Utkarsh2 Flashcards
Spiritual
*Title
- _સત્સંગમાં સદભાવના કેમ વૃધ્ધિ પામે ?_
» ગુણ મેળવ્યા પછી ભાવના કરતાં શીખવું જોઈએ તો સમાસ થાય
Ok
» એકરેણીએ રહેવું એટલે કે એક ભાવના જાળવી રાખવી એ સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે
Ok
» આપણે શું કરીએ છીએ અને કેટલું કરીએ છીએ એ મહત્વનું નથી પણ આપણી ભાવના કેટલી વધે છે એ મહત્વનું છે
Ok
» સત્સંગમાં કેટલા વર્ષ થયા એના કરતા પણ કેટલી ભાવના થઈ એ મહત્વનું છે
Ok
» લાકડું ક્યારે ધૂંધવાય ? જ્યારે લાકડું લીલું હોય અને પોતાનામાં રસ હોય ત્યારે, એમ સત્સંગમાં પણ જ્યારે પોતાનામાં રસ હોય, અહમ હોય ત્યારે ધૂંધવાય છે
Ok
» ભાવનાનું નામુ રાખે તો સદભાવના વૃદ્ધિ પામે છે
Ok
» ગમે એટલા ગુણ હોય પણ ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ભાવના ન હોય તો એ આસુરી અને ગુણ ન હોય પણ જો ભાવના હોય તો દૈવી
Ok
» ગુણ ન હોય અને કેવળ ભાવના હોય તો એનો વિશ્વાસ ન કહેવાય
Ok
» મોટાના રાજીપા અને કુરાજીપાથી ગુણ અને અવગુણની દ્રષ્ટિ આવે છે
Ok
» અવળી પરિસ્થિતિમાં પણ એને ગુણ જ આવે એ દૈવી ભાવ છે
Ok
» સવળી પરિસ્થિતિમાં પણ અવગુણ જ આવે અને ભાવના ન વધે એ આસુરી ભાવ છે
Ok
» જ્યાં જેટલો ગુણ આવે છે એટલી ભાવના છે અને જ્યાં જેટલો ધૂંધવાટ થાય છે એટલો અહમ છે
Ok
» શુભ વાસના વૃદ્ધિ પામે એટલે સદભાવના વૃદ્ધિ પામવી અને બીજાનો ગુણ આવવો
Ok
» અસદ વાસના વૃદ્ધિ પામે એટલે અસદ ભાવના વૃદ્ધિ પામવી અને અવગુણ આવવો
Ok
» પોતે ધૂંધવાતો હોય એ પોતાને ખબર નથી પડતી પણ બીજાની આંખોમાં આંસુ આવી જાય ત્યારે સમજવું કે પોતે ધૂંધવાય છે
Ok
» અસુરોમાં ગુણ તો હોય છે અને બીજાના ગુણને પણ જાણે પણ તેને સ્વીકારે નહીં અને તેમાં ભાવના પણ ન હોય
Ok
» બીજાના સમર્પણને જુવે તો શુભ ભાવના વધે
Ok
*Title
- _દેશ અને કાળ કેવી રીતે બદલે ?_
» ક્રિયા ને ઈરાદો બંને સારા હોય તો પુરુષનો પ્રભાવ પડે છે
Ok
» ક્રિયા બદલવાથી કાળ બદલે છે અને કાળ બદલાય તો દેશ બદલાય છે પણ ક્રિયા બદલવાનું કારણ પુરુષ છે, राजा कालस्य कारणं
Ok
» સાધુને તો વળ ચઢી જવો જોઈએ કે મારે સતયુગ પ્રવાર્તાવવો છે
Ok
» કળિયુગમાં નબળા દેશથી ભાગવું એવું ન રાખવું પણ સારો દેશ create કરવો
Ok
» યોગ્ય કાળમાં યોગ્ય ક્રિયા કરી લે તો એ વધારે ફળદાયક થાય છે દાખલા તરીકે સવારમાં પૂજા કરે
Ok
» આપણી આજુબાજુમાં નબળો પ્રભાવ પડે તો પોતાની સામે જોવું
Ok
» ભગવાનના માર્ગમાં પ્રારબ્ધ અને કૃપા એ પુરુષ પ્રયત્ને આધારે છે
Ok
» સતયુગ અને કળિયુગમાં ફેર ક્રિયા અને મેન્ટાલીટીનો જ છે
Ok
» પ્રાચીન તીર્થ કરતાં આધુનિક તીર્થ વધારે શ્રેષ્ઠ ગણાય કારણકે આધુનિકમાં ક્રિયાનો પણ લાભ મળે, પ્રાચીનમાં પુણ્ય થાય
Ok
» ક્રિયા સારી હોય અને પ્રભાવ નબળો પડે નાટકીયતા હોય છે
Ok
» સમર્થ હોય એને તો સારો દેશ અને કાળ create કરવો, અસમર્થ હોય એને સેવવો
Ok
» અપોર્ચ્યુનિટી કોઈ આપી ન જાય આપણે પોતે ઉભી કરવી પડે છે
Ok
» સત્પુરુષનો સંગ એટલે આસક્તિ પણ તેની સાથે-સાથે સારો દેશ, કાળ, ક્રિયામાં પણ આસક્તિ હોવી જોઈએ
Ok
» સત્સંગ છે એ ભક્તિનો અને બીજા સાધનનો જન્મદાતા છે
Ok
*Title
- _ઘાટના ડંસ કેમ ટળે ?_
» નિર્માની થઈ જાય એટલે વાસના બળી ન જાય એના માટે અલગ પ્રયત્ન કરવો પડે છે
Ok
» ડંસ બેસવો એટલે ઉત્કટ ઇચ્છા થવી
Ok
» રજોગુણ સંબંધી ઘાટ એટલે વાસના
Ok
» સ્વાધ્યાય એટલે વેદ કંઠસ્થ કરવા તેમ વચનામૃતને વારંવાર રીપીટ કરે તો એનો અર્થ લાંબા કાળે સમજાય છે
Ok
» સત્વગુણથી દસ ગણી જડતા રજોગુણમાં હોય છે અને એનાથી દસ ગણી તમોગુણમાં હોય છે એટલે સત્વગુણ કરતા સો ગણી જડતા હોય છે
Ok
» નબળા ઘાટ થાય એને પ્રથમ તો દબાવવાનો પ્રયત્ન કરવો અને ન દબાય તો તેનાથી પોતાને નોખું માનવું
Ok
» હેતને આધારે શબ્દો કામ કરે છે
Ok
» વચનામૃત કંઠસ્થ કર્યું હોય પણ સત્પુરુષમાં હેત ન હોય તો એ કામ આવતું નથી
Ok
» પ્રકાશ એટલે વિવેક આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી
Ok
» જેવો આહાર-વિહાર કરે એવો ગુણ વર્તે છે
Ok
*Title
- *મોટાઈ શેનાથી છે ? *”
» આપણે ક્રિયા કરીએ છીએ એનાથી મહાનતા નથી પણ શા માટે કરીએ છીએ, કેટલું કરીએ છીએ, અને કોને માટે કરીએ છીએ કરીએ છીએ એનાથી મહાનતા છે.
Ok
» આપણે કોઈપણ સાધન કરીએ કે સંસ્થાની પ્રવૃત્તિ કરીએ એ મહારાજના વચને કરીને કરવી પોતાના મનમાં ઉત્સાહ આવી ગયો હોય એનાથી ન કરવી.
Ok
» સ્વામી જ્યારે શાસ્ત્રીજી મહારાજની કથા સાંભળતા ત્યારે શાસ્ત્રીજી મહારાજના શબ્દો એજીટીજ લખતા પોતાના મનને મેળે ન લખતા.
Ok
» હું ભગવાનના ભક્ત માટે કેટલો ઘસાવ છું એવો મહારાજનો સિદ્ધાંત છે.
Ok
» શરીરની ભુખ એ નીડ છે, જરૂરિયાત છે અને મનની ભૂખ એ વાસના છે શરીરની ભુખ પૂરી થાય છે મનની ભૂખ ક્યારેય પૂરી થતી જ નથી.
Ok
» માણસો શું કહે છે એ જોવાની જરૂર નથી હું શા માટે કરું છું એ જોવાની જરૂર છે.
Ok
» વિષયના સાનિધ્યમાં પણ વિષયનું ભાન ન રહે એ ઉપશમ કહેવાય.
Ok
» શબ્દો અને દૃષ્ટાંતે કરીને તાત્પર્ય હાથમાં આવે છે.
Ok
» ભાવનાથી સેવા કરતો હોય એ શ્રેષ્ઠ છે ખાલી ક્રિયા કરતો હોય એ નહીં.
