
Ok
» રસ બે પ્રકારના હોય છે natural અને acquire, વિષયરસ છે એ natural છે અને ભક્તિરસને acqiure કરવો પડે છે
Ok
» જ્યારે અપમાન થાય ત્યારે આખુ જગત ઉડુ ઉડુ લાગે છે અને જીવવાનો કોઈ લાભ દેખાતો નથી
Ok
demand ક્રીએટ* કરે તો રસ ન હોય તો પણ આવે
Ok
*Title
- _ભગવાનની શક્તિનો લાભ કોને મળે ?_
» આપણાથી સારી ક્રિયા થાય અને આપણે પેની ઊંચી રાખીને ચાલીએ એ આપણી મૂર્ખતા છે અને સારો સંકલ્પ પણ ભગવાનને રાજી કરવાનો ન કરે એ પણ મૂર્ખતા છે
Ok
» બ્રહ્મનિષ્ઠ એટલે આપ્તપુરુષ અને આપ્તપુરુષ હોય એને સમજણ અને આચરણ બંને હોય
Ok
» જેને ભગવાન પાસે જવું હોય એણે આપ્તપુરુષનો સંગ કરવો
Ok
» ભગવાનની જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિનો લાભ આપણને તો જ મળે કે જો મહારાજની ફ્રિકવન્સીની સાથે આપણી ફ્રિકવન્સીને મેચ કરીએ અને નરનારાયણ ભગવાનના તપનો લાભ પણ તો જ મળે
Ok
» પોતાના જીવમાંથી ભગવાન રાજી થાય એવો સંકલ્પ કરે તો ભગવાનની ત્રણેય શક્તિઓ એની સેવામાં હાજર થઈ જાય છે જેમ કે શાસ્ત્રીજી મહારાજનું ગુરુકુળનું કાર્ય
Ok
» ગુરુ એવા કરવા જોઈએ કે જે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય
Ok
» પોતાની માન્યતા મૂકીને આપ્તપુરુષ પાસે જાય તો એટલું સમજાય
Ok
» કોઈપણ વાતની આસક્તિ હોય એટલે ઉત્તમ વિકલ્પ પસંદ થઈ શકતો નથી
Ok
» વાલખીલ્યાદી ઋષિની જેમ કેટલાકની સાધના અતિશય હોય પણ ઉપાસનાનું કેન્દ્ર નીચું હોય તો કિંચિત ફળ થાય
Ok
» આપણને પોતાની મેળે જેમ છે એમ સમજાતું નથી અને બીજાની પાસે જાતા પણ નથી
Ok
» ઘણા બ્રહ્મનિષ્ઠ હોય તો પણ ઉપાસનાની સમજણમાં સાજાફાડ હોય
Ok
*Title
- _કોણ બીજા પાસેથી ટ્રેનિંગ નથી લેતા ?_
» ઉત્તમભોગ દોષ વિનાના હોતા જ નથી એને ભોગવે એમાં એ અવશ્ય આવે જ છે
Ok
» ઉત્તમભોગમાં દુઃખ અને દોષ બંને છે અને સામાન્યભોગમાં કેવળ દુઃખ છે
Ok
» સતપુરુષ સામાન્ય પુરુષો કરતાં નવીન ક્રિયા નથી કરતા પણ નવીન રીતે કરે છે
Ok
» ઉત્તમભોગ એને કહેવાય કે જેના માટે વિશેષ પ્રયત્ન કરવો પડે
Ok
» કોઈનો સહકાર લેવો નહીં અને કોઈને સહકાર દેવો નહીં એ પૂર્ણ અહમ નું પ્રતીક છે
Ok
» અભિમાની માણસ કોઈની પાસેથી ટ્રેનિંગ લેતો નથી અને કોઈને ટ્રેનિંગ આપતો પણ નથી
Ok
» પોતાની મેળે શાસ્ત્રમાંથી શીખીને એકાંતિક ન થઈ જવુ, સત્પુરુષની દેખરેખ નીચે એકાંતિક થવું
Ok
» પોતાની મેળે શાસ્ત્રમાંથી શીખે તો આસક્તિ વધે કાં તો અભિમાન વધે છે
Ok
» સત્સંગની રીત એવી છે કે મોટા પાસેથી શીખીને નાના ને શીખવવું
Ok
» ઉત્તમભોગ એ સમય અને વ્યક્તિને સાપેક્ષ છે
Ok
» ઉત્તમભોગ અંદરનું સત્વ રહેવા દેતા નથી
Ok
» મુગટસ્વામી કીર્તન કે ધુન બે જણા પાસે ભેળી ગવરાવતા એટલે પોતાની મેળે રાગ ફેરવીને ન નાખે
Ok
» બાલમુકુંદસ્વામી અને નારાયણદાસ સ્વામી ભગવાન જેવા સાધુ હતા તો પણ ગુણાતીતાનંદ સ્વામી એમને ટ્રેનિંગ અપાવતા અને એ લેતા
Ok
» પોતાની મેળે શીખે તો ક્રિયામાં તો પારંગત થઈ જાય પણ ભક્તિ ન થાય અને બીજાના કામમાં ન આવે
Ok
» પોતાની સ્કિલ કે ગુણોનુ માર્કેટિંગ થાય તો રોટલામાં કામ આવે અને સદુપયોગ થાય તો જીવના કલ્યાણના કામમાં આવે
Ok
*Title
- _ભગવાનનો સાક્ષાત્કાર થયો ક્યારે કહેવાય ?_
» સત્પુરુષ છે એ ભગવાનમાં હેત કરવાનુ સર્વશ્રેષ્ઠ સાધન છે
Ok
» ડિમાન્ડ વગર નવીનતા આવતી નથી, રસ પણ આવતો નથી
Ok
» આપણને ભગવાનમાં રસ છે કે નહીં તે કેમ ખબર પડે ? તો એમાં ક્યારેય થાક ન લાગે, લાંબો સમય કરે છતાં પણ ઝાંખપ ન આવે, અને ઉત્સાહ વધતો અને વધતો રહે
Ok
» પ્રત્યક્ષપૂજા અને માનસીપૂજા એ સાધન છે અને ભગવાનમાં પ્રેમ કરવો એ સાધ્ય છે
Ok
» ભગવાનમાં રસ હોય તો એક યુગ ક્ષણની માફક જાય અને રસ ન હોય તો ક્ષણ પણ યુગની માફક જાય
Ok
» સાધનમાં ચોંટી જાય અથવા તો સાધન મૂકી દે તો પણ ભગવાનમાં હેત ન થાય
Ok
» આપણે એવો તપાસ કરવો કે સેવામાં રસ છે કે ક્રિયામાં રસ છે
Ok
» શ્રવણ, મનન અને નિધીધ્યાસ રસ develop કરવાના સાધન પણ છે અને રસના પરિણામ રૂપ પણ છે
Ok
» નવરાયના સમયમાં જે મનમાં આવીને ઊભું રહે તેને સાક્ષાત્કાર થયો કહેવાય
Ok
» જે સાંભળ્યું હોય તેનો apply કરે તેને નિધિધ્યાસ કહેવાય અને સંભાળયા વિના સાંભળી આવે તેને સાક્ષાત્કાર કહેવાય
Ok
» સાધનના અભાવમાં પણ ભગવાનમાં જોડાતા શીખવું જોઈએ
Ok
» સેવા કરીને ભગવાનમાં રસ કેળવી લેવો
Ok
» રસ વધતો રહે તો એને ભક્તિ કહેવાય બાકી એ ક્રિયાને ધર્મ કહેવાય
Ok
*Title
- _ભગવાનમાં રાગ હોય તેની નિશાની શું ?_
» ભગવાનના માર્ગમાં જવાબદારી દઈ શકાતી નથી, સામેથી લેવાની હોય છે
Ok
» માનસીપૂજા બરાબર થાય તો એ ભગવાનમાં સાચા હેતની નિશાની છે
Ok
» પ્રત્યક્ષપૂજા કરતા માનસીપૂજા શ્રેષ્ઠ છે. કારણ કે પ્રત્યક્ષપૂજામાં તો શરમ-ધર્મ પણ આવે, પણ માનસીપૂજા તો કેવળ પ્રેમ હોય તો જ થાય છે
Ok
» મહિમા સમજીને સેવા-ભક્તિ કરતા હોય તો મુશ્કેલીમાં પણ તે મૂકે નહીં
Ok
» અતિરાગ હોય તો એ ગજાબારુ કરે છે
