Utkarsh3 Flashcards
Spiritual
*Title
- _પોતાનું અંગ કેવી રીતે ઓળખાય ?_
» બધા ભક્તોમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ સામાન્યપણે તો હોય પણ જેને જેની નિષ્ઠા હોય એ એમાંનો ઉત્તમ વિકલ્પ પસંદ કરે દાખલા તરીકે ધર્મ નિષ્ઠા હોય તો એકાદશીએ નકોરડો ઉપવાસ કરવાનું પસંદ કરે
Ok
» જો પોતાનું અંગ ઓળખે નહીં તો જે હોય એ પણ ભૂંસાઇ જાય છે
Ok
» અંગ એને કહેવાય કે પોતાની જે સ્કીલ રુચિ કે માસ્ટરી હોય એને ભગવાનને રાજી કરવામાં અને ભગવાનમાં જોડાવામાં ઉપયોગ કરે
Ok
» જેને કથામાં સાંભળવામાં રુચિ નથી એને સારું અંગ બંધાતું નથી, કથા કરવામાં તો બધાને હોય છે
Ok
» ભગવાનની સેવામાં અને ભક્તિમાં કામ આવે એવા આપણા રસને અંગ કહેવાય છે
Ok
» આત્મભાવનું અંગ એટલે સેવા કરતા-કરતા નિર્લેપભાવ કેળવવો
Ok
» અંગ એને કહેવાય કે જેમાં આપણે બીજા કરતા વિશેષ મહારાજને રાજી કરી શકતા હોય, હરીફાઈમાં આગળ રહી શકતા હોઈએ
Ok
» આપણને કેવું શાસ્ત્ર, કેવી વ્યક્તિ, અને કેવી ક્રિયામાં રુચિ છે એના જેવું આપણું અંગ હોય
Ok
» અંગ ઓળખે તો સમાસ બહુ થાય એટલે કે પ્રોગ્રેસ બહુ થાય
Ok
» સેવા કરતા-કરતા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ કોનું પ્રોટેક્શન કરે છે, કેર કરે છે એ એનું અંગ ગણાય
Ok
» અંગ ઓળખવાનો હેતુ એ છે કે એને ડેવલપ કરી શકાય
Ok
» કથામાં માણસ પોતાનું મુખ નથી જોતો, બીજાનું મોઢું જોવે છે
Ok
» જેને જેનું અંગ હોય એ એને સ્વાભાવિક પાળી શકે છે બીજાને પ્રયત્ન પૂર્વક કરવું પડે છે
Ok
» આપણે અલગ અલગ વિભાગ સંભાળીએ છીએ કે સંસ્થા સંભાળીએ છીએ એ આપણું અંગ ના કહેવાય, એના દ્વારા આપણે મહારાજમાં કેટલા જોડાઈએ છીએ એ અંગ કહેવાય
Ok
» ધર્મનિષ્ઠા વાળો હોય એ થાળ કે વસ્ત્રાલંકાર ધરાવતો હોય, જ્યારે ભક્તિનિષ્ઠા વાળો હોય એ એ જ કર્યા કરતો હોય તો પણ ભગવાન વિના બીજું કાઈ સહન ન કરી શકતો હોય
Ok
» નામુ લખવું એટલે આ વચનામૃતમાં કહ્યું છે એને પોતાના જીવનમાં સરખાવવું
Ok
*Title
- _અંગ સિદ્ધ કેમ થાય ?_
» ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચારમાંથી એક અંગ સંપૂર્ણ સિદ્ધ થઈ ગયું હોય તો પણ પોતાને પૂરા ન માનવા, ચારેય સિદ્ધ કરવા
Ok
» આપણાથી મોટા હોય કે નાના હોય તેમાં કોની સાથે આપણને સુવાણ થાય છે એવું આપણું અંગ હોય
Ok
» જેને પોતાનું અંગ નક્કી ન હોય એ એકાંતિકના માર્ગે આગળ વધી શકતો નથી
Ok
» આપણે નવરા હોય ત્યારે શું કરીએ છીએ એવી આપણી રુચિ અને અંગ ગણાય
Ok
» અંગ સિદ્ધ કરવાનો ઉપાય છે કે પહેલા પોતાનું અંગ ઓળખી તેને સિદ્ધ કરવું
Ok
» ભાગવત ધર્મમાં આધ્યાત્મિક પરોપકાર મુખ્ય હોય છે જ્યારે ભક્તિમાં ભગવાન સિવાય ભક્તને પણ ધારી શકતો નથી
Ok
» સેવાની સાથે સાથે નિષ્કામ ભાવ, સત્સંગ એટલે કથા વાર્તા શ્રવણ અને સ્મરણ હોય તો એ ભાગવત ધર્મ બને છે
Ok
*Title
- *ભગવાનની ભક્તિનો મહિમા. *”
» બે વચ્ચેની તુલનાને, સરખામણીને મહિમા કહેવાય છે.
Ok
» વ્યક્તિ હાજર ન હોય ને કામ કરે એને એનો પ્રભાવ કહેવાય.
Ok
» ભગવાન કરતાં પણ ભગવાનના નામે વધારેને તાર્યા છે એ ભગવાનનો પ્રતાપ કહેવાય.
Ok
» બધી ધાતુઓમાં જેમ સુવર્ણ વિલક્ષણ છે એમ ભગવાન બધા કરતાં વિલક્ષણ છે.
Ok
» ભગવાનની ભક્તિનો પણ મહિમા એવો છે તેને બીજા કોઈ સાધન બીટ નથી કરી શકતા.
Ok
» માહાત્મ્યે સહિત ભક્તિ હોય તો ભક્તિમાં વિઘ્ન ન આવે.
Ok
» સદાચાર જેટલો પળે એટલો અવશ્ય પાળવો જોઈએ એમાં દાનત ખોટી ન રાખવી.
Ok
» ભગવાનના સાચા સંતમાં સત્સંગ અને પ્રસંગથી આવી માહાત્મ્યે સહિત ભક્તિ આવે છે શાસ્ત્ર ભણવાથી નહીં.
Ok
» સેવા કરતો હોય પણ સાચા સંતમાં એક જીવ ન જોડ્યો હોય તો એવી ભક્તિ નથી આવતી.
Ok
» સાચા સંતમાં જીવ જોડ્યો હોય પણ એને સેવાએ કરીને રાજી ન કરે તો પણ એવી ભક્તિ આવતી નથી.
Ok
» મહારાજની સાથે 2000 ભગવાન આવ્યા હતા અને મહારાજ તો એ ભગવાનના પણ ભગવાન હતા.