Ok
*Title
- _ભક્ત અથવા અસુર કોને કહેવાય ?_
» સજ્જનતા અને ભક્તપણામાં ફેર છે સજ્જનતામાં ન્યાય હોય છે અને ભક્તપણામાં પક્ષપાત હોય છે
Ok
» અસુર હોય એટલે જ્ઞાની કે વૈરાગી ન હોય એવું ન હોય દાખલા તરીકે રાવણ
Ok
» બધાયનો અવગુણ લે એ આસુરી નથી, ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ લે એ આસુરી
Ok
» પક્ષે કરીને જેવું ભૂંડું થાય છે એવું પંચ વિષયે કરીને પણ થતું નથી એટલે કે નબળાના પક્ષે કરીને
Ok
» બધાનો ગુણ આવે એ ભક્ત નથી કારણકે જગતથી પણ પ્રભાવિત છે
Ok
» ભક્ત ન હોય અને ગુણિયલ હોય અને કદાચ એનો ગુણ લે તો વાંધો નહીં પણ ભક્ત જેવો તો ન લેવો
Ok
» મહારાજની એવી ઈચ્છા ખરી જે ભગવાનના ભક્ત હોય એ સજ્જન પણ હોવા જોઈએ
Ok
» બીજુ બધુ વાંચતા હોય પણ સાથે સાથે સંપ્રદાયના મૂળ ગ્રંથો પણ વાંચવા જોઈએ તો બીજાને મહારાજની ઉપાસના સમજાવી શકે
Ok
» ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ રાખે એ ભક્ત છે કેવળ ભક્તિ કરે એ નહીં
Ok
» વખાણ કરવા અને ગુણ લેવો એમાં ફેર છે, વખાણ ક્યારેક મજબૂરી પણ હોય છે
Ok
» વિષયી એટલે એના વિના રહી ન શકે, કોઈ તેમાં ભંગ પાડે તેની સાથે ઝઘડો કરે
Ok
» રસની અભિવ્યકતિ ક્યારે થાય તો કોક મુકાવે ત્યારે
Ok
*Title
- _ધન, સત્તાનો મદ કોને કહેવાય ?_
» મહારાજને જગતનો ત્યાગ કરવામાં અને સત્સંગમાં અને ભગવાનમાં ચોંટવામાં રસ છે, ધન અને સત્તામાં નહીં
Ok
» આપણે ભગવાન ભજીએ અને પછી બીજાને ભજાવીએ તો મહારાજ રાજી થાય, એવો મહારાજનો હ્રદગત અભિપ્રાય છે
Ok
» આપણે બીજાને મહારાજ ઓળખાવી શકતા નથી એનો અર્થ એ છે કે આપણો નિશ્ચય હજી કાચો છે
Ok
» ભોગ ભોગવવા એ મદ નથી પણ ધન, સત્તાથી બીજાને નીચા દેખાડવા એ મદ છે
Ok
» મહારાજ દરબારોને ત્યાં રહેતા હતા, સત્સંગ કરાવતા હતા પણ દરબારો કેવળ મોટા ન હતા દૈવી હતા એટલે મહારાજ રોકાયા હતા
Ok
» મહારાજને મોટા માણસો સાથે નથી બનતું કારણકે એને ધન અને સત્તામાં રસ છે અને મહારાજને જીવ ભગવાનમાં ચોંટે એમાં રસ છે માટે
Ok
» હિન્દુ ધર્મમાં પોતાનું કલ્યાણ રૂંધાય નહીં ત્યાં સુધી અહિંસા પાળવી એવો અભિપ્રાય છે
Ok
» જગતના પદાર્થ ભેળા રાખીને ભગવાનમાં ચોટી શકાતું નથી
Ok
» ત્યાગ કરવાનો આનંદ એ મેળવવાના આનંદ કરતા વધારે હોય છે
Ok
» મહારાજે વગર પૈસે સત્સંગનું સ્થાપન કર્યું છે
Ok
*Title
- _ઇન્દ્રિય જડ છે કે ચૈતન્ય ?_
» ભાવનાથી જ ભાવનાનો નાશ થાય છે એટલે ભગવાનની ભાવના કરતો જાય તેમ તેમ જગતની ભાવના ઓછી થતી જાય, કારણ શરીરનો નાશ થતો જાય.
Ok
» બ્રહ્માંડનો પ્રલય ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ શરીરનો પણ નાશ થતો નથી
Ok
» કાર્યકારણ ભાવ છે એ તત્ત્વમાં છે, ઇન્દ્રિયોમાં નથી
Ok
» મહાપુરુષો જે માહોલનું સર્જન કરે છે એનું બેનિફિટ મુમુક્ષુને મળે છે પણ એમના ઈન્દ્રિયોનો બેનિફિટ મળતો નથી
Ok
» કોઈ ક્રિયા કરે તો ભક્તિ સિદ્ધ ન થાય, ભાવના જરૂરી છે
Ok
» વિષયનો યોગ થાય અને વિકૃતિ ન થાય તેને જિતેન્દ્રિય કહેવાય
Ok
» જીવના પાવરથી ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે
Ok
» સૂક્ષ્મ શરીર વિના જીવ પોતાનું કલ્યાણ સાધી શકતો નથી
Ok
» જીવ ધર્મભૂત-જ્ઞાનને ટ્રેન કરે છે, ઇન્દ્રિયોને ટ્રેન નથી કરતો
Ok
» ટ્રેનિંગ છે ચૈતન્યને લાગે છે, જડને નથી લાગતી
Ok
» જીવનમાં જ્યારે વિષયોના દોષની સૂગ ચડી જાય ત્યારે જિતેન્દ્રિય થવાય છે
Ok
ગુણાતીતાનંદ સ્વામીની વાતો (રાજકોટ ગુરુકુળ)
Ok
*Title
- _મોટેરાને શેનું તાન હોવું જોઈએ ?_
» સત્સંગમાં મહારાજની અનન્ય ઉપાસના પ્રવર્તાવવી, આજ્ઞા પાળે ને પ્રવર્તાવે, નિષ્ઠા પ્રવર્તાવે એનાથી મોટાઈ છે, કેવળ ગેધરીંગથી નહીં
Ok
» લીડરને જેવું તાન હોય એવું નીચેના માણસોને ચડે છે
Ok
» શ્રીજી મહારાજ પછી જે પરંપરા બ્રેક થઈ ગઈ હતી તે શાસ્ત્રીજી મહારાજે ફરીને સજીવન કરી
Ok
» જો આપણું ચાલતું હોય તો ભજન કરાવવું ને મહારાજની નિષ્ઠા કરાવવી એવો મહારાજનો અભિપ્છે ય છે
Ok
» મોટેરાની હેસિયત ઉપાસના અને આજ્ઞા પ્રવર્તાવે એમાં છે.
Ok
ગુણાતીતાનંદ સ્વામીની વાતો (રાજકોટ ગુરુકુળ)
Ok
*Title
- _વિષય ભગવાન સંબંધી ક્યારે થાય ?_
» વિષય એટલે એકરસ થઇ જવું
Ok
» જેના પરિણામરૂપે ભગવાન સાંભરે તેને ભગવાન સંબંધી વિષય કહેવાય
Ok
Addict* થાય ત્યારે એ વિષયી થયો કહેવાય
Ok
» રસ છે એ પુરુષાર્થનો પ્રેરક છે
Ok
» મુળજી ભગત ભક્તચિંતામણીના બે પ્રકરણ વાંચે તો તાવ પણ ઉતરી જતો એને વિષયી* થયા કહેવાય
Ok
» મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી આદિક સંતોની એવી ટેક હતી કે સેવા કરતાં કરતાં અમારો દેહ પડે
Ok
» ગુજરાન કરતા હોય એને વિષયી ન કહેવાય
Ok
» રસની ઓળખાણ ક્રિયા ઉપરથી થાય છે
Ok
» પોતાનો કોઈ સ્વાર્થ ન હોય એનાથી ક્રિયા ઓટોમેટીક ભગવાન સંબંધી નથી થતી ભગવાનને ઓફર કરવી પડે છે
Ok
સેવા હોય ત્યારે જ હું કોમ્પ્યુટરને અડીશ “ એવી રીતે ઉપયોગ કરે તો એ રસને ડાઈવર્ટ કર્યો કહેવાય
For each activity try to infuse the idea of performing it as seva. An offering to God with mahima and to please Him.
» કમ્પ્યુટર, મોબાઇલ પોતાના પ્રાઈવેટ રસ માટે ન વાપરવું, સેવા માટે જ વાપરવું એ ભક્તિ છે
Ok
*Title
- _આજ્ઞાથી અને આજ્ઞામાં રહીને પ્રવૃતિ કરવી._
» આજ્ઞાથી પ્રવૃત્તિ કરે તોપણ વિકૃતિ થાય, જો નિયમમાં રહીને કરે અને વધારે ઓછું ન કરે તો વિકૃતિ ન થાય
Ok
” સેવા કરી નવ મોજ માંગે “ મોજની ઈચ્છા રાખે છે એની દાનત બોદી છે, લાલચુ માણસનું કામ છે, કૃપાનું પાત્ર નથી
In return of seva I must not ask for more pleasure / comfort. Instead, ask for more seva to please God.
» આ વચનામૃતમાં આત્મનિષ્ઠાવાળો એટલે સ્વકેન્દ્રિત ત્યાગી
Ok
» ત્યાગી થઈને પણ સેવા પ્રવૃત્તિ કરે છે એ કૃપાનું પાત્ર છે અને કેવળ આજ્ઞામાં રહે છે એ દયાનું પાત્ર છે
Ok
» મહારાજની આજ્ઞા પાળવી એટલે શિક્ષાપત્રી પાળવી, આશ્રમના ધર્મો પાળવા
Ok
» આજ્ઞાથી પ્રવૃત્તિ કરતો હોય પણ જો આજ્ઞામાં રહીને કરે તો મહારાજ વધુ રાજી છે
Ok
» આજ્ઞાથી આગળ જઈને અથવા પાછળ રહીને જો નિયમ પાળે / ન પાળે તો એ દેહાભિમાની જ છે
Ok
» ब्राहविताम अपि क्रियावान वरिष्ठ
છે એ ઉપનિષદની વાત મહારાજે સરળ ભાષામાં આ વચનામૃતમાં કરી છે
» જે કંઈ પ્રવૃત્તિ કરવી તે મહારાજ, નંદ સંતો કે શાસ્ત્રીજી મહારાજના રેફરન્સથી કરવી
Ok
» જે *વિશેષ પ્રવૃત્તિ કરે છે કે એણે ચેલેન્જ લીધી છે
Ok
» ઉન્મત્ત થકો એટલે જેને મિશન સાથે કંઈ લેવાદેવા ન હોય
Ok
» ખરખરો કોનો કરવો ? જે નિષ્ક્રિય છે અથવા સ્થાન ખાલી ન કરે તેનો
Ok
*Title
- _ભગવાનનો આનંદ કેમ આવે?_”
» સંપત્તિ, સત્તા, અને ભોગ પ્રારબ્ધમાં હોય એટલા જ મળે છે આજ્ઞા પાળે તેના આધારે નથી મળતા એને આધારે તો ભગવાનનું સુખ મળે છે.
Ok
» ભગવાનનો આશરો કર્યા પછી જેટલો ભગવાનનો વિશ્વાસ હોય અને જેટલી આજ્ઞા પાડે એટલો ક્લેસ ઓછો થાય છે.
Ok
» ભગવાનના ભક્તમાં બે પ્રકાર છે જેને પૂર્વ સંસ્કાર હોય એ જલ્દી ભગવાનમાં ચોટી શકે છે અને ન હોય એને જોડવા પડે.
Ok
» ભગવાનની આજ્ઞા પાળે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદને પામે છે.