Ok
» પ્રેમનો એવો સ્વભાવ છે કે એમાં પ્રેરણા ન કરવી પડે
Ok
» કથામાં બગાસા અને જોલા આવે એ કથામાં રસ નથી એની નિશાની છે
Ok
» ભગવાનમાં અતિશય રાગ હોય તો એ એક્સ્ટ્રા પ્રોજેક્ટ લે છે અને ગજાબારી ટ્રાય કરે છે
Ok
» પૂજા એ પ્રેમ વધારવાનુ સાધન પણ છે અને પ્રેમ છે કે નહીં એને તપાસવાનું સાધન પણ છે
Ok
» ભગવાનમાં રસ acquire પણ કરી શકાય છે. બધાને natural હોય એવું જરૂરી નથી
Ok
» ભગવાનને રાજી કરવા એ મુખ્ય છે, પ્રથમ છે. ભગવાનની પૂજા કરવી, દર્શન કરવા એ પછી છે
Ok
» શ્રદ્ધા હોય ત્યાં થાક ન લાગે અને રસ હોય ત્યાં કંટાળો ન આવે
Ok
» સેવા કરતા કરતા ભાવના કેવી છે એના આધારે ભગવાન રાજી થાય છે
Ok
*Title
પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામીના સદગુણો*
» પૂજ્ય લક્ષ્મીનારાયણસ્વામી on duty ભગવાનના ધામમાં ગયા. છેલ્લે દિવસે રાત્રે 9
Ok
» સદવિદ્યા પ્રેસનું મશીન ચલાવતા-ચલાવતા પણ કીર્તનો ગાતા એવું શાસ્ત્રીજી મહારાજની અનુવૃતિ પાળવાનો એમનો આગ્રહ હતો
Ok
» પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામી શિક્ષક હતા. તેનો આશરે 2 થી 3 કરોડ જેટલો પગાર સંસ્થામાં જમા થયો છતાં પણ તેમાં તેમની દ્રષ્ટિ ન હતી, કેવળ સેવા જ કરતા હતા
Ok
» છેલ્લે સુધી એમને 500 જેટલા કીર્તનો અને 35 જેટલા વચનામૃત કંઠસ્થ હતા
Ok
» શાસ્ત્રીજી મહારાજને સવારે પૂજામાં રોજ કીર્તન સંભળાવતા
Ok
» વોશિંગ્ટનથી ન્યુજર્સીના બે દિવસના પ્રવાસ પછી રાત્રે *10
Ok
» સદવિદ્યામાં નાની-મોટી પણ ભૂલ હોય તો શાસ્ત્રીજી મહારાજ એમને ધખતા અને ક્યારેક પોતાની રચના સ્વામી આગળ રજૂ કરે તો સામે પ્રોત્સાહન પણ આપતા એવું શાસ્ત્રીજી મહારાજનું ઘડતર હતું
Ok
» છેલ્લા ચાર દિવસ પહેલા બ્રહ્માનંદ સ્વામીનું “ભાદરવામાં ભૂધરા” એ પદ ગાતા-ગાતા ગળગળા થઈ ગયેલા અને છેલ્લા દિવસે મુક્તાનંદ સ્વામીનું “મેરે તો તુમ એક હી એક આધારા” એ કીર્તન બોલી અને મહારાજને પ્રાર્થના કરતા હતા
Ok
» દરરોજ 3 વાગે ઘનશ્યામ મહારાજની આગળ ઊભા રહી અને કીર્તન ગાતા, દરરોજ 3 વાગે કીર્તનના ચાર પદ ગાતા અને સામૂહિક કીર્તન પોતે જ શરૂ કરતા.
Ok
» શાસ્ત્રીજી મહારાજમાં જેવી ગુરુનિષ્ઠા હતી, એવી જ ગુરુનિષ્ઠા પૂજ્યપાદ ગુરુ મહારાજમાં રાખી અને અનુવૃતિમાં રહીને સેવા કરતા
Ok
» એમને રહેવા માટે કોઈ રૂમ ન હતો. એ લોબીમાં આસન કરતા અને એમની સંપત્તિમાં પતર અને તુંબડુ, પૂજાની ઝોળી એટલી જ એમને સંપત્તિ હતી
Ok
» એમને સંકલ્પ થયો કે સોનાનું પાલુ કેવું હશે ? તો મહારાજ હરિભક્ત રૂપે આવી અને પાલુ બતાવી ગયા
Ok
» છેલ્લી એકાદશીએ પણ નકોરડો ઉપવાસ કરેલો
Ok
» પોતે શિક્ષક હતા. ત્યારે વર્ષમાં પોતાના હકની રજા ક્યારે લીધી નથી
Ok
» રાત્રે વચનામૃત કંઠસ્થ બોલતા-બોલતા સુતા
Ok
» એટલી સેવાની જવાબદારી હતી કે બપોરે સુતા પણ નહીં
Ok
» *સવારે 3
Ok
» શાસ્ત્રીજી મહારાજની અનુવૃતિમાં રહી અને સેવા કરવાથી એમના અંગ બદલી ગયા, દેહ છતાં જ મુક્ત બની ગયા
Ok
“ભાદરવામાં ભૂધરા”* એ કીર્તનની ચોથી કડી બોલ્યા પછી મહારાજને પ્રાર્થના કરીને બોલ્યા, કે “કેમ આવતા નથી”, “અમારી અરજી તમારી મરજી”
Ok
» બાંધકામની સેવામાં પાણીની જગ્યાએ એમનો પરસેવો રેડીને સેવા કરેલી
Ok
» સંપ્રદાયમાં સાહિત્યની સેવામાં સૌથી મોટું યોગદાન રાજકોટ ગુરુકુળની સદવિદ્યા પ્રેસનુ અને એમાં સૌથી મોટી સેવા પૂજ્ય લક્ષ્મીનારાયણદાસજી સ્વામીની હતી
Ok
» છેલ્લે ફોનમાં કૃષ્ણચરણ સ્વામી સાથે એવી વાત કરેલી કે “હવે પાન પીળું પડી ગયું છે, હવે તો મહારાજના ધામમાં જાશું મહારાજને મળશુ, શાસ્ત્રીજી મહારાજને મળશું, પુરાણી સ્વામીને મળશુ, જોગી સ્વામીને મળશું.”
Ok
» છેલ્લા દિવસે દરજીને બોલાવીને કહ્યું કે “આ ધોતિયા સાંધી દે” તો દરજી કહે “જળી ગયા છે, આપણે નવા લઈ લઈએ”, સ્વામી કહે “ના, થોડા દિવસ રહેવું ને નવા નથી લેવા, આમા જ પૂરું કરી દેશુ” એમ છેલ્લે પણ જળી ગયેલા ધોતિયા પહેરેલા.
Ok
*Title
- _મનન કેમ કરવું ?_
» સાચી પ્રીતિ હોય તેમાં કોઈ બહાના હોતા નથી, હજારો અંતરાય આવે તો પણ તેને પાર કરી દે તો તેને સાચો ઇશક કે પ્રીતિ કહેવાય
Ok
» સાક્ષાત્કાર થઈ ગયા પછી પણ મનન ચાલુ રાખવું તો અતિશય આધાન થાય, નહીં તો જડતા આવી જાય
Ok
1 કલાક શ્રવણ* કર્યું હોય, તેનું 10 કલાક મનન કરે અને તેનું 10 ગણું એટલે 100 કલાક નિધીધ્યાસ કરે તો endless સાક્ષાત્કાર થાય
Ok
» ભગવાન અને ભગવાનના સાધુ માટે મરવા તૈયાર થાય પણ જીવવા કોઈ તૈયાર થતું નથી
Ok
» શાસ્ત્રો કલ્પવૃક્ષ છે. ભણતા પહેલા જેવો સંકલ્પ કર્યો હોય એવું ફળ આપે છે. રોટલા પણ આપે છે અને ભગવાનનું ધામ પણ આપે છે
Ok
» જેમ રૂપનો taste આંખથી આવે છે, રસનો taste જીભથી આવે છે, તેમ ભગવાનનો taste લેવાની ઇન્દ્રિય મન છે મનન કરે તો ભગવાનનો ટેસ્ટ આવે
Ok
» મનન કરે એટલે આ ગ્રહણ કરવા યોગ્ય અને આ ગ્રહણ કરવા અયોગ્ય એવી મીમાંસા automatic થઈ જાય છે.