Ok
*Title
- _ભગવાન નું મહાસુખ કોને મળે?_”
» નિર્દોષ હોય એટલે અનન્ય હોય જ એવું ન પણ બને
Ok
» ભગવાનમાં અનન્યતા છે એ નિર્વાસનિકપણાં આ કરતાં પણ શ્રેષ્ઠ છે
Ok
» પતિવ્રતાપણું અને નિર્વાસનિકપણું એ બંને જુદા છે
Ok
» અનન્ય ભાવ હોય અને કચાસ હોય તોપણ તે ભગવાનનું વધુ સુખ પામે છે
Ok
» સ્વતંત્ર પણ અને જગતમાં આ તકથી એ બેમાં મોટો દોષ થયો છે સ્વતંત્ર ભણો
Ok
» ગરજ છે એ અનન્યતા થી આવે છે
Ok
» બ્રહ્મરૂપ થયો હોય તોપણ દાંત નો દાસ થઈને રહે એને સંપૂર્ણ સત્સંગ થયો કહેવાય
Ok
» દાસ નો દાસ થવું એ productive વસ્તુ છે
Ok
» દેહભાવને લઈને બીજાના દાસ થવું પડતું હોય છે જરૂરિયાત વિના કોઈ કોઈનો દાસ થતો નથી
Ok
» ભગવાન શિવાય બીજું કાંઈ ન ખપે તેને અનન્યતા કહેવાય
Ok
*Title
- _ભક્તિ કરવાની સાવધાનીઓ._”
» આ વચનામૃતમાં મહારાજે ભક્તિ કરવાના rules and regulations કહ્યા છે.
Ok
» ભગવાનની ભક્તિ કેવળ જીવના કલ્યાણને અર્થે કરવી.
Ok
» ભગવાનની ભક્તિ ઈર્ષાથી ન કરવી.
Ok
» ભગવાનની ભક્તિ મત્સર રહિત અને શ્રદ્ધા સહિત કરવી.
Ok
» ભક્તિ દંભી કરીને ન કરવી, નકલ કરીને ન કરવી, બીજાને દેખાડવા માટે ન કરવી.
Ok
» ભક્તિ હરીફાઈથી ન કરવી.
Ok
» ભક્તિ અમથી અમથી પણ ન કરવી મહારાજને રાજી કરવા માટે કરવી.
Ok
» ભક્તિ કરતા કંઈક અપરાધ થઈ જાય તો એ પોતાની માથે લેવો બીજાની માથે ન નાખવો.
Ok
» જે પોતાના નબળા પરિણામને સ્વીકારે એને કોઈ પ્રકારનો પ્રસંગ અડી શકતો નથી.
Ok
» હું પરફેક્ટ છું એમ માનવું છે અભિમાન છે અને બીજા પાસે પરફેક્શનની ઈચ્છા રાખવી એ મૂર્ખાઈ છે.
Ok
» પોતાની ખામીને સ્વીકારતા શીખે તો સુધારો થાય.
Ok
» એક મત્સર એવો છે કે બધા જ સારા કામ કરાવે અને પરિણામ નબળું આપે.
Ok
» જીવ અને મનની મિત્રતા છે એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયોની મિત્રતા છે.
Ok
» પોતાના ગમે તેવા સ્વભાવ હોય પણ એ જીવના કંટ્રોલ બહાર નથી, જીવ કંટ્રોલ કરતો નથી કારણકે એની દાનત ખોટી છે.
Ok
» નવધા ભક્તિ છે એ રૂટિનથી ન કરવી.
Ok
» હું સત્સંગ, પૂજા, સેવા, કથા કે નવધા ભક્તિ શા માટે કરું છું એનો વિચાર કરવો.
Ok
» મોટા સંતો કે ભક્તોના જીવન માંથી એમના જેવુ કરવાની ઈચ્છા થાય એને અનુવૃત્તિ કે પ્રેરણા કહેવાય.
Ok
» પ્રેરણા અને નકલ માં ફેર છે, નકલમાં દેખાડો વધારે હોય છે.
Ok
» નકલ અને ઝલકમાં પણ ફેર છે ઝલક દબાવી રાખે તો પણ ક્યારેક બહાર નીકળી જતી હોય છે શાસ્ત્રીજી મહારાજમાં નંદ સંતોની ઝલક દેખાતી હતી.
Ok
*Title
- _સત્સંગમાં અર્જન્ટ અને ઈમ્પોર્ટન્ટ શું?_”
» આ વચનામૃત કેવળ સદા સુખી રહેવા માટે નથી પણ સત્સંગમાં સદા સુખી રહેવા માટેનું છે.
Ok
» વચનામૃતમાં બે વિભાગ છે important and arjant શું છે.
Ok
» વૈરાગ્ય અને ધર્મ હોય તો પણ સત્સંગમાં જો ભગવાનના ભક્તમાં પ્રીતિ ન હોય તો એને સુખ આવતું નથી ઉડુ ઉડુ લાગે છે.
Ok
» જેને જેટલી વધારે રિક્વાયરમેન્ટ એ એટલો વધારે કંગાલ.
Ok
» ધર્મ અને વૈરાગ્ય કરતાં પણ ભગવાનના ભક્તમાં હેત કરવું એ વધારે પ્રાયોરિટી છે.
Ok
» આ વચનામૃતમાં મહારાજ ધર્મ અને વૈરાગ્યના આધારે ભગવાનમાં હેત અને ભગવાનના ભક્તમાં હેતના આધારે ધર્મ અને વૈરાગ્યને ઇગ્નોર કરવાના નથી પણ કોની પ્રાયોરિટી કેટલી છે એ ખ્યાલ આવે તો વધારે પુરુષાર્થ ક્યાં કરવો તે ખ્યાલ આવે.
Ok
» જીવ વિષયથી પાછો ન પડે તો દુઃખ થાય માટે વૈરાગ્ય અને ધર્મ પણ જરૂરી છે.
Ok
» મિત્રતા એટલે સુવાણ થવી.
Ok
» મહારાજના ઉત્તર ઉપરથી પ્રશ્નમાં વધારો કરી શકાય.
Ok
» અર્જન્ટ કામ ન કરીએ તો ઈમ્પોર્ટન્ટ કામ ગોથા ખાઈ જાય રખડી પડે છે.
Ok
» ધર્મ અને વૈરાગ્ય એ અર્જન્ટ ગણાય અને ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત સત્સંગમાં દ્રઢ પાયો કરવો એ ઈમ્પોર્ટન્ટ કામ ગણાય.
Ok
» ડાહ્યા માણસો ઈમ્પોર્ટન્ટ કામ હોય એના પર ફોકસ કરે છે અર્જન્ટ હોય એ તો કરવાનું જ હોય છે.
Ok
» ઈમ્પોર્ટન્ટ ન કરે તો કાયમી હેરાનગતિ થાય છે અને અર્જન્ટ ન કરે તો ટેમ્પરરી હેરાન થાય છે.
Ok
» જ્ઞાન-વૈરાગ્ય ને ધર્મની જેટલી માર્કેટ વેલ્યુ છે એટલી ભગવાનના ભક્તમાં હેતની નથી માટે આપણે એને ફોકસ નથી કરતા.