Ok
» ભગવાનનો આશરો કર્યા પછી કર્મ નથી નડતા પણ આપણી ઢીલાશ નડે છે.
Ok
» શાસ્ત્રનુ રહસ્ય કાઢવું એ અલગ વસ્તુ છે ને એ માર્ગે ચાલવું એ અલગ વસ્તુ છે.
Ok
» ભગવાન અને ભગવાનના સંતની ક્રિયામાં, નિર્ણયમાં અસંતોષ રહે, ખામી દેખાય, વિશ્વાસ ન આવે એ આપણી બુદ્ધિની દૂષિત થતતા છે.
Ok
» ભગવાનના માર્ગે ચાલવાની બુદ્ધિ રાજીપાથી આવે છે.
Ok
» આ વચનામૃતમાં ભગવાનનો આશરો હોય તો પણ ભગવાનમાં ચિત કેમ ચોટતું નથી? એવો પ્રશ્ન છે.
Ok
» ભગવાને કળ ચડાવી મૂકી છે એટલે કળનો અર્થ કે જીવનો એવો સ્વભાવ છે કે હેત કર્યા વિના રહી ન શકે.
Ok
» આંધળુક્યુ સંસારમાં હેત કરે છે અને પાટા ખાય છે પછી ભગવાનમાં પણ હેત કરવા યોગ્ય રહેતો નથી.
Ok
» ભગવાનની પ્રાપ્તિ થઇ હોય, ઓળખાણ થઈ હોય પણ જો આજ્ઞા ન પાળે તો ભગવાનમાં ચિત ન ચોંટે આશરો હોય તોપણ.
Ok
» જેને પૂર્વનો સંસ્કાર ન હોય એ માઇક પદાર્થનો સંગ ન રાખે તો એનું ચિત્ત ભગવાનમાં ચોટે.
Ok
*Title
- _બુદ્ધિ પવિત્ર કેમ થાય ?_
» અસલી સાધુમાં અવિશ્વાસ થાય એને નકલી સાધુમાં વિશ્વાસ આવે જ. દા.ત. સીતાજી
Ok
» ત્યાગી થઈને જેને ગૃહસ્થ ઉચિત ભોગની ઈચ્છા રહે છે એ એની કંગાલિયત / રાંકાઈ છે
Ok
» નબળી વ્યક્તિ કે વસ્તુમાં જેને હેત થાય છે એ ભગવાનનો કોપ / શાપ છે
Ok
» મૌન, મૂંઝવણ, રીસાવું અને અસહકાર એ ક્રોધના સ્વરૂપો છે
Ok
» ક્રોધ, માન, ઇર્ષા અને કપટ એ ચારમાંથી એક પણ જો ભગવાનના સંત સાથે હોય તો આસુરી બુદ્ધિ થાય છે
Ok
» ત્યાગી થયા પછી પ્રતિકૂળતા ન ઇચ્છે તો પણ અનુકૂળતાનો ભડભડિયો ન રાખવો
Ok
» જગતના માર્ગમાં તુચ્છ વસ્તુ ઉપયોગી નથી તેમ નુકસાનકારક પણ નથી જ્યારે કલ્યાણના માર્ગમાં તુચ્છ વસ્તુ એ નુકસાનકારક છે
Ok
» બુદ્ધિ પવિત્ર અને કુશાગ્ર હોય તો એ વધુ સેવા કરી શકે છે જેમકે હનુમાનજી
Ok
» કુશાગ્ર બુદ્ધિ કસરત કરવાથી થાય છે અને પવિત્ર બુદ્ધિ રાજીપાથી થાય છે
Ok
» કંગાલિયત બે પ્રકારની
પ્રારબ્ધની અને માનસિક, માનસિક કંગાલિયત જવી અઘરી છે
» મૂંઝવણ એ ક્રોધનું જ સ્વરૂપ છે પણ તેમાં જો પોતાનો અવગુણ લે એ ક્રોધ ન કહેવાય
Ok
» ત્યાગીની કંગાલિયત એ માનસિક રોગ જેવી છે
Ok
» ભગવાનના ભક્તનો રાજીપો એ ભગવાનને માર્ગે ચાલવાનું ટોનિક છે
Ok
*Title
- _ભગવાન કોની ચરણરજ માથે ચડાવે ?_
» જેને સંસારના બંધન તૂટી ગયા હોય એ બીજાના બંધન તોડી શકે
Ok
» દેહ અને આત્માને જે અલગ નથી જાણતા એ અણસમજુ છે
Ok
» સમર્પણની નિષ્ઠા હોય એનું કલ્યાણ થાય તો પણ બીજાનું અપમાન કરવું નહીં
Ok
» દેહ ને આત્માના સંબંધોને જુદા કરી રાખ્યા હોય તેને સંબંધી સાંભરે તો પણ બંધન કરે નહીં
Ok
» દેહમાંથી નિષ્ઠા તોડીને જે ભગવાનમાં નિષ્ઠા જોડે છે એના ચરણની રજને ભગવાન પણ માથે ચડાવે છે
Ok
» જ્યાં સગપણ મનાય છે ત્યાં સમર્પણ સેવા થાય છે
Ok
» જ્યાં સુધી એક કેન્દ્રમાં નિષ્ઠા ન હોય ત્યાં સુધી સમર્પણનું ફળ આવતું નથી
Ok
» એક ભગવાન માટે જ મરવું ને ભગવાન માટે જીવવું એવી નિષ્ઠા તપાદિ સાધનોથી નથી આવતી
Ok
» ભગવાનના પર સ્વરૂપના મહિમા સહિતની પ્રત્યક્ષ સ્વરૂપની ઓળખાણ એને પ્રત્યભિજ્ઞા કહેવાય
Ok
» સગા સંબંધીને વિસારી દેવા એટલે એનું મહત્વ મનમાંથી કાઢી નાખવું, તુચ્છ કરી નાખવા જેથી સમર્પણ ત્યાં જતું ન રહે
Ok
- એવી જેને ભગવાનને વિષે સાકારપણાની દૃઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો(લોકિક દ્રષ્ટિએ ગરીબ, ઓછી બુદ્ધિવાળો કે નાનો) હોય તોપણ એ અમને ગમે છે.
Ok
- તે ભગવાનના ભક્ત એવી પદવી પામે છે કે - તેમની ઉપર કાળ , કર્મ , માયાનો હુકમ નથી ચાલતો
Ok
- એવી નિષ્ઠાવાળા જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ
Ok
- તેને દુઃખવતા થકા મનમાં બીએ છીએ
Ok
- તેનાં દર્શનને પણ ઈચ્છીએ છીએ.
Ok
- એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાહ્યા છે
Ok
- એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજૂરમાં રહે છે.
Ok
- તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે
Ok
- એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે.’’
Ok
- આ ભક્ત - યથાર્થ ભગવાનના ભક્ત છે
Ok
- તેમને મહારાજ કહે છે તે મુજબ - ભગવાનની નિષ્ઠાવાળા સંતની પદવી મળે છે
Ok
*Title
- _આત્મારૂપ વર્તન એટલે શું ?_
» સંકલ્પ થાય અને તરત એ પ્રમાણે પ્રવૃત્તિ કરે એને ડંશ બેઠો કહેવાય
Ok
» આત્મારૂપે વર્તન એટલે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માની વર્તમાન ને પાળવા
Ok
» વિવેક છે એ વાસનાને ઓળખાવે છે અને દબાવે છે પણ નાશ નથી કરી શકતો, નાશ તો ઉપાસનાથી થાય છે
Ok
» ભક્તિ, સેવા, ધ્યાન એ ઉપાસના ન કહેવાય એમાં ભગવાનનું સ્મરણ અને અનુસંધાન હોય તો ઉપાસના થાય
Ok
» boss , મહંત થયા પછી નિર્માની થાવું કઠણ છે
Ok
» સેવા કરતાં કરતાં રાજી કરવાનું અનુસંધાન રાખે તો આત્મભાવ વધે અને પોતાનું સેટીંગ કરે તો દેહભાવ વધે
Ok
» નબળી વાસના ટાળવી હોય તો સારી વાસના વધારવી
Ok
» પ્રવૃત્તિથી આત્મભાવ અને આત્માભાવથી ઉપાસના અર્થાંતર છે એટલે અલગ પદાર્થ છે
Ok
» સેવામાં સેટ થાય એવી સ્કિલ એ પાંડિત્ય કહેવાય
Ok
» નિર્વિદય્ એટલે સારી રીતે જાણીને
Ok
» ઉપાસના કરવી હોય તેણે સારામાં સારી સ્કીલ મેળવીને પછી નિર્માની રહેવું
Ok
» વાસનાનો તપાસ કેવી રીતે કરવો ? અથવા તો નામું કેવી રીતે લખવું ? તો આખા દિવસનો સારામાં સારો અને નબળામાં નબળો સંકલ્પ લખવો
Ok
» સંકલ્પ છે એ વાસનાનું મૂર્તિમાન સ્વરૂપ છે
Ok
» આત્મારૂપે વર્તે તેને સાચો અને પૂરો ત્યાગી કહેવાય
Ok
» પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં વાસના વધારવી કે ઘટાડવી એ પોતાના સંકલ્પ ઉપર આધારિત છે
Ok
» તપશ્ચર્યા વાસણા ટાળવી હોય તેને મદદરૂપ થાય છે
Ok
» વાસનાને કોઈ આકાર પ્રકાર નથી એ ગંધ સ્વરૂપ છે
Ok
» ખાલી ક્રિયા કરે તો વાસના વધે ભક્તિ કરે તો ધીરે-ધીરે વાસના ટળે ઉપાસના કરે તો તત્કાલ ટળે
Ok
» સારા દેખાવાની પ્રેક્ટિસ કરવી સારા થવાની પ્રેક્ટિસ કરવી
Ok
» હું સ્કીલ કરતા જુદો છું એમ માને એ જીવ
Ok
» ભગવાને મારા દ્વારા સારું કામ કર્યું એવું થાય એને સંતોષ કહેવાય અને કમ્પેરીઝન કરે તો ego કહેવાય
Ok
*Title
- *ઉપાસના પૂરી ક્યારે કહેવાય? *”
» ઉપાસનામાં ત્રિપુટી હોય છે ઉપાસ્ય મૂર્તિ, ઉપાસનાનું સ્થાન, અને આદર્શ સેવક એનો નિર્ણય ન હોય તો ગડબડ થઈ જાય છે.