Ok
» ઝઘડો કરવાનું જનૂન ચડે છે, પણ ભગવાનને રાજી કરવાનું જનૂન નથી ચળતું
Ok
» દેહાભિમાન એ જીવને બ્રહ્મહત્યા વળગી છે. જીવતા તો નથી છોડતી પણ મર્યા પછી પણ નથી છોડતી
Ok
» બુદ્ધિવાળો હોય કે ઓછી બુદ્ધિવાળો હોય, પણ રીપીટ કરે એટલે પોતાને પ્રેક્ટીકલમાં મુકવાનું હોય એટલું અવશ્ય ગ્રહણ થઈ જાય છે
Ok
» મહાત્મય અને શ્રદ્ધાના અભાવથી પૂજા કે કથામાં ઝોલા આવે છે
Ok
» ધર્મમાં રહેતા હોય અને ભગવાનમાં પ્રીતિ હોય એવા વક્તાથી સાંભળેલું હોય એને શ્રવણ ભક્તિ કહેવાય. કથા કરતા હોય એટલે શ્રવણ ભક્તિ ન થઈ જાય એમ સત્સંગીજીવનમાં કહ્યું છે
Ok
*Title
- _સાક્ષાત્કાર કયારે થાય ?_
» ભગવાનના માર્ગમાં પાંચેય વિષયોમાં શબ્દ વિષય છે એ વધારે બળવાન છે
Ok
» ભગવાનની કથાના શ્રવણનું મનન કરે તો ભગવાનના સિદ્ધાંતનો સાક્ષાત્કાર થાય અને ભગવાનના દર્શનનું મનન કરે તો ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થાય
Ok
» ભગવાનની અખંડસ્મૃતિ રાખવી એના કરતાં પણ ભગવાનના સ્વરૂપને સમજવુ અને નિરૂપણ કરવું એ વધારે મહત્વનું છે
Ok
» જેને ભગવાનનો સાક્ષાત્કાર થાય એને પાંચેય ઇન્દ્રિયોનું સુખ એકસાથે આવે
Ok
» સારી કથા સાંભળવાનું નથી કહ્યું, સાચી કથા સાંભળવાનું કહ્યું છે અને તો જ ફાયદો થાય
Ok
» કંઠસ્થ કરેલું વારંવાર રીપીટ કરવું તેને મનન કહેવાય, પણ કંઠસ્થ કર્યા વગર વારંવાર વાંચન કરે તો એ મનન ન ગણાય કારણ કે એમાં મન બીજે જતું રહેવાની શક્યતા છે
Ok
» વારંવાર મૂર્તિનું રિપીટેશન કરે તો અતિશય આધાન ન થાય, પણ વારંવાર નિરૂપણ કરે તો અતિશય આધાન થાય
Ok
» મનન કરવું એટલે વારંવાર રિપીટેશન કરવું અને પ્રેક્ટીકલમાં મૂકવું એટલે નિધીધ્યાસ
Ok
» ઉહાપોહ સહિત સાંભળવુ તેને જ શ્રવણ કહેવાય છે
Ok
» મનન ખાલી શ્રવણનું જ નથી કરવાનું હોતું, પણ દર્શન વગેરે પાંચ ઇન્દ્રિયોના વિષયોનું મનન કરે તો તેનો સાક્ષાત્કાર થાય
Ok
» વેદાંત ભણવાનો નથી હોતો માહોલથી જ વેદાંતના તત્વોનો સાક્ષાત્કાર થાય છે
Ok
» બીજાને સમજાય એવી રીતે ભગવાનના સ્વરૂપને સમજાવવું એને નિરૂપણ કહેવાય
Ok
» મોહની સુષુપ્તીમાંથી શબ્દ જ બહાર લાવી શકે છે
Ok
*Title
- _સાચી સમાધિ કોને કહેવાય ?_
» ધ્યાન છે એ વિધેયાત્મક છે જ્યારે સમાધિ નિરોધરૂપ છે
Ok
» શબ્દ દ્વારા જેવો ભગવાનનો પરિચય થાય છે. એવો નેત્ર દ્વારા કે બીજી ઇન્દ્રિયો દ્વારા થતો નથી
Ok
» શ્રવણ, મનન અને નિદિધ્યાસ એ ઉપનિષદની પરંપરા છે. ધ્યાન, ધારણા અને સમાધિ એ સાંખ્ય અને યોગની પરંપરા છે અને નિષ્કામકર્મયોગ ગીતાની પરંપરા છે
Ok
» સુષુપ્તિ સમયે જીવ હૃદયમાં હોય છે જાગ્રતમાં તો તાળવામાં હોય છે
Ok
» પોતાને જે ભગવાનનો અનુભવ થાય છે તેને શ્રુતિ અને વચનામૃતની સાથે મેળવતુ જવું
Ok
» વિષયો પ્રત્યે દોષબુદ્ધિ અને શત્રુભાવ હોય તો નિષેધ સંસ્કારો ઉદય થાય છે
Ok
» ત્રણ કલાક, છ કલાક કે થોડા દિવસો માટે એકતાનતા હોય તેને ધ્યાન કહેવાય છે અને permenent એકતાનતા હોય તેને સમાધિ કહેવાય છે
Ok
» સમાધિ બે પ્રકારની છે. એક પ્રાણ લીન થાય તે, અને બીજી નિષેધ સંસ્કારો દ્વારા જ્ઞાનની સમાધિ, જ્ઞાનની સમાધી શ્રેષ્ઠ છે
Ok
» મહાત્મ્ય વિનાનો સાક્ષાત્કાર અર્થહીન છે
Ok
*Title
- _કેવી સેવા વાસના ટાળે ?_
» પ્રમાણિકતા પૂર્વક સેવાની જવાબદારી લે અને પૂરી પાડે તો સ્વભાવ ઘટે
Ok
» નાનામાં નાની સેવા મહિમા સહિત કરે તો દેહવાસના ટળે
Ok
» નવધા ભક્તિમાં સેવા ભક્તિ જેટલા સ્વભાવને ટાળે છે, એટલી બીજી ભક્તિ નથી ટાળતી
Ok
» સેવામાં સ્વભાવને વધારવાની અને ઘસવાની બંને અનુકૂળતા છે, સેવા કરનારના ઈરાદા ઉપર આધાર રહે છે
Ok
» જેવું આપણું Inner-Id આપણે નક્કી કર્યું હોય, એવું બહારનું સર્કલ automatic ગોઠવાઈ જાય છે
Ok
» સ્વભાવ વધે છે એ તો સહજમાં વધી જાય છે. પણ પછી તેને ટાળવા ઘણા કઠણ પડે છે
Ok
» ભગવાનના માર્ગનો આદર કર્યો છે, પણ હવે મરતી-મરતી કાન હલાવે એવું ન કરવું આ જન્મે પૂરું કરી દેવું
Ok
» ઝાઝુ ન સમજતા હોય તો પણ અનુવૃતિમાં રહીને રાજી કરવા માટે સેવા કરે તો વાસના ટળી જાય છે
Ok
» વચનામૃતમાં મહિમા કહ્યો છે પણ એનો અર્થ એ છે કે સેવાએ સહિત મહિમા હોય તો વાસના ટળે
Ok
» જેવુ આપણુ vision હોય એવો પુરુષાર્થ સહજ થાય છે
Ok
» સેવા કરતાં-કરતાં અનુકૂળતા પ્રતિકૂળતાનું અનુસંધાન ન રાખે, પણ કેટલી સેવા થઈ અને કેટલું દેહાભિમાન ઓછું થયું તેનું અનુસંધાન રાખવું
Ok
» અગવડતા વધે તો રાજી થાય અને હિંમત ન હારે તો સેવા કરતા-કરતા સ્વભાવ ઘટે
Ok
» ખાલી સેવા કરે ને જવાબદારી પૂર્વક સેવા કરે તેમાં બહુ ફેર છે
Ok
» તપ ક્ષીણ કરે છે, પણ વાસનાને નિર્મૂળ તો ઉપાસના જ કરે છે
Ok
» ઉપાસના એટલે મહિમાએ સહિત સેવકભાવ
Ok
» દેહાભિમાનને દૂર કરવા માટે નિષ્કામસેવા જેવું કોઈ સાધન નથી
Ok
*Title
- મનન કરવાની technique
» જેમાં રાગ હોય એ વસ્તુનું મનન જબરદસ્તીથી થાય છે
Ok
» શ્રવણ વ્યવસ્થિત કરવા માટે કથા સાંભળતી વખતે ત્રાટક કરવું એટલે કે દ્રષ્ટિને એક જગ્યાએ સ્થિર રાખવી તો શ્રવણમાં disturbance ઓછું આવે તેમ શાસ્ત્રીજી મહારાજ કહેતા
Ok