Ok
*Title
- _નબળી રુચિ બદલી શકે છે._”
» સારો માહોલ અને સારો સંગ હોય તો રુચિ બદલી શકે છે.
Ok
» જ્ઞાન થાય તો પણ પૂર્વ સંસ્કારો નાસ થતા નથી.
Ok
» જીવને ભગવાનને માર્ગે ચાલવામાં પૂર્વકર્મો નથી નડી શકતા પણ એ કર્મોના સંસ્કારો તો જરૂર નડે છે માટે એની સાથે ફાઈટિંગ કરવી પડે છે.
Ok
» સારી વ્યક્તિની સાથે હેત અને ગોલ એ બંનેથી નબડી રુચિ પણ સારી થઈ શકે છે.
Ok
» રુચિ પૂર્વ સંસ્કારને આધારે હોય છે પણ બદલાવી બદલી શકે છે જો બદલાવવી હોય તો.
Ok
» મહારાજે વચનામૃતમાં કહ્યું છે જ્યાં સુધી જીવના હૃદયમાં ગુણનો પ્રવેશ છે ત્યાં સુધી કોઈ જીવ સુખી થઇ શકતો નથી તો પછી સત્વ ગુણ હોય તો શું થાય? તો કે કાયમી સુખ ન થાય કારણકે સત્વગુણને પણ રજોગુણ અને તમોગુણ સાથે સાઠ ગાંઠ છે.
Ok
» મહારાજને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ બહુ ગમે છે કારણ કે દેહ ભાવથી રહિત થઈને ભગવાનની ભક્તિની રીત કહી છે.
Ok
» પરીક્ષિત મહારાજાને સંકા થઈ એટલે દેહ ભાવ હતો પણ શુકદેવજીની સાથે સુવર્ણ હતી એટલે ભગવાનના ધામમાં પહોંચાડ્યા.
Ok
» સાધુતાના ગુણો છે એ સત્વગુણ વિના આવી શકતા નથી માટે સત્વગુણ જોઈએ.
Ok
» આપણે જીવમાંથી એવું નક્કી થાય કે આ જન્મે ભગવાનના ધામમાં જવું છે તો એની રુચિ બદલી શકે છે.
Ok
*Title
- _તીર્થો દિવ્ય કે નિત્ય?_”
» શાસ્ત્રનું યથાર્થ તાત્પર્ય કોણ કાઢી શકે તો જેને એક્સ્ટ્રીમ વૈરાગ્ય અને એક્સ્ટ્રીમ ભક્તિ હોય એ જ કાઢી શકે.
Ok
» કાળ છે એ પ્રલય અવસ્થામાં પ્રાકૃતાનો નાશ કરી નાખે છે પણ ભગવાને, મહાપુરુષોએ તે સ્થાનમાં જે દિવ્ય સંકલ્પો કર્યા હોય એનો નાશ નથી કરી શકતો માટે તીર્થનો ક્યારેય નાશ થતો નથી.
Ok
» આ વચનામૃતમાં મહારાજે છે પરોક્ષની કે આપણી વેવલી સમજણને પડકાર ફેંક્યો છે.
Ok
» પોતામાં જેવુ પડ્યું હોય એવું માણસો શાસ્ત્રોમાં ફીટ કરતા હોય છે.
Ok
» પૃથ્વી પરના તીર્થોને કે ભગવાનના જન્મ સ્થાનોને દિવ્ય માની શકાય પણ નિત્ય ન માની શકાય નિત્ય માનવા એ વેવલી સમજણ કહેવાય.
Ok
» તીર્થસ્થાનોની ગંદકી એ તીર્થોના તીર્થત્વને બગાડી શકતી નથી.
Ok
» તીર્થને તીર્થ તરીકે સમજે તો એનો લાભ મળે.
Ok
» વિશિષ્ટાદ્વૈત મત એ વેદો ઉપરનો એંગલ છે દ્રષ્ટિ છે મહારાજે કોઈની નકલ કરી હોય એવું નથી.
Ok
» ઉપાસક એને કહેવાય કે પોતાના ઇષ્ટદેવની રચના, કાર્યને વધારે ઉજાગર કરે નઈ કે લજાવે.
Ok
» જીવ ભગવાનનો અંશ છે એટલે કે પ્રતિકૃતિ છે ભગવાનનો ટુકડો છે એમ નહીં.
Ok
» મહારાજ વ્યાસ ભગવાન કરતાં મોટા છેં તોપણ શાસ્ત્ર બહાર જઈને કે વ્યાસ ભગવાનથી ઉપરવટ થઈને મહારાજે કાઇ પ્રતિપાદન નથી કર્યું.
Ok
*Title
- _ઇન્દ્રિયોનો કંટ્રોલ અને નિગ્રહ એટલે શું?_”
» વૈરાગ્ય,સ્વધર્મ,તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો અંતઃકરણ કંટ્રોલમાં આવે છે.
Ok
» આપણે પણ સત્સંગમાં ઠેરાવ કરી રાખવો જોઈએ જેવી રીતે સીતાજી એ કર્યો હતો.
Ok
» ફણા વગરનું બાણ અને પુછલેલ ઢોરની જેમ વિષયોનો અભાવ હોય તો વિષયો જીતાણા ગણાય.
Ok
» દોષોના પરિણામ જોવાથી, શાસ્ત્રના શબ્દો અને આખ્યાનોનું મનન કરવાથી દોષોનું દર્શન થાય છે.
Ok
» સત્સંગમાં આપણુ કોઈ અપમાન કરે અથવા જેને માટે ભેખ લીધો હોય એ આપણો તિરસ્કાર કરે ત્યારે આપણુ કેટલુ ઠેકાણું રહે એનો વિચાર કરવો જોઈએ.
Ok
» સ્વામીએ વાતોમાં કહ્યું છે કે બે સારા સાધુ ને પાંચ સારા હરિભગત સાથે જીવ જોડવો એ વાત લાખ વર્ષે પણ સમજાતી નથી એટલે કે મનાતી નથી.
Ok
» દરરોજ પાંચ ખાસડા મારે તો પણ સત્સંગ માંથી જાય નહીં એ આત્મબુદ્ધિનું લક્ષણ છે.
Ok
» શાસ્ત્ર ને સત્પુરુષમાં વિશ્વાસ હોય તો વિષયોમાં દોષ દ્રષ્ટિ થાય.
Ok
» ભગવાનને ભગવાનના ભક્તમાં અત્યંત મમતા એજ આત્યંતિક કલ્યાણ છે.
Ok
» ઈન્દ્રિયોનો કંટ્રોલ કરવો અલગ વસ્તુ છે અને ઇન્દ્રિયોને જીતવા અલગ વસ્તુ છે.
Ok
» વિષયોના અભાવના દોષની શેડ જીવમાં બેસી જાય જનક રાજાની જેમ તો એ જીતેન્દ્ર કહેવાય.