Ok
» નવા શાસ્ત્રો બનાવવા તે મૂળ શાસ્ત્રને સહેલાઇથી સમજાવવા માટે, સમય પ્રમાણે ભાષા બદલી ગઈ હોય એટલા માટે પણ મૂળમાં કાણા કરવા માટે નહીં.
Ok
» ગોલોક મધ્ય અક્ષરધામ એ કમ્પેરીઝનના અર્થમાં નિર્ધારણ ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ થયો છે એટલે કે ગોલોકની દ્રષ્ટિએ અક્ષરધામ.
Ok
» રાધાજી લક્ષ્મીજી નર ભગવાન કે અક્ષર બ્રહ્મ એ બધા આદર્શ સેવક તરીકે લેવાના છે ઉપાશ્રય તરીકે નહીં.
Ok
» ત્રિપુટીમાં મૂર્તિ મુખ્ય છે તો પણ ઘણીવાર ઉપાસ્ય મૂર્તિનો નિશ્ચય હોય અને સ્થાનકનો નિશ્ચય ન હોય તો પરિણામ આવતું નથી.
Ok
» આપણે શિક્ષાપત્રી અને સત્સંગીજીવનના આધારે જ આપણું વર્તન રાખવુ.
Ok
» સંપ્રદાયો ગુરુ ક્રમ
એટલે કે વિશુદ્ધ પરંપરા, જ્ઞાનનો વારસો.
» ભગવાનના આદર્શ સેવકનો નિશ્ચય છે એ અક્ષરધામની કૂચી છે.
Ok
*Title
- _ભગવાનનું સુખ કેમ આવે ?_
» આ વચનામૃતમાં ભગવાન અને સંતની ઓળખાણ એટલે ભગવાનના સુખની ઓળખાણ થવી જોઈએ
Ok
» ભગવાનના સુખનો માર્ગ એ ભગવાનની ભક્તિ છે એટલે ભક્તિ કરતા કરતા ભગવાનના સુખની અનુભૂતિ થવી જોઈએ
Ok
» જ્યાં સુધી એક તણખલા જેટલી પણ જગતના સુખની ઈચ્છા હોય ત્યાં સુધી ભગવાનનું સુખ આવતું નથી
Ok
» કોઈપણ ક્રિયા કરવામાં ૩ લેયર હોય છે 1. સ્થૂળ ક્રિયા 2. ક્રિયા કેવી રીતે કરવી? અને 3. ક્રિયા પાછળની ભાવના
Ok
» ભગવાનનું સુખ કેવળ ભગવાનના ભક્ત માટે જ નથી પણ ઈન્દ્રિય, અંતકરણ અને જીવ એ ત્રણે પ્રવર્તે એ બધાને ભગવાનનું સુખ પ્રાપ્ત થાય છે
Ok
» સંસ્કારો કેવળ મનુષ્ય દેહમાં જ પડે છે પણ પશુ યોનિમાં કે નરકમાં સંસ્કારો પડતા નથી
Ok
» एको मानुषो आनंद એ શ્રુતિમાં ભગવાનનું સુખ પ્રાપ્ત થાય એમ કહ્યું છે તેમાં કન્ડિશન છે કે अकाम हतस्य એને ભગવાનનું સુખ પ્રાપ્ત થાય
Ok
» ભગવાનના સુખનો પ્રવાહ આપણી બાજુમાંથી જાય છે તોપણ ભગવાનનું સુખ આવતું નથી કારણ કે જગતની કાંઈક ઈચ્છા છે
Ok
» જેવી રીતે સ્વપ્નનું ઘર, સ્વપ્નની ગાડી એમ ભગવાનનું સુખ ઓળખાઈ જાય તો જન્મ સુધરી જાય
Ok
» ભારતમાં મનુષ્ય જન્મ દુર્લભ એટલે ભારતીય માનસિકતા જ્યાં હોય ત્યાં.
Ok
» નિષ્કામ ભક્તિ યોગ કરે તો કરતાં કરતાં પણ આનંદ આવે ને સકામ ભક્તિયોગ તો મર્યા પછી થોડું સુખ આવે
Ok
*Title
- *કોણ ગોથાં ન ખાય? *”
» ગાફલાય છે તે ગોથા ખાવાનું મોટું સાધન છે.
Ok
» ટેકથી જેવુ નિર્વિકારી થવાય છે તેવું જ્ઞાન અને વૈરાગ્ય નથી થવાતું નથી તે તો સપોર્ટ સાધન છે.
Ok
» બ્રહ્માજી અને શિવજી જેવા મોટા મોટા ગોથા ખાઇ ગયા પણ જનક મહારાજાને આટી હતી એટલે નિર્વિકારી રહ્યા.
Ok
» પોતાના મનમાં એવી આંટી પડી ગઈ હોય કે આ વિષયો ઝેર છે તો તેનાથી નોખો પડી શકે.
Ok
» ગમે તેવો મુમુક્ષુ હોય તો પણ તેને guideline ની જરૂર પડે છે.
Ok
» મોટાભાગના સાધકો પોતાની નબળાઈ સાથે સાઠ ગાઠ કરી લેતા હોય છે.
Ok
» નાનામાં નાનો જીવ હોય તો પણ આવી સમજણની આટી પાડે તો પાર ઉતરી જાય છે.
Ok
» જેણે આટી પાડી હોય તેનાથી આટી પડે છે.
Ok
» સૂર્યને ઠેકાણે સત્પુરુષ છે અને નેત્રને ઠેકાણે મુમુક્ષુ છે.
Ok
» વિષય અને ઈન્દ્રિયોનો સહયોગ એટલે અનુલોમ.
Ok
» નિષ્કુળાનંદ સ્વામીએ આટી પાડી હતી એટલે લેવાણા નહીં અને વિભાંડક ઋષિએ આટી પાડી નોહતી એટલે પોત્રાને જોઈને ગળી ગયા.
Ok
» અમને કાંઈ ન થાય એવો ઈગો રાખે તો મોટા મોટા પણ ગોથા ખાઈ જાય છે એવું how do mighty fall માં બતાવ્યું છે.
Ok
» વસિષ્ઠ મુનિ યાજ્માનમાં લેવાય ગયા એમાં ગોથું ખાઈ ગયા.
Ok
» પોતાના દોષોનું કલેક્શન કરીને એમાંથી નીકળવાની આટી પાડવી.
Ok
*Title
- _ધ્યાન કેમ કરવું._
» ધ્યાનમાં સંકલ્પ બંધ કરવાના નથી હોતા ઉલ્ટા ભગવાનની મૂર્તિના સંકલ્પ ની ધારા કરવાની હોય છે.
Ok
» ભગવાનની ફીલિંગ ને ડેવલોપ કરવી એટલે ધ્યાન કહેવાય.
Ok
» જેવા ભગવાનના દર્શન કરતાં હોઈએ તેવું ધ્યાન થતું હોય છે.
Ok
» ફિલિંગ મા બે પ્રત્યે ન હોવા જોઈએ એક જ હોય ત્યારે ધ્યાન કહેવાય.
Ok
» પોતાને ધ્યાન કરવા માટે પોતાની ટેકનીક ગોતી રાખવી જોઈએ.
Ok
» ખુલ્લી આંખે કરે તેને દર્શન કહેવાય અને હાલતા ચાલતા કરે તેને સ્મરણ કહેવાય અને એક જગ્યાએ બેસીને કરે એને ધ્યાન કહેવાય.
Ok
» પ્રત્યેકતાન્તા એટલે ફીલિંગ નો વેગ.
Ok
» એકાંતિક હોય તેને જ ભગવાનની મૂર્તિમાં રસ આવે.
Ok
» પ્રત્યેકતાન્તા ધ્યાનમ તે યોગનો માર્ગ છે અને રાગોપહતીર ધ્યાનમ તે સંખ્યા નો માર્ગ છે.
Ok
» ધ્યાન નું કેન્દ્ર ભગવાનની મૂર્તિ છે, અને ધ્યાનનું મૂળ દર્શન છે.
Ok
» આ વચનામૃતમાં બતાવેલો ધ્યાન નો રસ્તો જાણીતો નથી માટે બીજા જાણીતા ધ્યાન ના રસ્તે જવું ભૂલા પડી એ તો કોઈ ગાઈડ કરવા વાળો મળે.
Ok
*Title
- _અનુવૃતિ કોણ પાળી શકે?_”
» અનુવૃત્તિ સહિતની ભક્તિ થોડી હોય તો પણ ઝાઝી છે અને શ્રેષ્ઠ છે અને અનુવૃત્તિ રહિત ની ભક્તિ ઝાઝી કરે તો પણ થોડી છે અને કનિષ્ઠ છે.
Ok
» શાસ્ત્ર પ્રમાણે હોય અને શાસ્ત્રોમાંથી પોતે પકડેલી હોય એ ભક્તિ અનુવૃત્તિની ભક્તિ ન કહેવાય.
Ok
» જ્ઞાન વૈરાગ્ય સહિતની ભક્તિનો અર્થ એવો છે કે અનુવૃત્તિ પૂર્વકની ભક્તિ.
Ok
» જેને પોતાનો હિડન એજેન્ડા ન હોય એ જ અનુવૃત્તિની ભક્તિ કરી શકે.
Ok
» આજે આપણે અનુવૃત્તિ કેવી રીતે સમજવી તો એક તો મહારાજે વચનામૃતમાં કહ્યું હોય કે અમને આ ગમે છે અને આ ગમતું નથી છે એના આધારે અને બીજું આપણા બાપ દાદાઓ અનુવૃતિ પ્રમાણે જ કરી ગયા છે તે પ્રમાણે કરીએ તો મહારાજની અનુવૃતિ પ્રમાણે થાય. થાય
Ok
» મધ્યના 26માં વચનામૃતમાં આત્મજ્ઞાન આદિ સાધનો અને ભક્તિની કમ્પેરીઝન છે અને આ વચનામૃતમાં આત્મજ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ અને રહિત ભક્તિની કમ્પેરીઝન છે.