» ભગવાનને પામવા માટે શાસ્ત્રમાં અલગ અલગ યોગ કહ્યા છે, જ્ઞાનયોગ, અષ્ટાંગયોગ, ક્રિયાયોગ, ઔષધયોગ, મંત્રયોગ એ બધા યોગમાં જ્ઞાનયોગ શ્રેષ્ઠ છે અને કર્મયોગ શ્રેષ્ઠ છે અને સહેલો છે
Ok
» કથાનું મનન કેમ કરવું ? તો દ્રષ્ટાંત શું શું આવ્યા હતા ?, તેનો સિદ્ધાંત શું હતો ?, શરૂઆત ક્યાંથી થઈ હતી ?, કથા પૂરી ક્યાં થઈ હતી? અને હાર્દ શું હતું ? તેને દિવસમાં પાંચ-દસવાર સંભારવું
Ok
» કોઈપણ પ્રકારના યોગથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. તેની પ્રાપ્તિમાં કાંઈ ફેરફાર નથી
Ok
» અષ્ટાંગયોગ non-productive છે જ્યારે નિષ્કામકર્મયોગ કે સેવાયોગ productive છે
Ok
» શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કારમાં શ્રવણ અને સાક્ષાત્કારનો રોલ ઘણો ઓછો છે, વધારે પુરુષાર્થ મનનમાં કરવાનો છે મનન વ્યવસ્થિત કરે તો નિદિધ્યાસ ઘણુંખરું automatic જ થઈ જાય છે
Ok
*Title
- _દુઃખમાં દુઃખ કેમ નથી દેખાતું ?_
» દુઃખનો સ્વભાવ એવો છે કે થોડું હોય તો પણ મોટા સુખને દબાવી દે છે અને પોતાની હાજરી પુરાવે છે
Ok
» નાળિયેરમાં જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી જ કાચલી અને નાળિયેર જોડાયેલા રહે છે એમ આસક્તિ છે ત્યાં સુધી જ શરીર અને આત્મા જોડાયેલા રહે છે
Ok
» ચોખ્ખી સમજણ એટલે દેશકાળે પણ ભોગમાં ન લેવાય
Ok
» સુખની લાલચ અથવા દુઃખનું મોજુ આવે ત્યારે આત્મભાવ ભુલાઈ જાય છે
Ok
» શાસ્ત્રો ભણવાથી કે બીજાને સમજાવવાથી નહીં પણ હૃદયમાં ધારવાથી ચોખ્ખી વિક્તિ થાય છે
Ok
» સુખ અને દુઃખ એ મનની માન્યતા છે
Ok
» જગતનુ નાનામાં નાનું સુખ, દુઃખ વિનાનું હોતું નથી
Ok
» સાક્ષાત દુઃખમાં કોઈને મોહ થતો નથી પણ એ દુઃખ પછી સુખની આશામાં મોહ થાય છે
Ok
» મોહ છે એ દુઃખને દેખાવા દેતું નથી અને દુઃખ છે એ સુખને દેખાવા દેતું નથી
Ok
» સુખ કરતા દુઃખ બળવાન છે અને દુઃખ કરતા મોહ બળવાન છે
Ok
» સુખમાત્ર અનિચ્છનીય છે એવું નથી ભગવાનનું સુખ તો પરમઇચ્છનીય છે પણ જગતનું સુખ અનિચ્છનીય છે
Ok
» જગતનું સુખ પહેલા અમૃત જેવું હોય છે અને પછી ઝેર જેવું હોય છે, જ્યારે ભગવાનનું સુખ પહેલા વિષ જેવું હોય છે અને અંતે અમૃત જેવું હોય છે
Ok
» ભગવાનના માર્ગે કમર કસવી તો ભગવાન મદદ કરે છે
Ok
» જગતના સુખમાંથી ઉપર ઊઠવા માટે ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચાડવી
Ok
*Title
- _અંગ શા માટે ઓળખવું ?_
» મોટેરા હોય એ તો આપણા અંગને ઓળખતા હોય પણ આપણે જો ન ઓળખતા હોઈએ તો આપણા પાસેથી કામ લઈ શકીએ નહી
Ok
» અંગમાં રહીને ભક્તિ કરવી છતાં સામાન્યપણે તો બધા અંગ રાખવા જ્યારે choice હોય ત્યારે અંગ મુખ્ય રાખવું
Ok
» થોડી મહેનતે ઝાઝું ફળ આપે એવું સાધન છે મહાત્મા સહિત ભક્તિ
Ok
» અંગ ઓળખવા માટે પોતાને ગમતી દસ ભગવાન સંબંધી ભક્તિનું લિસ્ટ કરવું એમાંથી પાંચ -> ત્રણ -> એક પસંદ કરવું
Ok
» શાસ્ત્રો અને બીજા બધાની માન્યતા છે કે શ્રદ્ધા હોય તો બીજા બધા સાધન આવી જાય પણ મહારાજની માન્યતા છે કે મહિમા હોય તો બધા સાધન આવી જાય
Ok
» ભગવાનના માર્ગમાં 75% ભાવનાનો રોલ છે અને 25% આચરણનો રોલ છે
Ok
» મહિમા વિના શ્રદ્ધા લાંબી ટકતી નથી
Ok
» અન્વય-વ્યતિરેકપણું ઓળખવાનો ફાયદો એ છે કે વ્યક્તિની સાચી ઓળખાણ થાય
Ok
» ભગવાને જીવ માત્રને એવી એક શક્તિ આપી છે કે જેના દ્વારા એ માયાને તરી જાય એને જ અંગ કહેવાય પણ એને મોટે ભાગે લોકો એને ઓળખી શકતા નથી અને ઓળખે તો પોતાના કલ્યાણમાં ઉપયોગ કરી શકતા નથી
Ok
» માયાનું અન્વયપણુ નથી કહ્યું કારણ કે એ ચેતનનું જ હોય છે, માયા જડ છે
Ok
» એકરસપણે વર્તવું એ અન્વયપણું ગણાય અને નોખા રહેવું એ વ્યતિરેક ગણાય
Ok
» દેહભાવ સહિત વર્તવું એ જીવનું અન્વયપણું છે અને ત્રણ શરીરથી નોખા માનવું એ વ્યતિરેકપણુ છે
Ok
» ઈશ્વર તો વ્યતિરેકપણે વર્તી પણ શકે છે જ્યારે જીવ વ્યતિરેક રહી નથી શકતો ખાલી ભાવનાથી માનવાનું છે
Ok
» કોઈ આપણને કાળા-ધોળા કહે અને આપણે લાલ-પીળા થઈ જઈએ તો એ આપણું અન્વયપણુ છે
Ok
» ક્ષય રોગ થયો હોય તો કન્યા દરરોજ વૃધ્ધિ તો પામે પણ અંતે મૃત્યુ પામે એમ મહિમા વિનાની ભક્તિ હોય એ દરરોજ વધતી તો હોય પણ ફળ આવ્યા પહેલા નાશ પામી જાય છે
Ok
» અક્ષરબ્રહ્મમાં જોડાય તો માયાની નિવૃત્તિ તો થાય પણ, કલ્યાણ ન થાય ભગવાનનું સુખ ન આવે
Ok
» વાસના ટાળવામાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રીતિ અને મહિમા એ ચારમાં મહિમા સૌથી બળવાન સાધન છે
Ok
» તત્વ અને વ્યક્તિ અલગ-અલગ હોય છે
Ok
» શાસ્ત્રમાં અનેક સાધનો કહ્યા છે એ એકબીજાના પૂરક છે અને બધાનો અલગ અલગ role છે
Ok
*Title
- _દર્શન, નામજપનું ફળ કોને મળે ?_
» ભગવાનના દર્શનનું, સ્પર્શનું કે નામજપનું ફળ ભક્ત કે અભક્તના આધારે નથી મળતું ઇન્દ્રિયો, અંતઃકરણને જીવ સહિત કરે એને ફળ મળે છે
Ok
» સમાધિ થાવી સહેલી છે પણ જગતની આસક્તિ ટળવી એ કઠણ છે
Ok
» ભગવાનમાં જોડાવા માટે અહમ-મમત્વ ભગવાનમાં જોડાવા જોઈએ
Ok
» પૂર્વસંસ્કાર પણ ત્યારે જ ઉપયોગી થાય છે જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ સહિત પ્રવર્તે
Ok
» ઇન્દ્રિઓ અંતઃકરણને જીવ સહિત પ્રવર્તે એ એકડો છે
Ok