Ok
» સિદ્ધ દશા આવી જાય એટલે જિતેન્દ્રિય જ હોય એવું નથી.
Ok
*Title
- _કલ્યાણની કરામત ટેકનીક._”
» આ વચનામૃત કરામતનું છે એટલે કે કળા, ટેકનીકનુ છે. ઓછી મહેનતે ઝાઝુ અને મોટું ફળ મળે એને કરામત કહેવાય.
Ok
» પોતે જ પોતાનો અનાદર કરી રાખ્યો હોય તો બીજા જ્યારે અનાદર કરે ત્યારે એનો અવગુણ ન આવે.
Ok
» બીજા પાસે પરફેક્શનની ઈચ્છા રાખવી એ મુર્ખા ગણાય.
Ok
» બીજાના ગુણ માણસને જલ્દી ડાઈજેસ્ટ નથી થતા અને બીજાના અવગુણ, નિંદા, બહુ ફરસા લાગે છે.
Ok
» બીજાનો અવગુણ પોતાની નબળાઈ, સ્વાર્થ, અને પોતાના દેહભાવથી આવે છે.
Ok
» જો આપણને આપણા જીવના કલ્યાણની ગરજ જાગે તો દાસાનુદાસ થઈ શકાય.
Ok
» જેટલું કળાથી આ ટેકનિકથી પ્રાપ્ત થાય છે એકલું ખાલી મહેનતથી નથી થતુ.
Ok
» ભગવાનના ભક્તનો અવગુણ ન લે ને પોતાનો ગુણ લે તોપણ કલ્યાણ ન થાય.
Ok
» બીજાનો ગુણ એ હડકાયા શ્વાનની લાળ જેવો છે એટલે કે બીજાને લગાડ્યા વિના રહેવાતું નથી.
Ok
» પોષ્ય વર્ગની સેવા કરવી પણ આસક્તિ ન કરવી ગુન ન લેવો.
Ok
» કોઈપણ પ્રકારનું માન ન રાખવું, ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો અને સંબંધીમાં આસક્તિ ન રાખવી આ ત્રણે જીવના કલ્યાણની કલા છે કરામત છે.
Ok
» પોતાના સંબંધીની સેવા કરવી એ ફરજ છે અને ગુણ લેવો એ મૂર્ખાઈ છે.
Ok
» પોષ્ય વર્ગનું પોષણ યથાર્થ કરવુ અને એમાંથી કલ્યાણ કાઢી લેવું એ કરામત છે.
Ok
» વર્તમાન લોપે તો અવગુણ લેવો નહિતર ગબરગંડ કહેવાય.
Ok
*Title
- _એકાંતિકપણું કેવી રીતે આવે?_”
» મનનો સ્વભાવ એવો છે કે સારું પદાર્થ હોય તો જ એમાં ચોંટે એવું નહીં તુચ્છ પદાર્થોમાં પણ ચોંટી જાય. ફાટેલ લંગોટી ને તૂટેલ તુંબડીમાં પણ ચોંટી જાય.
Ok
» જ્યાં સુધી ભોગ રુચિનો ભર્યો છે ત્યાં સુધી એકાંતિક પણ આવતું નથી.
Ok
» એકાંતિક પણુ આવ્યા વિના એકાંતિકી મુક્તિ થતી નથી અને ભગવાનનું સુખ પણ આવતું નથી.
Ok
» કથામાં જોલા ખાય એની મહારાજને બહુ ચીડ હતી.
Ok
» પોતાની અંદર ગરબડ હોય તો પછી વન, પર્વત કે હિમાલયમાં જાય તો પણ શાંતિ ન થાય.
Ok
» જેનું મન ભગવાનની મોટાઈ કે સુખમાં જાય છે એ જગતમાં લોભાતો નથી.
Ok
» ભગવાનની મોટાય સમજાય જવી એ એકાંતિકનો પાયો છે.
Ok
» ત્યાગની રુચિ હોય તો એકાંતિક પણુ આવે છે.
Ok
» સાદાય અને કરકસર વિના સાધુતા આવતી નથી.
Ok
» શહેરીકરણનો અર્થ છે ભોગવાદીતા.
Ok
» જે ડબલ રોલમાં રમે છે એની સાથે મહારાજને સુવાત થતી નથી.
Ok
» જેમ ભોગ રુચિ છે એમ કુસંગ રુચિ પણ છે એ થાય તો એકાંતિક પણુ ન આવે.
Ok
» જેમ ભગવાનમાં એક રસતા હોય છે એમ ભગવાન સંબંધી ક્રિયામાં, ભક્તિમાં પણ એક રસતા અને દીવાના પણું આવવું જોઈએ તો એકાંતિક પણુ આવે.
Ok
» એકાંતિકપણું એક આંતર છે અને એક બાહ્ય છે, દેશકાળે બાહ્ય નથી રહેતું પણ આંતર એકાંતિક પણ તો રહે જ છે.
Ok
» પોતાનું દુખ ટાળવા માટે ભગવાનને પ્રાર્થના ન કરે તો એકાંતિક પણુ આવે.
Ok
» આ બધા એકાંતિકના લક્ષણો પણ છે અને એચીવ થઇ જાય તો ગુણો પણ છે.
Ok
» વન, પર્વતમાં મહારાજને ગમે છે એ પ્રતિકાત્મક છે એનો અર્થ છે અતિ સાત્વિક રુચિ છે.
Ok
*Title
- _ભગવાનમાં પ્રવેશ કેમ થાય?_”
» પ્રવેશનુ મારણ પ્રવેશ છે અને રાગનું મારણ રાગ જ છે.
Ok
» નિર્વાસનિક ન થયા હોય અને ભગવાનમાં હેત કરવા જાય તો પણ બીજે હેત થઈ જાય છે.
Ok
» સ્વામિનારાયણમાં પ્રવેશ ક્યારે થાય જ્યારે સ્વામિનારાયણને અનુરૂપ થાય.
Ok
» આપણે જ્યાં કાચા હોય ત્યાંથી આપણું પતન થાય છે.
Ok
» પોતાની જાતને ઓળખવી એ ભગવાનને ઓળખવા કરતાં પણ કઠણ છે.
Ok
» પોતાની નબળાઈ ઓળખવી હોય તો મનના સંકલ્પ સામુ જોવું બીજુ પોતાના સ્વપ્નનો તપાસવા અને ત્રીજુ આપણો સંગ જોવો.
Ok
» ભગવાનની ભક્તિમાં અફીણ જેવુ બંધાણ હોય તો ભગવાનમાં પ્રવેશ થયો કહેવાય.
Ok
» લાલજી સુથારે 18 દિવસ સુધી ઊંઘ વિના મહારાજની કથા સાંભળી એને ભગવાનમાં પ્રવેશ થયો કહેવાય.