Ok
» શાસ્ત્રીજી મહારાજે ગુરુકુળની સ્થાપના કરી તેની પાછળ પોતાનો કોઈ પ્રાઈવેટ એજન્ડા ન હતો મહારાજના એજન્ડાને પૂરો કરવા માટે હતો.
Ok
*Title
- _ઉપશમ એટલે જગતથી ડીસકનેક્શન._”
» ઉપશમ એટલે જગતથી ડીસકનેક્શન થવું.
Ok
» સેવા કરતા-કરતા જો માનમાં રસ આવી જાય તો એને ઉપશમનું બારણું બંધ થઈ જાય છે.
Ok
» પંચ વિષયનું ચિંતન એ જન્મ મરણનું કારણ છે પંચવિષય નહીં.
Ok
» આત્મારૂપ થઈને ભગવાનનું ધ્યાન કરે તો પંચવિષયથી ડીસકનેક્શન થઈ જાય છે.
Ok
» ભગવાનનો અતિશય મહિમા સમજે તો પણ ઉપશમ દશા છે.
Ok
» ભગવાનના ભક્તની નિષ્કામ ભાવથી વેગપૂર્વક સેવા કરે તો પણ ઉપશમ દશા આવે છે.
Ok
» વિષય રસને સેવા રસથી રિપ્લેસ કરે તો વિષયથી ડીસકનેક્શન થાય.
Ok
» સેવા કરતા કરતા માનરસ આવી જાય તો ઉપશમ ન આવે એટલા માટે ગરજુ થઈને સેવા કરે તો માનરસ ન આવે.
Ok
» ભગવાનના ચિંતનનો વેગવાન પ્રવાહ ચાલે તો પંચવિષયથી ડીસકનેક્શન થાય.
Ok
» અતિશય ભોળા હોયને સમર્પણ બહુ કરતા હોય તો બીજા લોકો એનો લાભ લે તો પણ ઉત્સવ ન આવે માટે એણે બીજાને પૂછીને સમર્પણ કરવું અયોધ્યા વાસીની જેમ.
Ok
» પૂજામાં, સેવામાં, દર્શનમાં, રસ ત્યારે આવ્યો કહેવાય કે એ પૂરું થયા પછી કેટલો લાંબો સમય સુધી સાંભરે છે.
Ok
» પંચવિષયનું ચિંતન જન્મમરણનું કારણ છે એટલે ખાલી પંચ વિષય જ નહીં પણ કોઈ પણ પદાર્થ, વ્યક્તિ, સ્થાન, પરિસ્થિતિમાં અનુકૂળતા એ બધા જ પંચવિષય થઈ શકે છે.
Ok
*Title
- _વૈરાગ્ય અને આત્મનિષ્ઠાનો Role._
» પોતાના પ્રાઈવેટ અહમ ગૌણ કરી સામૂહિક અહમને એટલે કે મિશનને મહત્વ આપે તો એ ટીમ વર્ક કરી શકે
Ok
» સાચી ભક્તિ અનુકૂળતામાં પણ વધે છે અને પ્રતિકૂળતામાં બમણી વધે છે
Ok
» ભગવાન માટે સહન કરે એને આત્મનિષ્ઠા કહેવાય છે સંસાર માટે સહન કરે એને ગધ્ધા મજુરી કહેવાય છે
Ok
» લાલચ અને ભય હોય એની ભક્તિમાં દેશકાળે વિઘન થઈ શકે છે
Ok
» ભગવાનના માર્ગમાં તો પ્રતિકૂળતાનો પણ લાભ લઈ શકાય છે સંસારમાં એવું ન પણ હોઈ શકે
Ok
» સાચી ભક્તિનો સ્વભાવ એવો છે કે પ્રતિક્ષણ વધતી વધતી રહે છે
Ok
» મહારાજે ભૂંડા દેશકાળમાં ભક્તિમાં વિઘ્ન ન થાય એના માટે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા બંને કહ્યા છે એટલે એ બંનેનો અલગ-અલગ રોલ છે
Ok
» પંચવિષય અને પદાર્થોની લાલચને વૈરાગ્ય દૂર કરે છે જ્યારે સુખ દુઃખ અને દેહના કષ્ટની ખામીને આત્મનિષ્ઠા દૂર કરે છે
Ok
» સૌભરી ઋષિને આત્મનિષ્ઠા હતી એટલે કષ્ટ સહન કરી શક્યા પણ વૈરાગ્યની ખામી હતી એટલે સંસાર માંડ્યો
Ok
» ભગવાનના ભક્તથી મન નોખું પડી જવું એટલે મિશનથી નોખું પડી જવું
Ok
» આપણે બધાએ ભક્તિ કરીએ છીએ પણ એવો વિચાર ક્યારેય નથી કરતા કે મારી ભક્તિ સુધી આવી ને આવી રહે અથવા વિઘ્ન ન થાય એના માટે શું કરું ?
Ok
» પંચ વિષયની આસક્તિ વૈરાગ્ય તોડાવે છે અને દેહની આસક્તિ આત્મનિષ્ઠા તોડાવે છે
Ok
» જગતની લાલચ અને દેહના કષ્ટનો ભય એ ભક્તિમાં વિઘ્ન રૂપ છે
Ok
» અક્ષરધામમાં બધા મૂકતોની રૂચી એક નથી પણ એક શાસનમાં છે
Ok
» જે મનસ્વી હોય છે એટલે કે મહારાજને રાજી કરવાનું મિશન લીધું હોય એ અનુકૂળતા અને પ્રતિકૂળતાને જોતો નથી
Ok
*Title
- _મહિમાની ઓળખાણ કઈ રીતે ?_
» મહારાજને મુક્તો અને અવતારોની સાથે કમ્પેરીઝન કરતા જે પ્લસ વધે એ એમનો મહિમા કહેવાય
Ok
» મહિમા એ પ્રાઇવેટ વસ્તુ છે આપણા અંતરમાં મહારાજ કેટલા વિશેષ મનાણા છે એ મહિમા કહેવાય
Ok
» ભગવાનનો મહિમા સમજાય તો ભગવાનમાં જોડાઈ શકે
Ok
» આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ ભક્તિમાં પ્રોટેક્ટર છે અને જ્ઞાન અને હેત ડાયરેક્ટ ભગવાનમાં જોડે છે અને પ્રોટેક્ટર પણ છે
Ok
» ભગવાનને માટે હસતે મોઢે સહન કરવું એને આત્મનિષ્ઠા અને ભક્તિ કહેવાય છે
Ok
» good થી great થવામાં મેહનત સરખી જ છે તો પણ શા માટે લોકો great નથી થતા ? સિલેક્શનમાં ફેર છે
Ok
» પરિશ્રમ સરખો હોય પણ સિલેક્શનના આધારે પરિણામ અલગ અલગ આવે છે
Ok
» પ્રારબ્ધની ભાષા અનુકૂળતા પ્રતિકૂળતા અને સુખ દુખ છે
Ok
» શિક્ષાપત્રીનું અનુસંધાન આપણા જીવનમાં રહે એ વધારે મહત્વનું છે છતાં પણ મહારાજની સ્થૂળ આજ્ઞાને overtake તો ન જ કરાય
Ok
*Title
- _ભગવાનનું પ્રધાનપણું કેમ થાય?_”
» જેને પ્રાયોરિટી આપીએ એને એની પ્રધાનતા કહેવાય
Ok
» પ્રાયોરિટી ક્રમ ને પ્રધાનતા કહેવાય
Ok
» ભગવાન ની પ્રધાનતા નથી રહેતી તેના 3 કારણ છે
Ok
» 1. વૈરાગ્ય નો અભાવ
Ok
» 2. સત્સંગ માં આવતા ઊંધુ અંગ બંધાય જાય
Ok
» 3. સત્પુરુષ માં extreme નિષ્ઠા ન થાય
Ok
» જેમાં રાગ હોય તેની પ્રાયોરિટી આપોઆપ આવી જાય છે
Ok
» કોઈ મોટાને રાજી કર્યા હોય તો તેને વૈરાગ્ય વૃત્તિ આવે છે
Ok
» ગ્રહસ્થ ધનનો બરાબર ઉપયોગ ન કરે તો સાપ થાય
Ok
» સાધુ જ્ઞાન નો બરાબર ઉપયોગ ન કરે તો બ્રહ્મરાક્ષસ થાય
Ok
» જગત ની કોઈ લાલચ કે અભરખા અંગ ને વિભ્રાન્ત બનાવે છે
Ok
» જો અંગ ને ઓળખે અને એ પ્રમાણે કરે તો સમાસ બહુ થાય અને સફળ0પણ થાય
Ok
» કલ્યાણ પ્રાપ્ત કરવું એ જીવનો જન્મસિદ્ધ અધિકાર છે
Ok
» સત્પુરુષ માં extreme નિષ્ઠા થાય તો વૈરાગ્ય ન હોય કે અંગ ન હોય તો પણ સર્વે અર્થ સિદ્ધ થાય છે નહીંતર સર્વે અર્થ જાય છે
Ok
*Title
- _નિષ્કામી વર્તમાન કઈ રીતે પાળવું ?_
» શાસ્ત્રીજી મહારાજ હું અધુરો છૂં અધુરો છૂં તેવી માળા કરતાં અને કરવાનું કહેતા તેનું કારણ નિર્માની રહેવાય
Ok
» આપણો મહારાજ સાથેનો સંબંધ જેટલો દ્રઢ થાય તેટલું નિષ્કામી વર્તમાન પાડવામાં સહેલાઈ રહે
Ok
» ધર્મ સંબંધી એક સાધન કયું છે જે એક સાધન કરીએ બધા થઈ જાય તો નિષ્કામી અને ભક્તિ સંબંધી એક સાધન એવું કહ્યું છે તો એક કરે બધાય થઈ જાય તો
Ok
» પોતાને દેહથી પર આત્માને તો મંજલ દિવસ થાય
Ok
» પોતાને આત્મા રોગમાં વા ની પ્રેક્ટિસ એટલે અમાનિત્વ અભી તત્વ નિષ્કામ અને આજે સર્વે પંચવર્તમાન ની પ્રેક્ટિસ
Ok
» શાસ્ત્રીજી મહારાજ નો આહાર ઉપર અનબિલીવેબલ કંટ્રોલ હતો
Ok
» નિષ્કામી વર્તમાન છે તે ભગવાનનું સ્વરૂપ છે
Ok
» મનથી નોખું પડવું એટલે અંતર શત્રુના પ્રસંગોથી લોકો પડવું
Ok
» મનથી આમ લોકો પડી નથી શકાતું પણ મનમાં છેલ્લા શ્વાસ સુધી બીજા કોઈ સંકલ્પ ન કરવા દેવા તેનો નોખું કર્યું કહેવાય
Ok
» ત્રણ અવસ્થા થી પર તુરીયા અવસ્થા જે ગુણાતીત અવસ્થા કહેવાય છે તેમાં વર્તવું તો મન થી જલ્દી નાખ ઉપાય
Ok
» સતત પ્રવૃત્તિ માં પોતાના મનને સતત જોડી રાખવું જો એમ ન કરે તો મન તો નબળી પ્રવૃત્તિમાં જોડાવાનું છે
Ok
» ભક્તિ માં બે પ્રકાર હોય છે એક પ્રોડક્ટ ભક્તિ અને નોન પ્રોડકટીવીટી ભક્તિ
Ok
» જોવાની ઉંમર જેની હોય તેને તો પ્રોટેક્ટિવ ભક્તિમાં સતત મને એન્ગેજ કરી રાખવું જોઈએ
Ok
» આત્માનો સાચું લક્ષણ છે સેવક ભાવ અને મહારાજે કહેલા પંચવર્તમાન તે પાડવા
Ok
» મનને વશ કરવા માટે મને ક્રિયામાં જોડે રાખવું અને પોતાને આત્મરૂપ માનવું
Ok
» દેહ ને રાખીને દેને નિયમમાં રાખવો
Ok
» દેહને છુંટુ રાખીએ તો નિયમમાં ન રહે.