» મુક્તપણાનું માન જેને ન આવે એને મુક્તપણુ અડતુ નથી
Ok
» ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ સહિત એક જ વાર દર્શન કર્યું હોય તો પણ ક્યારેય વિસરતું નથી
Ok
» જેમ જેમ બ્રહ્મભાવ વધતો જાય તેમ તેમ દાસભાવ પણ વધવો જોઈએ
Ok
» ભગવાનને બદ્ધપણું કે મુક્તપણું પણ અડતુ નથી, એ કેવી રીતે એનો વિચાર કરવો જોઈએ
Ok
*Title
- _વેગ કેમ લાગે ?_
» ડિમાન્ડ ઊભી થાય તો વેગ આવે, વેગ આવે તો હેત થાય અને હેત થાય તો સ્મૃતિ રહે
Ok
» કેવળ વિચાર કરતા ડિમાન્ડ વધારે વેગ લગાડે છે અને એ ઊભી કરવી પડે છે
Ok
» આપણને ફ્યુચરનું પ્લાનિંગ કે ગોલ નથી માટે વેગ લાગતો નથી
Ok
» જગતના માર્ગમાં પ્રારબ્ધ પ્રમાણે થાય છે પણ ભગવાનના માર્ગમાં જેટલો વેગ લગાડે એટલું થાય છે
Ok
» દર્શન કે કથા પહેલા અગાઉથી જ તૈયારી કરી રાખી હોય તો વેગ લાગે
Ok
» તીવ્ર ઇચ્છાપૂર્વક રસ સહિત અભ્યાસ કરે તો સિદ્ધિ થાય
Ok
» આપણને પૂજામાં કથામાં કે સભામાં ઝોલા આવતા હોય એનો અર્થ એ છે કે આપણે એની જરૂરિયાત જ નથી કેમકે જમતા-જમતા કોઈને જોલા આવતા નથી
Ok
“ધામમાં જઈએ ત્યાં સુધી આ દર્શન મારે યાદ રાખવા છે” એમ નક્કી કરીને દર્શન કરે તો યાદ રહે
Ok
» સત્વગુણી હોય એને જ વેગ લાગે ને રજોગુણી કે તમોગુણીને ન લાગે એવું નથી, ન લગાડે તો સત્વગુણને પણ ન લાગે
Ok
» અભક્ત હોય અને મને સહિત વર્તમાન દર્શન કરે તો દર્શન વિસરે નહીં પણ એનું કલ્યાણ ન થાય કલ્યાણ તો આશ્રયથી જ થાય છે
Ok
» આશરો હોય પણ તીવ્ર વેગે કરીને દર્શન, કથા ન હોય તો કલ્યાણ તો થાય પણ ભક્તપણામાં ખામી ગણાય
Ok
» ગૃહસ્થને નોકરી ન મળે તો બળતરા થાય, ભક્તને કે સાધુને ઝોલા આવે તો બળતરા ન થાય
Ok
*Title
- _અવસ્થા કોને કહેવાય ?_
» જ્યારે વિવેકે સહિત યથાર્થપણે કોઈપણ ઇન્દ્રિયના ભોગ ભોગવતા હોય તેને સત્વગુણપ્રધાન જીવની જાગ્રત અવસ્થા કહેવાય
Ok
» જે positionમાં રહીને જીવ પંચવિષયને ભોગવે છે તેને અવસ્થા કહેવાય
Ok
» અયથાર્થપણે વિષય ભોગવે એ જીવની જાગ્રતને વિષે સ્વપ્ન અવસ્થા છે
Ok
» અંધધંધ સરખું વર્તે અને કોઈપણ વ્યક્તિને ન જાણે અને જે વિષય ભોગવાય તેને જાગ્રતને વિષે સુસુપ્તિ કહેવાય
Ok
» અવસ્થાનું કારણ ત્રણ ગુણ છે અને ગુણનું કારણ પૂર્વકર્મ છે
Ok
» પ્રજ્ઞાભિમાની એટલે સ્વભાવ, વાસના અને પોતે ખોટું કરતા હોય તો પણ તેને યોગ્ય ઠરાવવું
Ok
» ઇન્દ્રિયોના વેગને પાછા ન વાળી શકે તો તે જીવને તૈજસાભિમાની કહેવાય
Ok
» ભગવાનની સામે પણ પોતાના સ્વભાવ મૂકે નહીં તો તેને પ્રજ્ઞાભીમાની કહેવાય
Ok
“નેત્રસ્થાનકને વિશે“નો અર્થ છે કોઈપણ ઇન્દ્રિયના ગોલકમાં
Ok
» વિશ્વાભિમાની જીવાત્મા એટલે જગતનું અભિમાન
Ok
» અવસ્થા એટલે position પણ એક વ્યક્તિની positionની વાત નથી આખી ટીમના positionની વાત છે
Ok
» પ્રતિલોમ દ્વારા ભગવાનના ભોગને ભોગવે એ તૂર્ય અવસ્થા એટલે કે ચતુર્થ અવસ્થા છે
Ok
» સુષુપ્તિ એ પણ એક ભોગ છે કારણ કે ઉઠયા પછી અભિવ્યક્તિ થાય છે અને એનો આનંદ આવે છે
Ok
» જ્યાં સુધી જગતના ભોગનો ત્યાગ ન થાય ત્યાં સુધી આપણો જીવ સંસારી મટતો નથી
Ok
*Title
- _વિશ્વાસ કરવાની Procedure._
» આંખો બંધ કરીને વિવેકરૂપી આંખથી સામેના પાત્રની સાચાઈ અને ખોટાઈ જોવી એ વિશ્વાસની પ્રોસીજર છે
Ok
» મહાત્મ્ય હોય તો શ્રદ્ધા અને વિશ્વાસ આવે
Ok
» વિશ્વાસ સામેની વ્યક્તિમાં હોય છે અને શ્રદ્ધા એના વચનમાં હોય છે
Ok
» વિશ્વાસમાં સ્થૂળ આંખો બંધ કરીને વિવેકની આંખ ખોલવાની હોય છે
Ok
» જોવાનું બંધ થાય અને માનવાનું શરૂ થાય એને વિશ્વાસ કહેવાય
Ok
» ખોટા વ્યક્તિમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તો એની ભક્તિ અને સુખ બંને જતા રહે છે અને કેવલ હેરાનગતિ રહે છે
Ok
» સીતાજીએ સાધુના વેશમાં રાવણ ઉપર વિશ્વાસ કર્યો તો લાંબો સમય સુધી મુશ્કેલી વેઠવી પડી
Ok
» સાચી શ્રદ્ધા હોય તો એ ભક્તિ અને બધા સદગુણોની જનની છે નહીં તો શત્રુ છે
Ok
» શંકર ભગવાને પ્રપોઝલ શું છે ? એ નહોતું જોયું, પ્રપોઝલ કોની છે એ જોયું હતું એટલે એને વિશ્વાસ કહેવાય
Ok
» ભગવાનના માર્ગમાં વિરુદ્ધ સંકલ્પને ટાળવા માટે શ્રદ્ધાની જરૂર પડે છે
Ok
*Title
- _આપણે સવારે શા માટે ઊઠીએ છીએ ?_
» જાગ્રતમાં વિવેકની અતિ દ્રઢતા કરી હોય તો સ્વપ્નમાં વિવેક રહે
Ok
» જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા અને સ્વપ્નમાં જાગ્રત અવસ્થામાં સૌથી મોટો તફાવત એ છે વિવેકનો ભાવ અને અભાવનો છે
Ok
» આ વચનામૃતમાં જે વિવેકની વાત કરી છે એ વિવેક આત્માનાત્માના વિવેકની વાત નથી, વર્ણશ્રમના ધર્મના વિવેકની વાત છે
Ok
» જીવના ધર્મભૂતજ્ઞાનનું ગોલક એ બુદ્ધિ છે, વ્યવહારિક વિવેક કે રાગની બુદ્ધિ એ પણ ધર્મભૂતજ્ઞાન જ છે પણ બગડેલુ છે
Ok
» જાગ્રતમાં સુષુપ્તિ અને સુષુપ્તિમાં જાગ્રત એમાં પણ વિવેકનો જ તફાવત છે
Ok
» માણસ સુષુપ્તિમાંથી બહાર આવે છે એના બે જ કારણ છે કાં તો પંચવિષયની વાસના કે કાર્યની વાસના અને કાંઈ ન હોય તો જીવવાની ઈચ્છાથી બહાર આવે
Ok
» વિવેક છે એ જીવની ધર્મભૂત-જ્ઞાનરૂપી સંપત્તિ છે, માયિક નથી
Ok