Ok
» મૂળજી ભગતને જેમ વચનામૃત સાંભળીને, ભક્તચિંતામણી સાંભળીને તાવ ઉતરી જાતો એને ભગવાનમાં પ્રવેશ થયો કહેવાય.
Ok
» આપણને બંધાણની તો આદત છે એટલે ભગવાનમાં બાહ્ય પ્રવેશ કરવો સહેલો છે.
Ok
» મહારાજમાં પ્રવેશ ક્યારે થાય જ્યારે અંતરમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઘૂઘવતા હોય ત્યારે.
Ok
» ભગવાનમાં પ્રવેશ થાય પણ મેચિંગ ન થાય એટલે પાછો પ્રવેશ તૂટી જાય છે.
Ok
» બીજી જગ્યાએથી પ્રવેશ તૂટયા વિના ભગવાનમાં પ્રવેશ થતો નથી.
Ok
» અંતરની નબળાઈ એ ભગવાનમાં પ્રવેશ થવા દેતી નથી.
Ok
*Title
- _પોતાનું અંગ ઓળખવાની સરળ ટેકનિક._”
» આ વચનામૃત ઓળખવાનું વચનામૃત છે અંગ એને કહેવાય કે જેને કરતા કરતા થાક ન લાગે કંટાળો ન આવે.
Ok
» બીજા કરતાં કરવામાં આપણે આગળ નીકળી જઈએ એ અંગ કહેવાય.
Ok
» બીજી ભક્તિની સરખામણીએ ઝાઝો સમય કરી શકીએ એ આપણુ અંગ કહેવાય.
Ok
» બીજાના મોટીવેશન વિના પણ કરી શકતા હોય એને અંગ કહેવાય.
Ok
» જેને કરવામાં કંઈ વળતર કે લાભ ન હોય તો પણ કરીએ એ અંગ કહેવાય દાખલા તરીકે ક્રિકેટ મેચ જોવી.
Ok
» દબાણ કે શરમ ધર્મ ન હોય તો પણ કરીએ એ અંગ કહેવાય.
Ok
» અંગ ન ઓળખે તો સત્સંગમાં દિવસોને વરસો પસાર થઈ જાય પણ પ્રોગ્રેસ ન થાય.
Ok
» પોતાનું અંગ ઓળખું એ કદાચ ભગવાનને ઓળખવા કરતાં પણ અઘરું હોય એવું લાગે છે.
Ok
» સંગીત સાથે ધ્યાન કરે તો ધ્યાનનું ડ્યુરેશન વધી શકે, એવા પરિબળો સોધી રાખવા જોઈએ જે આપણને ભગવાનમાં સ્થિતિ કરવામાં વધારો કરી શકે.
Ok
» જેને પંચવિષયમાં પરભવની બળતરા થતી હોય એને અંગ ઓળખાય.
Ok
» થોડીવાર કથા સેવા કે ધ્યાન કરીએ અને આપણો જીવ ધરાઈ જતો હોય તો એ આપણો અંગ કહેવાય.
Ok
» ભગવાનના માર્ગમાં ચાલવામાં મદદરૂપ થાય એને અંગ કહેવાય.
Ok
» જાજી કલાક કથા સાંભળે એના કરતાં થોડીવાર સાંભળે અને એમાંથી ઝાઝુ યાદ રહે અને જીવ ધરાઈ જાય યંગ કહેવાય.
Ok
» જગતના માર્ગમાં ગમતું હોય એને અંગ ન કહેવાય સ્વભાવ કહેવાય.
Ok
» ભગવાનના માર્ગ સંબંધી નિયમ કે પ્રોજેક્ટ લીધો હોય એને આપણે સવાયો પૂરો કર્યો હોય એ આપણી સ્ટ્રેન્થ ગણાય અને અધુરો રહી ગયો હોય તો એ વિકનેસ ગણાય.
Ok
» આ વચનામૃતની વિશેષતા એ છે કે પોતાનુ અંગે ઓળખવાની વાત કરી છે જ્યારે પ્રથમનું 47મું અને મધ્યનું 62માં કોઈપણનું અંગ ઓળખવાની વાત કરી છે.
Ok
*Title
- _અંગ ઓળખવાની સ્પષ્ટતા._”
» અંગ એટલે મહારાજ સાથે પ્રાઇવેટ જોડાવાનું સાધન.
Ok
» મહિમા છે એ અંગ ન ગણાય પણ દરેક અંગને પુસ્ટ જરૂર કરે છે.
Ok
» આપણામાં સ્ટ્રેન્થ અને વિકનેસ બંને હોય એમાં સ્ટ્રેન્થ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ અને વિકનેસને મેનેજ કરવી જોઈએ.
Ok
» અંગ પ્રાયોરિટીમાં ક્રમ અને duration બંને નક્કી કરવા.
Ok
» આપણે અંગને પોઈન્ટઆઉટ નથી કરતા એટલે ડેવલપ થતું નથી.
Ok
» પ્રેક્ટિસ, મહિમા અને એવા અંગેવાળા સાથે જોડાણ એનાથી અંગ ડેવલપ અને પ્રોગ્રેસ કરી શકાય છે.
Ok
» અંગ છે એ રુચિ પ્રમાણે હોય છે અને રૂચિ પૂર્વકર્મ, સંસ્કારને આધારે હોય છે માટે એમાં રહીને ભક્તિ કરે તો જલ્દી અને વધારે સમાસ થાય છે.
Ok
» આજની કથા, પોતાનું અંગ નક્કી કરવા માટે છે એ ભૂલી જતા નહીં.
Ok
» આપણે આપણા અંગમાં ચાર-પાંચ કલાક ભક્તિ કરી શકતા હોય અને છતાંય વિષયોથી પરાભવ થઈ જતા હોય એનો અર્થ એવો નથી કે એ આપણું નથી પણ કાચું છે.
Ok
*Title
- _પશુ બુદ્ધિ કોને કહેવાય?_”
» તીવ્ર સંસ્કારોની આગળ શાસ્ત્રનો નિગ્રહ ચાલતો નથી.
Ok
» ગુણ છે એ સંસ્કારોને ઉશ્કેરે છે પણ ક્રિયા સંસ્કારોની મારફતે થાય છે.
Ok
» કામિની જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધની એટલે ભગવાન સંબંધી ઈચ્છાઓ જ બંધ થાય છે પૈસાની આદિકની ઈચ્છા તો વધે છે.
Ok
» વાસનાના સંસ્કારો તો તો નાશ પામે જો ભક્તિ અને ઉપાસનાના સંસ્કાર પાડે.
Ok
» સંસ્કારનો નાશ સંસ્કારથી જ થાય છે જ્ઞાનથી નહીં.
Ok
» અવિવેક એટલે પશુ બુદ્ધિ.
Ok
» મનુષ્યનો દેહ છે એ કર્મ યોનિ છે અને પશુ છે એ ભોગ યોનિ છે.