Ok
» મન નવરો થાય તો હજારો વર્ષની સાધના ક્ષણમાં નાશ પામી જાય
Ok
» જેમ ક્રિકેટર ફિટનેસ રાખે છે તેમ આપણે મહારાજે આપેલ આ નિયમો અને આજ્ઞાઓને પાડી શકીએ તેઓ દેહ ને ફીટ રાખવું
Ok
» ફિટનેસ જન્મજાત હોતી નથી તે પ્રેક્ટિસ કરીને ડેવલપ કરવાની હોય છે
Ok
» દેહને છેલ્લા શ્વાસ સુધી દેહને એવું રાખવું કે મહારાજ ના બધા નિયમમાં પાડવામાં કુશળ રહે
Ok
*Title
- _નિષ્કામી વર્તમાન કઈ રીતે પાળવું ?_
»»_space; શાસ્ત્રીજી મહારાજ હું અધુરો છૂં અધુરો છૂં તેવી માળા કરતાં અને કરવાનું કહેતા તેનું કારણ નિર્માની રહેવાય
Ok
»»_space; આપણો મહારાજ સાથેનો સંબંધ જેટલો દ્રઢ થાય તેટલું નિષ્કામી વર્તમાન પાળવામાં સહેલાય રહે
Ok
»»_space; ધર્મ સંબંધી એક સાધન કયું છે જે એક સાધન કરીએ તો બધા થઈ જાય ? તો નિષ્કામી અને ભક્તિ સંબંધી એક સાધન એવું કયું છે જે એક કરે તો બધાય થઈ જાય તો નિશ્ચય.
Ok
»»_space; પોતાને આત્મા માનવાની પ્રેક્ટિસ એટલે અમાનિત્વ, અદંભીતવ્ય, નિષ્કામ અને આજે સર્વે પંચવર્તમાનની પ્રેક્ટિસ
Ok
»»_space; શાસ્ત્રીજી મહારાજનો આહાર ઉપર અનબિલીવેબલ કંટ્રોલ હતો
Ok
»»_space; નિષ્કામી વર્તમાન છે તે ભગવાનનું સ્વરૂપ છે
Ok
»»_space; મનથી નોખું પડવું એટલે અંતર શત્રુના પ્રસંગોથી નોખું પડવું
Ok
»»_space; મનથી આમ નોખું પડી નથી શકાતું પણ મનમાં છેલ્લા શ્વાસ સુધી બીજા કોઈ સંકલ્પ ન થવા દેવા તેને નોખું કર્યું કહેવાય
Ok
»»_space; ત્રણ અવસ્થાથી પર તૂર્યા અવસ્થા જે ગુણાતીત અવસ્થા કહેવાય છે તેમાં વર્તવું તો મનથી જલ્દી નોખુ થવાય
Ok
»»_space; પ્રવૃત્તિમાં પોતાના મનને સતત જોડી રાખવું જો એમ ન કરે તો મન તો નબળી પ્રવૃત્તિમાં જોડાવાનું જ છે
Ok
»»_space; ભક્તિમાં બે પ્રકાર હોય છે એક પ્રોડકટીવ ભક્તિ અને નોન પ્રોડકટીવ ભક્તિ
Ok
»»_space; જુવાની ઉંમર જેની હોય તેને તો પ્રોડકટીવ ભક્તિમાં સતત મનને એન્ગેજ કરી રાખવું જોઈએ
Ok
»»_space; આત્માનું સાચું લક્ષણ છે સેવક ભાવ અને મહારાજે કહેલા પંચવર્તમાન પાળવા
Ok
»»_space; મનને વશ કરવા માટે મનને ક્રિયામાં જોડે રાખવું અને પોતાને આત્મરૂપ માનવું
Ok
»»_space; દેહને રાખીને દેહને નિયમમાં રાખવો
Ok
»»_space; દેહને છુંટુ રાખીએ તો નિયમમાં ન રહે.
Ok
»»_space; મન નવરૂ થાય તો હજારો વર્ષની સાધના ક્ષણમાં નાશ પામી જાય
Ok
»»_space; જેમ ક્રિકેટર ફિટનેસ રાખે છે તેમ આપણે મહારાજે આપેલ આ નિયમો અને આજ્ઞાઓને પાળી શકીએ એવું દેહને ફીટ રાખવું
Ok
»»_space; ફિટનેસ જન્મજાત હોતી નથી તે પ્રેક્ટિસ કરીને ડેવલપ કરવાની હોય છે
Ok
»»_space;છેલ્લા શ્વાસ સુધી દેહને એવું રાખવું કે મહારાજના બધા નિયમમાં પાળવામાં કુશળ રહે
Ok
*Title
- _ઉપાસના કોને કહેવાય?_”
» મહારાજની સેવા કરવાની લલક લાગે એને ઉપાસના કહેવાય.
Ok
» સામાન્ય સેવા કરતા હોય એને ભક્તિ કહેવાય, પણ તીવ્ર ઇચ્છાથી સેવા કરે તો એને ઉપાસના કહેવાય.
Ok
» સાધનના નાતે ભગવાનમાં જોડાવુ તે સવિકલ્પ અને બ્રહ્મરૂપના નાતે ભગવાનમાં જોડાવુ એ નિર્વિકલ્પ કહેવાય.
Ok
» બ્રહ્મરૂપ થવું એ મેન્ટાલીટી છે અને માનસિક થવાય છે એનાથી શારીરિક પ્રતિકૂળતા જતી રહેતી નથી દાખલા તરીકે મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ હતો.
Ok
» નાની સેવા કરે તો એને સેવક ગણાય કે ઉપાસના ગણાય એવું નથી પણ નાની સેવા કરનારા કોઈ ન હોય અને આપણને સમય હોય ને તો પણ આપણે ન કરીએ તો આપણે સેવક ન ગણાય.
Ok
» વડીલ સંતો હોય એની નાના સંતો સેવા કરતા હોય તો ઉપવાસનો ભંગ નથી થતો પણ ઠાકોરજીની સેવા બીજા પાસે કરાવે તો ઉપવાસનો ભંગ ગણાશે.
Ok
» સાધનની મહત્તા એ જુદી વસ્તુ છે અને સાધનનું અભિમાન એ જુદી વસ્તુ છે.
Ok
» સાધનની મહત્તા હોય તોપણ એ પ્રાકૃત ગણાય અને એ અભિમાન ગણાય.
Ok
» ઉત્તમ સવિકલ્પક અને કનિષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચયમાં શો ભેદ છે તો ઉત્તમ સવિકલ્પ વાળાને એમ થાય છે કે ભગવાનને કાંઈ વાંધો નહીં એટલે કે માનસિક એક્ઝેટ કરે છે અને કનિષ્ઠા નિર્વિકલ્પ વારો એમ માને છે કે ભગવાનને અડધું જ નથી.
Ok
» સમાજમાં કસ્ટમર એ ભગવાન છે અને આપણા માટે ભગવાન કે કસ્ટમર છે.
Ok
*Title
- _સવિકલ્પ અને નિર્વિકલ્પની વચ્ચેની ભેદ રેખા_”
» પોતાના કરતાં જે બેટર હોય એને બેટર માને તો પોતાની માન્યતા બદલાઈ શકે
Ok
» સેવ્ય કક્ષામાં પોતાને સેટ કરવા માંગતા હોય તેનામાંથી ઉપાસના જતી રહે છે
Ok
» સાધન કરીને સાધનથી મહાનતા ન માને એ નિર્વિકલ્પ દશા કહેવાય
Ok
» સવિકલ્પતા એટલે આધુરાઈ, નિર્વિકલ્પતા આટલે આધુરાઈ રહિત.
Ok
» પોતે પોતાના કહેલા વચન ખોટા પડે તો પૂર્વાપર બાધ કહેવાય
Ok
» ઈચ્છા થાય છે એ એની અધુરાઈ બતાવે છે
Ok
» આપણે મુક્તાનંદ સ્વામી જેવા થવા માંગીએ તો આપણે સવિકલ્પ કહેવાય
Ok
» ભગવાનને મેળવવાના સાધનમાં પ્રધાનતા થાય તો સાધ્યમાં ગૌણતા આવી જાય
Ok
» મનની પીડા સાધન કરવાથી મટતી નથી, સમજણથી મટે છે એટલે માન્યતા બદલાવાથી, અને શરીરની પીડા સાધન કરવાથી મટે છે નહીં કે સમજણથી
Ok
» ભગવાનમાં જડતા થાય તો તેને નિષ્ઠા કહેવાય
Ok
» નિર્વિકલ્પવાળા સાથે આપણી માન્યતા સેટ કરી લઈએ તો આપણે નિર્વિકલ્પ થઈ જઈએ
Ok
*Title
- _ભક્તિ અને ઉપાસનમાં તફાવત._”
» સ્વામિનારાયણ ભગવાન કોણ છે અને એની વિલક્ષણતા શું છે એ જાણે એને ઉપાસના કહેવાય.