» સ્વપ્નમાં જાગૃતિ અને સુષુપ્તિમાં જાગૃતિ એમાં પણ ફેર છે સુષુપ્તિમાં જાગૃતિ એમાં કેવળ વિવેક જાગૃત હોય છે અને spark રૂપ છે જ્યારે સ્વપ્નમાં જાગૃતિ એ એમાં action રૂપ છે અને duration લાંબુ છે
Ok
*Title
- _આધ્યાત્મિક નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે ?_
» પ્રકાશ એટલે વિવેકાત્મક જ્ઞાન
Ok
» ભગવાને સૌપ્રથમ વિવેકને બ્રહ્માજીને આપ્યો, બ્રહ્માજીમાંથી વેદોમાં આવ્યો, એમાંથી શાસ્ત્રોમાં આવ્યો, તેમાંથી સત્પુરુષોએ યથાર્થપણે ગ્રહણ કર્યો અને આપણા સુધી પહોંચાડ્યો
Ok
» ઇન્દ્રિયો જાય ત્યાં મન વિષયમાં જતું રહે છે માટે ઇન્દ્રિયો ધરો છે અને મન છે એ ચક્ર છે એવું આ વચનામૃતને આધારે લાગે છે
Ok
» સારા સ્થાનમાં રહે પણ સત્પુરુષમાં ન જોડાય ત્યાં સુધી વૃદ્ધિને ન પામે
Ok
» દિન-દિન પ્રત્યે વૃદ્ધિ પામે એટલે કે એકાંતિકભાવને પામે
Ok
» ભગવાનની પરાવાણી છે એ તેજના પ્રવાહરૂપ છે એટલે કે વિવેકના ઘન સ્વરૂપે છે
Ok
» આને આ જન્મે પૂરું કરવું હોય તો સારા સ્થાનમાત્રથી નથી થતું સત્પુરુષથી થાય છે
Ok
» સત્પુરુષ છે એ આધ્યાત્મિક નૈમિષારણ્ય ક્ષેત્ર છે
Ok
» દ્રષ્ટા અને દ્રશ્યને જે એક થવા નથી દેતો એમાં વચ્ચે વિચાર રહ્યો છે, એ વિચાર એટલે ભગવાનનો વિવેક
Ok
» વિરાટ પુરુષની વૈખરી વાણીમાંથી જીવની પરા, વૈખરી, પશ્યંતી અને મધ્યમા એ ચાર ભેદ છે
Ok
» નૈમિષારણ્ય ક્ષેત્ર એટલે મોટા પુરુષની પાસે રહે તો ઇન્દ્રિયોની ધારા બુઠ્ઠી થાય, એથી દૂર હોય પણ એની છત્રછાયામાં હોય તો બુઠ્ઠી થાય
Ok
» જીવ જેમ જેમ ભક્તિ અને ઉપાસના કરતો જાય તેમ તેમ એના હૃદયમાં પ્રકાશ થતો જાય છે એટલે કે વિવેક વધારે ને વધારે જાગ્રત થતો જાય છે
Ok
*Title
- _પ્લેટફોર્મનો લાભ કોણ લઈ શકે ?_
» આપણે ભગવાનની સેવા માટે અને સત્સંગના સુખ માટે આપણે ખામીઓને કેટલી દબાવી શકીએ છીએ એટલી જ મોટાઈ છે મોટી ગાદી પર બેસવું એ મોટાઈ નથી
Ok
» સારો સંગ હોય પણ પુરુષાર્થ ન કરે તો વધે નહીં ને પુરુષાર્થ ખૂબ કરે પણ સારો સંગ ન હોય તો પણ વધે નહીં
Ok
» આપણી નબળાઈ, ખામીઓ આપણને સત્સંગના પ્લેટફોર્મનો પૂરો લાભ લેવા દેતી નથી, નહીં તો પ્લેટફોર્મ તો પર્વતભાઈને કે ગોપાળાનંદ સ્વામીને અને આપણને એક સરખું જ મળ્યું છે
Ok
» સંગ એટલે માત્ર ભેળું રહેવું એમ નહીં પણ હેત અને નિષ્ઠા હોવી જોઈએ
Ok
» પૂર્વ સંસ્કારનો રોલ સારા માહોલનો યોગ કરાવી દેવો એટલો જ છે પછી પુરુષપ્રયત્ન તો જાતે જ કરવો પડે છે
Ok
» ભગવાનના મનુષ્યચરિત્રમાં મોહ ન થાય એ જ સાચો નિશ્ચય મહારાજે કહ્યો છે
Ok
» સંગ, પુરુષાર્થ અને પૂર્વ સંસ્કાર એમાં સૌથી વધારે બળવાન સંગ છે
Ok
» પૂર્વ સંસ્કારને આધારે બુદ્ધિ હોય તો શાસ્ત્ર સમજાઈ જલ્દી જાય પણ પ્રેક્ટીકલમાં મૂકવામાં તો બુદ્ધિ ઓછી હોય કે વધારે હોય બંને સરખા જ છે
Ok
» આપણી અંદર સારા અને નબળા બંને સંસ્કારો પડ્યા જ છે પણ જેવો માહોલ હોય એવા સંસ્કાર ઉદય થાય છે
Ok
» ભગવાનના મનુષ્યચરિત્રમાં ખામી ન દેખાય એના માટે અગાઉથી ધારણા કરીને પ્રેક્ટિસ કરવી
Ok
» પ્રેક્ટિસ કરવા માટે ભગવાનના સાધુ જરૂર ઉપયોગી થાય છે પણ આપણું મન ધાર્યું મુકાવે ત્યારે, પરંતુ એને ભગવાનને ઠેકાણે ન બેસાડી દેવા
Ok
» આ જીવને પોતાની ખામી એટલી નથી નડતી જેટલી ભગવાનના મનુષ્ય ચરિત્રમાં ખામી અને મોટા પુરુષનો અવગુણ ખામી નડે છે
Ok
» કોઈ પોતાની પાત્રતા ઓછી જોખવા માંગતા જ નથી
Ok
*Title
- _વૈરાગ્ય અને ભક્તિમાં એન્ટ્રી કેવી રીતે થાય._
» વૈરાગ્ય ન હોય તો વૈરાગ્યમાં / સત્સંગમાં એન્ટ્રી કેમ કરવી તો જેને જગતના દોષ દેખાતા હોય એનું મનાય તો એન્ટ્રી થાય
Ok
» અન્નનો અભાવ થાય એટલે એ મૃત્યુની નિશાની છે અને કથાનો અભાવ થાય એ સત્સંગમાંથી પડવાની નિશાની છે
Ok
» સ્વતંત્રતા મળે અથવા મફત મળતું હોય એટલે માણસને વિષયની તૃપ્તિ થતી નથી
Ok
» સત્સંગ, કથા અને ભક્તિની અવધી નથી કારણ કે એ સાધન પણ છે અને સાધ્ય પણ છે
Ok
» વૈરાગ્ય અને બ્રહ્મચર્ય એટલે કે ધર્મની એન્ટ્રી છે અવધિ છે
Ok
» સ્વતંત્રતા મળે ત્યારે ખબર પડે કે આપણને કેટલી વાસના છે
Ok
» વર્તમાન કે ભૂતકાળના આદર્શ ભક્તો પાસેથી ભગવાનને સંભારવાની, જગતને ખોટું કરવાની યુક્તિ શીખવી
Ok
» ભક્તિ એ કેવળ ક્રિયારૂપ નથી એટલે પદાર્થ, ક્રિયા સાથે ભાવના પણ જોઈએ
Ok
» સમર્પણ એ જ ભક્તિ છે, ભક્તિની શરૂઆત કરવી હોય તો થોડું થોડું સમર્પણ કરતા શીખવું
Ok
» વરતાલના 11માં વચનામૃતમાં સત્પુરુષની સ્થિતિ અને મહિમાનો પરસ્પર વિરોધ આવે છે એનું એ સમાધાન છે કે સત્પુરુષમાં લૌકિક હેત કરવો
Ok
» નિષ્કુળાનંદ સ્વામી અભણ હતા તો પણ એમણે લખેલા શાસ્ત્રો બીજા શાસ્ત્રને પણ વટી જાય એવા છે અને યુનિવર્સિટીમાં માન્ય હતા
Ok
» ભગવાનને કાંઈક સમર્પણ કરવાનું અરમાન રાખવું, ખાલી માંગવાનું ન રાખવું
Ok
» આપણે કોઈ પ્રકારનો પ્રબંધ, લાજ કે લિમિટ ન હોય તો શું કરીએ ? એનો તપાસ કરવો
Ok
» ક્રિયા અને પદાર્થ એ ખાલી વાસણને ઠેકાણે છે એમાં ભાવના ભળે ત્યારે ભક્તિ થાય
Ok
» વિષયનો અભાવ કરવાનો કે સમર્પણ કરવાનો આદર કરે તો ભગવાન મદદ કરે
Ok
*Title
- _ઈર્ષા કેમ ટળે ?_