Ok
» ત્રણ પ્રકારે તીવ્ર સંસ્કાર પડે છે વેગપૂર્વક કરવાથી, મન ઇન્દ્રિય અંતકરણ અને જીવ પોરવાઈને કરવાથી અને રિપીટેશન કરવાથી.
Ok
» સંસ્કાર કેવળ મનુષ્ય યોનિમાં જ પડે છે પશુ યોનિમાં સંસ્કાર નથી પડતા.
Ok
» કોઈ પણ કર્મ બે વસ્તુ ઉભી કરે છે એક તો પાપ-પુણ્ય અને બીજુ સંસ્કાર.
Ok
» પાપ-પુણ્ય ભોગવવાથી નાશ પામે છે અને સંસ્કાર નાશ પામતા નથી.
Ok
» સારી ક્રિયામાં વેગ નથી હોતો નબળી ક્રિયામાં વેગ હોય છે.
Ok
» પશુને મોસમ પ્રમાણે ભોગ બુધ્ધિ થાય છે અને માણસને બારેમાસ ભોગ બુધ્ધિ થાય છે.
Ok
*Title
- _દૈવી અને આસુરી કેમ થાય._”
» પ્રોબ્લેમ સોન કરે એને iq કહેવાય, સંસારની આંટીઘૂંટી ઉકેલે એને eq કહેવાય અને પોતાનું કલ્યાણ કરે એને sq કહેવાય.
Ok
» વચનામૃતનું જ્ઞાન હોવું એ બુદ્ધિ છે અને એ પ્રમાણે, વચનામૃત પ્રમાણે કરવું એ દૈવી ભાવ છે.
Ok
» સામર્થી હોય અને અભિમાન ન કરે એને નિર્માની કહેવાય અને કોઈ સામર્થી જ ન હોય એ નિર્માલ્ય કહેવાય.
Ok
» આસુરીનું મોટું લક્ષણ છે કે એ બીજી લાઈનમાં ન બેસે એટલે કે સેકન્ડ નંબરમાં ન રહે.
Ok
» ભગવાનમાં હેત કરવામાં બુદ્ધિનો રોલ નથી દૈવી ભાવનો રોલ છે.
Ok
» બુદ્ધિ પવિત્ર અને દેવી હોય તો ભગવાનમાં હેત થાય છે.
Ok
» નબળાઈથી ન ડરવું એ દૈવી જીવોનો અભય લક્ષણ છે.
Ok
» સારી લાગણીઓને પણ વેરીફાઇ કરવી એને eq કહેવાય.
Ok
» પોતાની બીજાની લાગણીઓને સમજવાની શક્તિ એને ચેતના કહેવાય.
Ok
» આસુરી અને દૈવી જીવ અનાદિના નથી એ કર્મે કરીને, સંગે કરીને અને રાજીપાથી થાય છે.
Ok
» આસુરી અનાદિના નથી પણ અનંત છે.
Ok
» ભગવાનનો રસ્તો બુદ્ધિએ કરીને નક્કી નથી થતો દેવી આસુરી ભાવને આધારે નક્કી થાય છે.
Ok
» ઈચ્છા પ્રમાણે એક્શન કરવી એનો અર્થ કે નાનું મગજ નથી.
Ok
» સારા થવાની ઇચ્છા જ ન હોય તો એ પાણી વિનાના કહેવાય.
Ok
» આપણામાં પણ આ આસુરી અને દૈવી ભાવ બંને હોય એને આપણી ક્રિયા ઉપરથી ઓળખવો જોઈએ.
Ok
*Title
- _કઈ ભક્તિ શ્રેષ્ઠ છે?_”
» ભગવાનમાં મન ક્રોધે, ભયે અને સ્નેહે કરીને રહે છે પણ સ્નેહે કરીને રહે તો જીવતા જીવતા સુખ આવે ગતિ બધાની સરખી જ થાય છે.
Ok
» નવધા ભક્તિમાં ત્રણ ત્રણ ના જોડલા છે પહેલી ત્રણ સ્થળ છે, બીજી ત્રણ અંતઃકરણ પ્રધાન છે, અને છેલ્લી ત્રણ ભાવ પ્રધાન છે.
Ok
» નવધા ભક્તિમાં અપડાઉન તો છે છતાં અહીં મહારાજે ફળના આધારે સરખી કહી છે.
Ok
» સેવાની ક્રિયા તો એક જ હોય છે પણ ભાવને આધારે વેઠ, નોકરી, માતૃ-પિતૃ ભક્તિ કે ઉપાસના થાય છે.
Ok
» દાસ ભક્તિમાં ભાવના ન હોય અને દોડાદોડી ખૂબ કરે તો એ નોકરી થઈ રહે છે.
Ok
» ઇન્દ્રિયો અંતઃકરણ ઠેકડા મારતા બંધ થઈ જાય એટલે વૃદ્ધ ગણાય.
Ok
» હેત હોય તો સત્સંગનું સુખ આવે છે.
Ok
ગુરુ એને કહેવાય કે પોતાના શિષ્યને ભગવાન સુધી પહોંચાડે.
Ok
» ખોટા કેન્દ્રમાં અને ખોટા પાત્રમાં શ્રદ્ધા હોવી એને અંધશ્રદ્ધા કહેવાય અંધવિશ્વાસ કહેવાય.
Ok
» શ્રદ્ધા અને વિશ્વાસનુ કાંઈક ફળ હોવું જોઈએ અને ઉર્ધ્વગતિ થવી જોઈએ જો અધોગતિ થતી હોય તો એને અંધશ્રદ્ધા અંધવિશ્વાસ કહેવાય.
Ok
*Title
- _સત્સંગમાં અચડપાયો કોનો થાય?_”
» નિષ્કપટ ભાવે સેવા કરવી એટલે દેખાદેખીથી, હરીફાઈથી, વખાણ માટે ન કરવી મહિમાથી કરવી.
Ok
» સત્સંગમાંથી વિમુખ થઈ છે એનું મુખ્ય કારણ છે કે પોતાની અભરખા પુરી નથી થતી.
Ok
» પોતાની અભરખા સત્સંગમાં પૂરી થતી હોય અને આપણે ખુશ થતા હોય તો વિચારવા જેવું છે.
Ok
“બ્રહ્માહં કૃષ્ણ દાસોસ્મિ” એનો અર્થ છે મારામાં કોઈ અધુરી નથી તો હું અધુરો છે.
Ok
» મહિમાની અભિવ્યક્તિ સેવાથી જ થાય છે.
Ok
» માંદા સાધુની સેવા કરવી એટલે તેમની રિક્વાયરમેન્ટ પૂરી કરવી.
Ok
» રિક્વાયરમેન્ટ બે પ્રકારની હોય છે એક રિયલરિક્વાયરમેન્ટ અને બીજી મિશન અંગેની રિક્વાયરમેન્ટ.
Ok
» મહારાજનો સાચો મહિમા સમજાણો હોય એ પોતાને અધુરો જ માને.