Ok
» ભક્તિમાં ભગવાન ભક્ત જેવા થાય છે જ્યારે ઉપાસનામા ભક્તને ભગવાન જેવું થવાનું હોય છે.
Ok
» ઉપાસનમાં ભક્ત ભગવાન જેવો થાય છે એટલે કે ભગવાન જેવા ગુણ આવે છે.
Ok
» સેવા એટલે ભગવાનની સાથે જોડાણ.
Ok
» ઉપાસના કરે તો ભગવાનની ઝલક એનામાં આવે છે.
Ok
» ઝલક અને નકલમાં ફેર હોય છે નકલ માટે પ્લાન કરવો પડે છે ઝલક એની મેળે આવે છે રઘુવીરજી મહારાજમાં મહારાજની ઝલક આવતી હતી.
Ok
» સેવાની જવાબદારીને બરાબર પકડે તો એ ઉપાસના થઈ જાય છે.
Ok
» સાધનમાં ખામી હોય તો બદ્રિકાશ્રમમાં મહારાજ મૂકે અને ઉપાસનામાં ખામી હોય તો મોટા સંતો પાસે મુકે ને ખામી તળાવે પણ શરત એટલી કે બીજે જોડાયેલો, બીજા અવતારોમાં જોડાયેલો, ન હોય તો.
Ok
» મહારાજની સેવા વિના રહેવાય નહીં તો એને ઉપાસના કહેવાય.
Ok
» ભગવાનની વિલક્ષણતાની જેમ સેવાની વિલક્ષણતા જાણે તો એ ઉપાસના ગણાય.
Ok
» કલ્યાણના સાધનરૂપ જ્ઞાન હોય એ ઉપાસના થાય છે એકલું જ્ઞાન નહીં.
Ok
» સેવાનું ફળ સેવા છે કોલેટી સેવા.
Ok
*Title
- _સત્સંગની મહાનતા અને કુસંગની કાતિલતા._”
» સત્સંગનું સાધનદશામાં વધારે ધ્યાન રાખવાની જરૂર હોય છે કારણ કે અંતે ફળ સાધન દશામાં સંકલ્પ હોય એવું જ મળે છે.
Ok
» બ્રહ્મરૂપ થાય એટલે એના પર ભગવાન રાજી થાય એવું નથી ભગવાનને રાજી કરવા હોય તો બ્રહ્મરૂપ થવું જરૂરી છે.
Ok
» આત્મજ્ઞાન છે એ શરીરની અંદરની ભાવનાઓથી તોડાવે છે અને વૈરાગ્ય છે કે બહારના પદાર્થો અને જગતથી તોડાવે છે.
Ok
» દયા અને સ્નેહ એ સદગુણ પણ નથી અને દુર્ગુણ પણ નથી કેન્દ્રના આધારે સદગુણ અને દુર્ગુણ બને છે.
Ok
» ભગવાનને ભગવાનના ભક્તમાં હોય તો સદગુણ નહીતો દુર્ગુણ.
Ok
» કુસંગ છે એ ઓટો on છે એને on કરવો નથી પડતો ખડની જેમ, જ્યારે સત્સંગ કરવો પડે છે કારણ કે ઓટો ઓફ છે.
Ok
» દયા ને સ્નેહ જીવમાત્રમાં સ્વાભાવિકપણે રહે છે.
Ok
» આખા વચનામૃતમાં નજર નાખીએ તો મહારાજ ત્રણ વસ્તુ જીવતા પણ કરવાની અને ધામમાં ગયા પછી પણ કરવાની કહે છે એક સત્સંગ બીજું સેવા અને ત્રીજી ઉપાસના.
Ok
» સત્સંગ અને સંઘના કાળમાં થયેલા સંકલ્પ ને આત્મજ્ઞાન અને વૈરાગ્ય ઉખેડી શક્યતા નથી માટે પ્રવૃત્ત થયા પછી પણ રહે છે.
Ok
» સત્સંગ અને કુસંગ બ્રહ્મરૂપથી પણ ઉપર છે.
Ok
» બ્રહ્મરૂપ થઈ જાય એટલે એને કુસંગ ન લાગે એવું નહીં સત્સંગ થાય એને કુશન ન લાગે પછી બ્રહ્મ રૂપ ન હોય તો પણ.
Ok
» બ્રહ્મરૂપ થયા પછી સત્સંગ અને કુસંગની એન્ટ્રી ડાયરેક્ટ જીવવું છે.
Ok
» મહારાજ બ્રહ્મરૂપ થયો કે નહીં એ નથી જોતા પણ બ્રહ્મરૂપ થયા પછી શું કરે છે એ જુએ છે.
Ok
» અંદરની નબળાય પડી હોય એની આગળ જ્ઞાન કંઈ કામમાં આવતું નથી.
Ok
» મરીને જે કરવાનું છે એ અત્યારે પ્રાપ્ત થયું છે.
Ok
» ઉચી કવોલિટીના ભગત હોય અને ગમે ત્યાં દયા કે સ્નેહ કરે એટલે સદ્ગુણ બની જાય એવું નથી.
Ok
» સાધન દશામાં જેવો સંકલ્પો હોય એવો બ્રહ્મરૂપ થયા પછી પણ રહે છે.
Ok
» સાધન દશામાં સત્સંગ ન કરે તો કુસંગ તો થવાનો જ છે.
Ok
*Title
- _સત્સંગ કુસંગનું બીજારોપણ._
» સત્સંગનું બીજારોપણ ગુરુ કરે છે.
Ok
» સાધન કાળમાં સત્સંગનો યોગ એટલે સાચા અને ખોટા ગુરુ નો યોગ.
Ok
» જો બોદી દાનતવાળા ગુરુ મળી જાય તો ભગવાનમાં કે ભગવાનના ભક્તમાં હેત ન થવા દે ખોટામાં કરાવે.
Ok
» દાદાખાચરને કે ગોપીઓને આત્મનિષ્ઠા ન હતી પણ પરમાત્માનિષ્ઠા હતી એટલે એમનું કામ થઈ ગયું.
Ok
» આત્મનિષ્ઠા અને પરમાત્માનિષ્ઠામાં પરમાત્મા નિષ્ઠા મુખ્ય છે.
Ok
» રુચિ પૂર્વકર્મને આધારે હોય છે એનો અર્થ એવો નથી કે નબળી રુચિ બદલાવી શકાતી નથી સત્સંગથી અને સાવધાનીથી રુચિ સારી કરી શકાય છે.
Ok
» માણસોને સદગુણોનો અહોભાવ હોય છે પણ એટલો એના ઉપયોગનો નથી હોતો.
Ok
» સત્સંગ છે એ બ્રહ્મરૂપ કરતાં પણ આગળ છે.
Ok
» નિષ્ઠાની પ્રોસેસ એવી છે કે પહેલા રુચિ પછી એમાં શ્રદ્ધા પછી એમાં વિશ્વાસ અને નિષ્ઠા થાય છે.
Ok
» અગ્નિ અને વાયુ જેમ દેખાતા નથી તેમ બ્રહ્મરૂપ અને જીવ દેખાતા નથી તો પણ સુગંધ અને દુર્ગંધની જેમ એનો પાસ એટલે કે દયા ને સ્નેહ રહે છે.
Ok
» બોદી દાનતવાળા ક્યારેક ગુરુ પણ હોય અને શિષ્ય પણ હોય. બોદી દાનતવાળા ગુરુ એટલે ગુરુ દ્રોણ અને બોદી દાનતવાળો શિષ્ય એટલે કર્ણ.