» માનનું કેન્દ્ર મહારાજ, સત્સંગ, ગુરુ કે પરંપરા હોય તો એને સ્વાભિમાન કહેવાય અને માનનું કેન્દ્ર પોતે જ હોય કે ‘હું જ આવો છું’ તો એને અભિમાન કહેવાય
Ok
» ભગવાન રાખે, સાધુતા રાખે કે સારું કામ કરે એટલે નિંદા કરનારા તો મળી જ રહે છે
Ok
» સાધુ થવું હોય એનું માન ટળે એટલે કે ભગવાન પાસે જવું હોય એનું માન ટળે
Ok
» ઈર્ષા, માન વગેરે માનવસર્જિત દોષો છે એટલે કે આપણી માન્યતારૂપ છે
Ok
» મહાત્મ્ય એટલે તુલનાત્મક જ્ઞાન
Ok
» આપણે સારું કામ કરતા હોઈએ ને કોઈ નિંદા કરનારા કે વિરોધ કરનારા ઉભા ન થાય તો એનો અર્થ એ થાય કે આપણે સામાન્ય કાર્ય જ કરીએ છીએ, સારું નથી કરતા
Ok
» આપણા મનની ટ્રીટમેન્ટ આપણે પોતે જ કરવાની હોય છે એટલે કે આપણું ગાંડપણ આપણે પોતે જ કાઢવું પડે છે
Ok
» માનવસર્જિત દોષો છે એને માણસ ધારે તો જરૂર ટાળી શકે છે
Ok
» બીજા સારું કામ કરતા હોય અને આપણે સહન ન કરી શકીએ એ આપણા હૃદયની કમજોરી છે
Ok
» જેને મહારાજ કે સત્સંગની ખુમારી ન હોય એને જ બધા દોષો પીડે છે
Ok
» જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ કોઈપણ સંબંધી માન છે એ દેહાભિમાનને જ વધારે છે
Ok
» માન, મત્સર, અસૂયા, ઈર્ષા, દ્રોહ, વૈર અને વિનાશ એ અનર્થની પરંપરા છે
Ok
» સારું બિયારણ ચાર મહિનામાં ખતમ થઈ જાય છે જ્યારે ખડનું બીજ 40 વર્ષે પણ નાશ થતો નથી માટે દોષોનું નિંદામણ કરે જ રાખવું પડે છે
Ok
*Title
- _Burning Desire કેવી રીતે થાય ?_
» ભગવાનના નામનો મહિમા તો વાસ્તવિક છે પણ કેટલા વેગથી નામ લે છે એટલું તત્કાળ ફળ મળે છે
Ok
Desire* એટલે મળે તો ઠીક છે ના મળે તો વાંધો નહીં પણ Burning Desire એટલે કરેંગે યા મરેંગે
Generate burning desire to please God and to do seva for His mission
» ભગવાનના દર્શન, સ્પર્શ કે શ્રવણ ઝનુન સહિત થાય તો તત્કાળ ફળ મળે છે
Ok
» મહિમા, અભ્યાસ અથવા ધક્કો લાગે તો Burning Desire લાગે
Ok
» વિજાતીયથી જુદા પાડવું એ સામાન્ય જ્ઞાન છે પણ સજાતીયથી જુદો પાડવો એ વિશેષ જ્ઞાન છે અને મહિમા છે
Ok
» કેટલા વર્ષથી ભક્તિ કરે છે એ ભગવાન નથી જોતા, કેટલા વેગથી કરે છે એ જુએ છે
Ok
» ગજેન્દ્રએ જીવથી ભગવાનનું એકવાર અડધું નામ લીધું તોય ભગવાન રક્ષા માટે આવી ગયા
Ok
» જીવના કલ્યાણમાં ભગવાન છે એ સાધારણ કારણ છે જ્યારે ભગવાનના સંત એ અસાધારણ કારણ છે
Ok
» Burning Desire ન હોય પણ જો Burning Desireવાળા ભગવાનના સાચા સંત સાથે જોડાઈ જાય તો Burning Desire ઉત્પન્ન થાય
Ok
» ભગવાનના દર્શન-સ્પર્શમાં ભક્ત-અભક્ત નથી જોતા, કેટલો વેગ છે એ જ ભગવાન જોવે છે
Ok
» રોટલા માટે દોડવું અને જીવ માટે દોડવું એમાં ફરક હોય છે
Ok
*Title
- _અંતરમાં સતયુગ કેમ પ્રવર્તે ?_
» દ્વાપર કે કળિયુગની પ્રવૃત્તિ વધતી હોય ત્યારે ધ્યાન-ધારણા કરવા કરતાં સેવાની પ્રવૃત્તિ કરવી
Ok
» પ્રવૃત્તિનો કંટ્રોલ કરે એટલે યુગના ધર્મોનો અને ગુણનો પણ કંટ્રોલ થઈ જાય છે
Ok
» યુગના ધર્મોના પ્રવર્તક મહાપુરુષો છે એમના આધારે યુગના ધર્મ પ્રવર્તે છે
Ok
» પ્રવૃત્તિ બદલવાથી અંદરના ગુણો બદલતા નથી રૂંધાય છે
Ok
» ગુણની પ્રવૃત્તિનું કારણ સંગ, આહાર અને ક્રિયા છે કેવળ પૂર્વકર્મ નથી
Ok
» ભગવાનનું કાર્ય કરવું અને ભગવાનના ભક્તની સેવા કરવી એ નિર્ગુણ પ્રવૃત્તિ છે
Ok
» મોટાપુરુષો સાથે હેત થઈ જાય તો ગમે તેવા તામસીકર્મ હોય તે પણ નિર્ગુણ થઈ જાય છે
Ok
» ભગવાનના સંત છે તે બધાને ચાલવાની શક્તિ અને ઇન્દ્રિયોની શક્તિ આપનારા છે એનો અર્થ એવો કરવો, કે ભગવાનને માર્ગે ચાલવાની શક્તિ આપનારા છે
Ok
» સતયુગમાં કેવળ ભગવાન માટે કર્મ કરતા હોય, ત્રેતાયુગમાં ફળ પ્રાપ્તિ માટે કર્મ કરે, દ્વાપરયુગમાં બીજા કરતાં પોતાને વધુ ફળ મળે એના માટે કર્મ કરે અને કળિયુગમાં પોતાને ફળ મળે કે ના મળે બીજાને તો મળવું જ ન જોઈએ
Ok
» ક્યારેક સત્વગુણીને ભગવાનની નિષ્ઠા ન થાય અને તમોગુણીને ભગવાનની નિષ્ઠા થાય છે તેનું કારણ સંગ છે
Ok
» સત્વગુણની મોટામાં મોટી ખામી એ છે કે તેને રજોગુણ અને તમોગુણ વિના ચાલતું નથી
Ok
» જેનું બાહ્યજીવન નિયમમાં થાય તેના અંદરના ગુણ પણ નિયમમાં થાય
Ok
» સંગ એટલે ભેળા રહેવું એમ નહીં, પણ હેત
Ok
» મોટાપુરુષ છે એ કળિયુગમાં પણ સતયુગના ધર્મ પ્રવર્તાવે છે
Ok
» સારી પ્રવૃત્તિ કરે અને અંદરના ગુણ રૂંધાય એ ટેમ્પરરી છે પણ સત્પુરુષમાં હેત કરે તો એના ગુણ બદલી જાય છે
Ok
» સત્વગુણના બે પાસા છે એક તો ભગવાનનુ જ્ઞાન થવું અને બીજું કે સુખમાં બંધાવવું, એ બંનેમાંથી શું લેવું એ પોતાના હાથમાં છે
Ok
» એકેય ગુણનુ અભિમાન ન કરવુ પણ તેનો ભગવાનના માર્ગમાં ઉપયોગ કરવો
Ok
» સત્વગુણ વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી લેવું
Ok
» આ વચનામૃતમાં જે યુગોની વાત આવી તે અંદરના યુગ ની વાત છે. બહારના યુગની નહીં
Ok
» બહાર કળિયુગ હોય એટલે અંદર કળિયુગ હોય જ એવું જરૂરી નથી બહારના યુગને અને અંદરના યુગને કનેક્શન નથી
Ok
» બહારના યુગ ને ગુણ સાથે કનેક્શન છે
Ok
સવારની કથા આધારિત સાપ્તાહિક પરીક્ષા -3 (તા.૧૯/૦૯/૨૨ થી તા.૨૫/૦૯/૨૨સુધી )
Ok
*Title
- _સારી રુચિને કેમ ટકાવી રાખવી ?_
» જો વાસના બળવાન હોય તો વિષય પમાડે અને જો રુચિ બળવાન હોય તો ભગવાન પમાડે