Ok
» આપણો છેલ્લો શ્વાસ સત્સંગમાં મુકાઈ એવી દૃઢતા હોય તો એ સત્સંગમાં અચડપાયો ગણાય.
Ok
» સત્સંગની ક્રિયાઓ કરતા કરતા કરવાનું એ છે કે ભગવાનની મૂર્તિની સ્મૃતિ રાખવી, જ્ઞાન ઉપાસના શીખવી, સત્સંગ-કુસંગ ઓળખવો અને સત્સંગમાં અચડપાયો કરવો.
Ok
» મનગમતી વસ્તુ ભગવાનના ભક્તને આપવી એટલે ભગવાનના ભક્તને ભોગની પ્રાયોરિટી આપવી.
Ok
*Title
- _અંગ નક્કી કેમ કરવુ._”
» બે-ત્રણ અંગ હોય એમાંથી જેનાથી આપણા જીવનને ભગવાનના માર્ગમાં સમાસ થાય એને સિલેક્ટ કરી ડેવલપ કરવું.
Ok
» અંગ એને કહેવાય કે જેનાથી ભગવાન રાજી થાય અને ભગવાનના કામમાં આવે અને પોતાનો સમાસ થાય.
Ok
» જે નવધા ભક્તિમાં આપણી મહેનત કરતાં આપણને વધારે ફળ મળતું હોય કે સમાજ થતો હોય એ આપણુ અંગ કહેવાય.
Ok
» ભૂતકાળમાં પોતાને જે નવધાભક્તિથી સમાજ થયો હોય એને વિચારે તો પોતાનું અંગ પકડાય.
Ok
» કથામાં નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ થઈ જાય છે, એમાં કથાનો રોલ છે.
Ok
» આપણામાં કોઈ રસ પુષ્કળ હોય પણ એનાથી મહારાજ રાજી થાય એમ ન હોય તો એ અંગ તરીકે ન લેવાય અને બીજા કે ત્રીજા નંબરનો ઓછો રસ હોય એને ડેવલપ કરી અને અંગ બનાવવું.
Ok
» અંગમાં રહીને ભક્તિ કરવી એનો અર્થ એવો છે કે એને પ્રધાન રાખવી એવો નહીં કે સેવાનું, કીર્તનનું કે કથાનું નંગ હોય એટલે આરતીમાં ન જાવું કે પૂજા ન કરવી.
Ok
» કથાનો સ્વભાવ છે કે પોતાની ખામીઓને બતાવે અને સાંભળતા સાંભળતા દેખાતી હોય તો એ જાગૃતિ કહેવાય અને સારી નિશાની કહેવાય.
Ok
» અર્જુનનું અંગ કયું છે એ શ્રીકૃષ્ણ ભગવાનને ખબર હતી અર્જુનને નહોતી.
Ok
» ફ્રી ટાઇમમાં આપણને શું કરવાની ઈચ્છા થાય છે એ આપણો રસ અને અંગ હોય.
Ok
» આ વચનામૃતમાં મહારાજે સાઇકોલોજી કહી છે જેમ જગતમાં માણસોની નબળાઈ ઉપર બિઝનેસ ચાલે છે, એમ મહારાજે પોતાની સારી હોય એનો ભગવાનના માર્ગમાં કેમ ઉપયોગ કરવો એની વાત કરી છે.
Ok
» ન ખાવાનું ખવાઈ જાય, ન જોવાનું જોવાઈ જાય, ન અડવાનું અડાય જાય, એ જ વિષયના ઘા લાગ્યા કહેવાય.
Ok
*Title
- _અંગ નક્કી કેમ કરવુ ?_
» બે-ત્રણ અંગ હોય એમાંથી જેનાથી આપણા જીવનને ભગવાનના માર્ગમાં સમાસ થાય એને સિલેક્ટ કરી ડેવલપ કરવું.
Ok
» અંગ એને કહેવાય કે જેનાથી ભગવાન રાજી થાય અને ભગવાનના કામમાં આવે અને પોતાનો સમાસ થાય.
Ok
» જે નવધા ભક્તિમાં આપણી મહેનત કરતાં આપણને વધારે ફળ મળતું હોય કે સમાજ થતો હોય એ આપણુ અંગ કહેવાય.
Ok
» ભૂતકાળમાં પોતાને જે નવધાભક્તિથી સમાસ થયો હોય એને વિચારે તો પોતાનું અંગ પકડાય.
Ok
» કથામાં નિર્વિકલ્પ સમાધિ જેવી શાંતિ થઈ જાય છે, એમાં કથાનો રોલ છે.
Ok
» આપણામાં કોઈ રસ પુષ્કળ હોય પણ એનાથી મહારાજ રાજી થાય એમ ન હોય તો એ અંગ તરીકે ન લેવાય અને બીજા કે ત્રીજા નંબરનો ઓછો રસ હોય એને ડેવલપ કરી અને અંગ બનાવવું.
Ok
» અંગમાં રહીને ભક્તિ કરવી એનો અર્થ એવો છે કે એને પ્રધાન રાખવી એવો નહીં કે સેવાનું, કીર્તનનું કે કથાનું અંગ હોય એટલે આરતીમાં ન જાવું કે પૂજા ન કરવી.
Ok
» કથાનો સ્વભાવ છે કે પોતાની ખામીઓને બતાવે અને સાંભળતા સાંભળતા દેખાતી હોય તો એ જાગૃતિ કહેવાય અને સારી નિશાની કહેવાય.
Ok
» અર્જુનનું અંગ કયું છે એ શ્રીકૃષ્ણ ભગવાનને ખબર હતી અર્જુનને નહોતી.
Ok
» ફ્રી ટાઇમમાં આપણને શું કરવાની ઈચ્છા થાય છે એ આપણો રસ અને અંગ હોય.
Ok
» આ વચનામૃતમાં મહારાજે સાઇકોલોજી કહી છે જેમ જગતમાં માણસોની નબળાઈ ઉપર બિઝનેસ ચાલે છે, એમ મહારાજે પોતાની સારી હોય એનો ભગવાનના માર્ગમાં કેમ ઉપયોગ કરવો એની વાત કરી છે.
Ok
» ન ખાવાનું ખવાઈ જાય, ન જોવાનું જોવાઈ જાય, ન અડવાનું અડાય જાય, એ જ વિષયના ઘા લાગ્યા કહેવાય.
Ok
*Title
- _ભગવાનનો વેગ લાગ્યો ક્યારે કહેવાય?_
» જ્યારે ભગવાનને પ્રાપ્ત કરવાના સાધનોમાં વેગ આવે ત્યારે ભગવાનનો વેગ લાગ્યો કહેવાય.
Ok
» નોર્મલ સ્પીડ કરતા વધુ સ્પીડ થાય ત્યારે અને વેગ કહેવાય.