Ok
*Title
- _બાધિતાનુવૃત્તિ ખામી કે ગુણ ?_
» બાધિતાનુવૃત્તિ એટલે પ્રથમ જ્ઞાન વૈરાગ્યથી બધું ખોટું કરી નાખ્યું હોય અને પછી અંતકાળે બેશુદ્ધ અવસ્થામાં જે યાદ આવે તે
Ok
» *અન્તે યા મતિઃ સા ગતિ
અને બાધિતાનુવૃત્તિ* તે એક નથી, અન્તે યા મતિઃ સા ગતિનો નિયમ સભાનતામાં જે યાદ કરે એને લાગુ પડે છે અને બાધિતાનુવૃત્તિમાં સભાન અવસ્થા નથી હોતી
» બાધિતાનુવૃત્તિ નિર્વિકલ્પ દશાની દ્રષ્ટિએ ખામી ગણાય અને સામાન્ય સાધકને માટે બાધિતાનુવૃત્તિ એ ગુણ ગણાય
Ok
» આખી જિંદગી ભગવાનનું ચિંતન કર્યું હોય પણ અંતકાળે ભગવાન સિવાય બીજું ચિંતન કરે તો ભગવાન લેવા આવતા નથી જો બીજું કાંઈ પણ યાદ ન કર્યું હોય અને ભગવાનનું ચિંતન પણ ન કર્યું હોય તો ભગવાન આવે છે
Ok
» શાસ્ત્રનું એવું માનવું છે કે છેલ્લા શ્વાસ સુધી સવિકલ્પ દશા જ રહે છે, નિર્વિકલ્પ દશા નથી આવતી
Ok
» અંત્યના ત્રીસમાં વચનામૃતમાં વાસના ટળી ગઈ છે તો પણ રખેને ન ટળી હોય એવું અનુસંધાન રહે છે એ બાધિતાનુવૃત્તિ નથી પણ વિવેકની અતિ ઉત્તમ પરિપક્વ દશા છે
Ok
» બાધિતાનુવૃત્તિ એ ભ્રાંતિ દશા છે જ્યારે અણવિશ્વાસનું અનુસંધાન એ અતી જાગ્રત અવસ્થા છે
Ok
*Title
- _શરીરમાં જીવ કેવી રીતે રહ્યો છે ?_
» પૂર્વ કર્મનું જોર સંગ પર ચાલતું નથી, સંગ કરવો કે ન કરવો એમાં જીવ સ્વતંત્ર છે
Ok
» જ્યોતિષ અને પ્રારબ્ધનો પ્રભાવ કેવળ પુર્વ કર્મો પર છે, વર્તમાન કર્મો ઉપર નહીં
Ok
» અન્ન વિકાર રૂપે એટલે કે પરિપાકરૂપે સપ્તધાતુ બને છે, એમાં ચરમ ધાતુ એ વીર્ય છે
Ok
» શરીરમાં ચક્ર રહેલા છે એ અશોક ચક્ર જેવા ચક્રો નથી, માંસની પેશી પણ વિશેષ છે
Ok
» જીવને ફરજિયાત પૂર્વ કર્મોના આધારે જ કર્મ કરવા જ એવું નથી, ભોગવે છે એ પૂર્વકર્મને આધારે ભોગવે છે
Ok
» તેલ, કોડિયુ, વાટ્ય અને અગ્નિના દ્રષ્ટાંતમાં
Ok
કોડિયુ = શરીર, તેલ = કર્મ, વાટ્ય = માંસનું ચક્ર, અગ્નિ = જીવ
Ok
» વાટ્યમાં અગ્નિ બહારથી ભલે ગયો છે અને લોખંડના ગોળામાં અંદરથી વ્યાપીને રહ્યો છે એમ જીવ સામાન્ય સતાએ કરીને વિશેષતાએ કરીને રહે છે
Ok
આ લિંક પરથી આપશ્રી સેમિનાર તથા સમસ્ત કાર્યક્રમ માણી શકશો…
Ok
*Title
- _કલ્યાણના માર્ગમાં વિધિ નિષેધ - તારતમ્યતનો વિવેક_
» જેટલા ભગવાનને અનુરૂપ હોય અને જેટલું ભગવાનના મિશનમાં યોગદાન હોય એટલાં તારતમ્યપણે ભગવાન એનામાં રહે છે
Ok
» બધા સાધુ સરખા નથી એવો વિવેક રાખવો એ સત્પુરુષ છે
Ok
» જેટલું ભગવાનનું કાર્ય બગાડે છે એટલા ભગવાન એનાથી દૂર રહે છે
Ok
» નાનામાં જોડાય તો નાનું કલ્યાણ અને મોટામાં જોડાય તો મોટું કલ્યાણ થાય છે
Ok
» મહારાજને અનુરૂપ ન થાય તો મહારાજની યથાર્થ સેવા ન કરી શકે
Ok
» અંતર્યામી બધામાં રહ્યા છે તોપણ બધા સરખા નથી
Ok
» વિધિ નિષેધ એટલે કલ્યાણ અકલ્યાણનો વિવેક, પાપ-પુણ્ય તેની અંદર આવી જાય છે
Ok
*Title
- _કલ્યાણના માર્ગમાં વિધિ નિષેધ - તારતમ્યતનો વિવેક_
» જેટલા ભગવાનને અનુરૂપ હોય અને જેટલું ભગવાનના મિશનમાં યોગદાન હોય એટલાં તારતમ્યપણે ભગવાન એનામાં રહે છે
Ok
» બધા સાધુ સરખા નથી એવો વિવેક રાખવો એ સત્પુરુષ છે
Ok
» જેટલું ભગવાનનું કાર્ય બગાડે છે એટલા ભગવાન એનાથી દૂર રહે છે
Ok
» નાનામાં જોડાય તો નાનું કલ્યાણ અને મોટામાં જોડાય તો મોટું કલ્યાણ થાય છે
Ok
» મહારાજને અનુરૂપ ન થાય તો મહારાજની યથાર્થ સેવા ન કરી શકે
Ok
» અંતર્યામી બધામાં રહ્યા છે તોપણ બધા સરખા નથી
Ok
» વિધિ નિષેધ એટલે કલ્યાણ અકલ્યાણનો વિવેક, પાપ-પુણ્ય તેની અંદર આવી જાય છે
Ok
*Title
- _સેવા સાધન કે સાધ્ય ?_
» વસ્તુ, પધાર્થ, સ્થાન, સદગુણો, વ્યક્તિ એમાં ચોટવું નહીં એમ વેર પણ ન કરવું પણ સેવામાં વિનિયોગ કરવો તો એને મુક્તિમાં રસ નથી એમ ગણાય
Ok
» આપણે સેવા કરીએ છીએ એ સાધનરૂપ છે કે સાધ્યરૂપ સાથ એ આપણી ભાવનાને આધારે છે
Ok
» પોતાના જીવનું કલ્યાણ કરવું હોય તો સત્સંગ ઓળખવો પડે છે
Ok
» સેવાનું ફળ મુક્તિ હોય તો એ સેવા સાધન બને છે અને સેવાનું ફળ બીજી સેવા જ હોય તો એ સેવા સાધ્ય બને છે
Ok
» મુક્તિનો ઉપયોગ વધારે સેવા કરવામાં થવો જોઈએ
Ok
» વિધિ નિષેધ એ ક્રિયારૂપ પણ છે અને વ્યક્તિરૂપ પણ છે
Ok
» મહારાજ આપણી સેવાથી રાજી થાય અને માંગવાનું કહે અને આપણે સેવા સિવાય બીજું ન માંગીએ તો મહારાજને એમ થાય આ મારા સિવાય કોઈનો નથી, અને અનંત રાજી થઈ જાય, અને જો બીજું માંગીએ તો એવું ન થાય
Ok
*Title
- _ભક્તિની સાચી ઓળખાણ_
» જે જેની અનુવૃત્તિમાં રહે છે એને એમાં સ્નેહ હોય જ
Ok
» જ્યાં સુધી દેહાભિમાન હોય ત્યાં સુધી સાધુમાં સાચું હેત થતું નથી
Ok
» અખંડ સ્મૃતિ અને અનુવૃત્તિ એ બંને સ્નેહના અસાધારણ લક્ષણ છે
Ok
» અખંડ ભગવાનના સંકલ્પ ન થાય પણ ભક્તિના, સેવાના થતા હોય તો પણ વાંધો નહીં
Ok
» અસાધારણ લક્ષણો એક કરતાં વધારે હોઈ શકે
Ok
» સંસારમાં હેત કોઈ logic કે કેલ્ક્યુલેશનથી નથી થતું કેવળ મોહ અને મૂર્ખાઈથી થાય છે
Ok
» દેહાભિમાન મુકવાનો સંકલ્પ કરે તોપણ સાધુ સાથે હેત થાય
Ok
» અનુવૃત્તિ એ સ્નેહનું સાચું લક્ષણ છે કારણ કે સ્મૃતિ તો ભયથી પણ રહે છે
Ok
» રાગ છે એ પોતાના કાર્યથી દેખાય છે અને ભક્તિ પણ રાગરૂપા છે
Ok
» જ્યાં સુધી સંસારમાંથી હેત તૂટે નહીં ત્યાં સુધી ભગવાનમાં ચોંટે નહીં પણ જો અસાધારણ હેત હોય તો જગતમાંથી સહેજે તૂટી જાય છે
Ok
» અસાધારણ પ્રીતિ એક જ ઠેકાણે થાય છે કાં તો જગતમાં કાં તો ભગવાન
Ok
» દેશવાસના અને દેહવાસના આત્મનિષ્ઠા વિના ટળતી નથી
Ok
» સ્નેહ હોય તો અખંડ સ્મૃતિ થયા વિના ન રહે અને દેહાભિમાન હોય તો અહમ મહત્વ થયા વિના ન રહે
Ok
» ભક્તિ હોય ત્યાં સ્મૃતિ હોય જ સ્મૃતિ હોય ત્યાં ભક્તિ હોય જ એવું નહીં
Ok
» સ્નેહનો સ્વરૂપ ચિકાસ છે પણ અનુવૃત્તિ, અખંડ વૃત્તિ, થાક નિવૃત્તિ એ બધા કાર્ય લક્ષણો છે
Ok
*Title
- _સાકારપણું અને આકાશનું નિરૂપણ_
» મહારાજે શ્રુતિઓનો અર્થ ‘ સ્ એક્ષત્ ‘ સીધે સીધો જ લીધો છે, જ્યારે રામાનુજાચાર્યજીને ઈનડાયરેક્ટ લેવો પડ્યો છે, લક્ષણા લેવી પડી છે
Ok
» મહારાજના વચનામૃતમાં આ મુખ્ય અને આ ગૌણ એવું કરવાનો આપણો અધિકાર નથી. મહારાજે તે વિભાગ કર્યો હોય તો એ બરાબર
Ok
» પોતાના ઇષ્ટદેવ અને ગુરુની સરખામણી ક્યારે ન કરવી જોઈએ
Ok
» મહારાજે શ્રુતિ અને અનુભૂતિને આધારે તત્વનું પ્રતિપાદન કર્યું છે
Ok
» રામાનુજાચાર્યજીએ સગુણ છે માટે સાકાર છે એવું પ્રતિપાદન કર્યું છે જ્યારે મહારાજે સાકાર છે એટલે સગુણ છે એમ કહ્યું છે
Ok
» ભગવાનનું રૂપ બધા કરતા અતી અલૌકિક છે કારણકે કર્માધીન નથી
Ok
» જ્ઞાન સ્વયંપ્રકાશ છે, એ વિષયનું અને સાથે સાથે પોતાનું જીવાત્માને પ્રકાશન કરે છે
Ok
» ચિદાકાશ એટલે નિત્ય વિભૂતિ, અક્ષરધામ, જે સ્વયં પ્રકાશ છે પણ ચેતન નથી
Ok
» જીવાત્મા સ્વયંપ્રકાશ પણ છે અને ચેતન પણ છે
Ok
» ચેતન એને કહેવાય કે જે સંકલ્પ કરી શકે
Ok
» ચિદાકાશ એ અક્ષરબ્રહ્મ તે જ છે પણ અલગ તત્વ નથી
Ok
» જેનું અન્વય-વ્યતિરેક થઈ શકે એ જ અલગ તત્વ હોઈ શકે
Ok
» આકાશ બે છે, ચિદાકાશ છે તેની ઉત્પત્તિ વિનાશ નથી પણ જે ભૂતાકાશ છે તેની ઉત્પત્તિ-વિકાસ છે
Ok