Ok
» જો મોટાપુરુષના વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ગમે તેવા રજોગુણ અને તમોગુણ ટળી જાય અને હંમેશા સત્વગુણ રહે
Ok
» શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા એટલે કે પોતાના સ્વભાવ ઉપર વાત કરે એવા વચનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા
Ok
» સાચા સંતમાં જો હેત થઈ જાય તો વાસના બળવાન હોય તે પણ ટળી જાય
Ok
» આપણી રુચિ ફરતી રહે છે. તેથી તેને ખીલે બાંધી રાખવી
Ok
» રુચિ આપણે જેવું વાતાવરણ સેવીએ તેના આધારે થાય છે
Ok
» આપણું પ્રારબ્ધ એ પૂર્વકર્મના આધારે છે
Ok
» આપણી રુચિ એ ભગવાન અને મોટાસંતની સાથે align હોવી જોઈએ
Ok
» જેને જેમાં શ્રદ્ધા હોય છે તે તેવો હોય છે
Ok
» આપણા પૂર્વકર્મ આપણને ખાડામાં લઈ જાય તેવા છે પણ ખાડામાં થોડું પડાય ? સ્ટેરીંગને વાળીને બ્રેકની ઉપર ઉભા રહી જવું
Ok
» આપણી મોટાઈ શેમાં છે ? તો ભગવાનની નિષ્ઠા, રુચિ અને સેવા કરવામાં છે
Ok
» આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ભગવાનનો મહિમા હોય તેની રુચિ ક્યારેય બદલતી નથી
Ok
» એકસરખી રુચી રાખવી એ આ વચનામૃતનો સાર છે
Ok
» રુચિ ફેરવવી એ ઘણી અઘરી છે એટલા માટે ભગવાનને 18 અધ્યાય કહેવા પડયા
Ok
» રુચિ જો સારી હોય તો ભગવાન છેલ્લે અક્ષરધામમાં લઈ જાય છે
Ok
» સાધના કરવી હોય તો પોતાના સ્થાને એટલે કે પોતાના ધર્મમાં રહીને કરવી
Ok
» આપણે અક્ષરધામમાં જવું હોય, તો ભગવાનના એકાંતિક સંતની પાંખમાં બેસી જવું
Ok
*Title
- _ભગવાન પ્રધાન ક્યારે થાય ?_
» પોતાના સ્વભાવ સુધારવાની તૈયારી હોય ત્યાં સુધી સત્સંગમાં આપણે નવા ગણાઈએ નહીં તો કાલના આવેલા હોય તો એ જુના ગણાય
Ok
» જો આપણે ભગવાનનું કામ કરીએ તો આપણું કામ તો થઈ જ જાય પણ આ જીવને અધૂરાઈ છે એટલે ભગવાનનું કામ કરતા કરતા પણ પેલા પોતાનું કામ કરી લે છે
Ok
» આપણા જીવનમાં આપણું ટોરેલું હોય એટલે કે બગાડેલું હોય એ સાચા સંતમાં જોડાઈએ તો જ સુધરે
Ok
» સત્સંગમાં દાસના દાસ થઈએ તો સાધુ ગણાય એ bossના દાસ થઈએ તો નહીં
Ok
» આમ ઉઠીએ, આમ બેસીએ કે આમ ગુરુકુળ ચલાવીએ તો ભગવાન રાજી થાય એવું અનુસંધાન દરેક ક્રિયામાં રાખે તો ભગવાન પ્રધાન થયા કેવાય
Ok
» બીજા ભગવાનના ભક્તોનું સહન કરે એ સાધુ કહેવાય
Ok
» વખાણ છે એ કુપથ્ય છે, એ જેટલું ખાય એટલું પેટ બગડે
Ok
» ગૃહસ્થ જેમ વ્યવહાર કરતા કરતા પોતાનું અને ઘરનાનું કરી લે છે, એમ આપણે સેવા કરતા કરતા મહારાજ રાજી કેમ થાય એ કરી લેવું
Ok
» જે સ્વભાવ ઘસીને ભગવાનની ભગવાનને રાજી કરતા હોય એને પૂછીને આપણે સેવા કરીએ તો આપણો સ્વભાવ ઓછા થાય
Ok
Advance preparation* કરી હોય તો કોઈ આપણા સ્વભાવને ઘસે કે આપણી કાપે કે આપણને તપાવે તો વાંધો ન આવે
Prepare in advance, manage expectations, stay detached when you know you will be tested. Specially when dealing with internal enemies - Anger, Lust, jealousy, greed…
» જેને સ્વઆદર હોય એ ભગવાનને રાજી ન કરી શકે
Ok
» સાધન સગવડતા આપ્યા વિના KPI એટલે કે પરિણામ ડિમાન્ડ કરે એ આપણને ઉકાળ્યા ગણાય
Ok
» મોટી ગાદીએ બેસી ગયા હોય એટલે આપણું સુધારી જ દે એવું ન હોય, એમનું તો સુધારી લે
Ok
» વ્યવહારમાં પ્રાઇવેટલી જોડાઈ જઈએ એ બરાબર ન ગણાય, ભગવાનને રાજી કરવા જોડાઈએ તો વાંધો નહીં
Ok
» સેવા કરતા હોય એણે વૈરાગ્ય વધારે રાખવો કારણકે એને સગવડતાનો ચાન્સ વધારે છે
Ok
» આપણને જ્યારે સ્વતંત્રતા મળે ત્યારે આપણે આપણું કામ પડતું મૂકીને ભગવાનનું કામ કરીએ તો ભગવાન રાજી થાય
Ok
» છેલ્લા શ્વાસ સુધી કસણીમાં રહે તો સાધુ થયો ગણાય
Ok
*Title
- _મહારાજ નો સર્વોપરી નિશ્ચય કેવી રીતે કરવો ?_
» *પ્રમાદ, વિપ્રલિપ્સા, ભ્રમ અને કર્ણ અપાટવતા * એ ચાર દોષ ન હોય એને આપ્તપુરુષ કહેવાય
Ok
» નિર્ણય કરવો તો આપ્તપુરુષ દ્વારા કરવો બકાલીપુરુષ પાસેથી ન કરવો
Ok
» અહમ અને મમત્વ સહિત ભક્તિ અને સેવા કરે છે એટલે ઈર્ષા થાય છે
Ok
» આપ્તપુરુષો કોઈ દિવસ કોઈને ખોટા રવાડે ચળાવતા નથી
Ok
» સત્પુરુષ તો ઘરે ઘરે હોય પણ આપ્તપુરુષ ઝાઝા ન હોય
Ok
» સામાન્ય સંત અને મહાન સંતમાં કેવળ ઈર્ષાનો જ ફેર હોય છે
Ok
» ઐતિહાસિક પ્રસંગો અને વર્તમાન પ્રસંગોના આધારે મહારાજ સર્વોપરી છે તેનો નિર્ણય કરવો
Ok
» જે link ડાયરેક્ટ ભગવાન પાસે પહોંચતી હોય એને પરંપરા કહેવાય
Ok
» જે સંતને માન કે મોટાઈ ન હોય એ સાચા સંત કહેવાય
Ok
allrounder આપ્તપુરુષ કદાચ ન મળે* તો પણ એક-એક feildના master આપ્તપુરુષો હોઈ શકે
Ok
» જેને મહારાજના મિશન સામે દ્રષ્ટિ હોય એને ક્યારેય ઈર્ષા ન થાય
Ok
» ભગવાનનો નિર્ણય ઓથેન્ટિક પુરાવા ના આધારે કરવો જોઈએ બીજાને આધારે નહીં
Ok
» વિપ્રલિપ્સા એટલે ભગવાનનું કામ કરતા કરતા મારું કંઈક ગોઠવાઈ જવું જોઈએ
Ok
» બીજા મહારાજને સર્વોપરી માને કે ન માને પણ આપણે બરાબર નિર્ણય કર્યો હોય તો આપણો નિર્ણય ન ફરે
Ok
» આપણને પૂછ્યા વિના નિર્ણય લઈ લે અને ભગવાનનું કામ થતું હોય તો રાજી થવું ઈર્ષા ન કરવી
Ok
» મોટા મોટા સત્પુરુષો પણ વિપ્રલીપ્સા માંથી બાકાત નથી હોતા
Ok