Ok
» જ્યારે નિર્દોષ થવાના સાધનોમાં વેગ લાગે ત્યારે એને આત્માનો વેગ લાગ્યો કહેવાય.
Ok
» ભગવાન સંબંધી ક્રિયાઓમાં જાગૃતિ ન રાખે તો એ રૂટિન થઈ જાય છે.
Ok
» ભોગ અને સમૃદ્ધિ કરતાં પણ સત્તામાં સુખ અધિક છે.
Ok
» સત્તાનું સુખ ક્યારે આવે જ્યારે સત્તામાં લટ્ટુ ન થાય અને ત્યાગ રાખે ત્યારે.
Ok
» પંચવર્તમાન પાળવાનો વેગ લાગે ત્યારે એને આત્માનો વેગ લાગ્યો કહેવાય.
Ok
» સુપ્રીમ સત્તા કેવળ મહારાજની છે.
Ok
» સત્તામાં ભગવાને વાસ્તવિક સુખ અને ફાયદો મૂક્યો છે.
Ok
*Title
- _ભગવાનનો વેગ કેમ લાગે?_”
» નિષ્કામ સેવાને મહારાજે આખા વચનામૃતમાં શ્રેષ્ઠ સાધન કહ્યું છે.
Ok
» માણસને સત્તા હોય એનું સુખ ક્યારે આવે તો જો એમાં લટ્ટુ ન થાય આશક્ત ન થાય તો આવે.
Ok
» મહારાજે વચનામૃતમાં સત્સંગ જેવું બીજું કાંઈ કહ્યું નથી, અને ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગ જેવું બીજું કોઇ સાધન નથી એમ કહ્યું છે.
Ok
» જેનું મનન થાય એનું સુખ આવે આપણે આખો દિવસ ભગવાન સિવાય બીજું મનન તો કરતા જ હોઈએ છીએ.
Ok
» મહારાજે આ વચનામૃતમાં ભગવાનના મહિમાનો વેગ, સર્વ સત્તાનું કેન્દ્ર છે એનો વેગ, સર્વ સુખનું કેન્દ્ર છે એવો વેગ, સર્વ કળાના નિધિ છે એનો વેગ અને બધા કરતા મોટા છે તેનો વેગ લગાડવાનું કહ્યું છે.
Ok
» વેગ વધારવા માટે જેને વેગ લાગ્યો હોય એની સાથે જોડાય તો વધે.
Ok
» મહારાજે ધ્યાન કરતાં પણ મનનને વધારે કહ્યું છે.
Ok
» સત્સંગ એટલે ભગવાન ને ભગવાનના સાચા ભક્તમાં હેત કરવું.
Ok
*Title
- _ભગવાનનો નિશ્ચય થવાની પ્રક્રિયા._
» જે વસ્તુ જેવી હોય એવી જણાય જવી કે જાણવી એને જ્ઞાન કહેવાય.
Ok
» ભગવાનની બાબતમાં જ એવી વિશેષતા છે કે ભગવાનનું સાચું જ્ઞાન થઇ જાય તો નિશ્ચય ઓટોમેટીક થઈ જાય
Ok
» ભગવાન મારા છે એ નિશ્ચયની શરૂઆત છે અને ભગવાન સિવાય મારું બીજું કોઈ નથી એ નિશ્ચયની પરાકાષ્ટા છે
Ok
» જ્ઞાન > વિવેક > મહિમા > નિશ્ચય > ભક્તિ > નિષ્ઠા અને ઉપાસના એ અક્ષરધામમાં જવાની પરંપરા છે
Ok
» ભગવાનના ભક્તમાં કેવું હેત કરવું તો જેવુ દેહના સંબંધીમાં છે એવું કેલ્ક્યુલેશન વગરનું હેત કરવું
Ok
» માણસને સારામાં હેત નથી થતુ, મારામાં હેત થાય છે
Ok
» મૂઢ એટલે કાંઈ ખબર ન પડતી હોય એમ નહીં પણ બીજાની આગળ પોતાને કમ જોખતા હોય એ મૂઢ ગણાય
Ok
» સંગ > કામ > ક્રોધ > સંમોહ > સ્મૃતિનાશ > બુદ્ધિનાશ > વિનાશ એ વિનાશની પરંપરા છે
Ok
» ડાયરેક્ટ જીવમાં નિશ્ચય નથી થતો બુદ્ધિ દ્વારા જ થાય છે
Ok
» નિશ્ચયમાંથી પડવાના બે પરિબળ છે એ તો પોતાનો સ્વાર્થ ઘસાવો અને ભગવાનના ચરિત્રમાં સંશય થવો
Ok
» આસક્તિ અને મોહ હોય તો ઉપર કહી એ નિશ્ચયની પરંપરા બ્રેક થઈ જાય છે
Ok
» મારાપણું બે પ્રકારે થાય છે એક તો મહિમાથી અને બીજો સંબંધથી છે
Ok
» આપણે ભક્તિ કરતા હોય એટલે આપણને નિષ્ઠા હોય જ એવું નથી
Ok
» રિલેશનશિપ જાળવવા માટે ઘસારો ખમવો પડતો હોય છે એવી રીતે ભગવાનના ભક્ત સાથે પણ ખમવું
Ok
*Title
- _પતિવ્રતાની ભક્તિ કોને કહેવાય?_
» મહારાજે શિક્ષાપત્રીમાં અને વચનામૃતમાં પાને પાને શ્રી કૃષ્ણનું નામ લખ્યું છે છતાં સત્સંગમાં કોઈ એમનું ધ્યાન ભજન કરતા નથી મહારાજનું જ કરે છે માટે શાસ્ત્ર કરતા રૂઢિ બળવાન છે.
Ok
» જ્યારે કોઈ આપણા વખાણ કરે કે તમારા જેવું કોઈ નહીં ત્યારે આપણું માથું ફરી જતું હોય છે.
Ok
» દરેક સંપ્રદાયમાં ગુરુ અને ઉપાસ્ય અલગ અલગ હોય છે દાખલા તરીકે વલ્લભાચાર્યજી અને શ્રી કૃષ્ણ, ભગવાન તુલસીદાસજી અને રામ ભગવાન, જ્યારે આપણા સંપ્રદાયમાં ગુરુ અને ઉપાસ્ય બંને મહારાજ જ છે માટે ઉપાસનાની બાબતમાં મહારાજ કરતાં પણ સંતોના વચન અધિક છે અને ધર્મની બાબતમાં મહારાજના વચન છે અધિક છે.
Ok
» શાસ્ત્ર કરતાં પણ અને અવિગીત અને અલૌકિક શુદ્ધ પરંપરા છે એ શ્રેષ્ઠ છે.
Ok
» આ વચનામૃતને આધારે મહારાજ કરતાં પણ સાચા સંતમાં વધારે હેત કરવું અને બીજા અવતારો માંથી તોડીને પણ મહારાજ કરવુ કારણકે શાસ્ત્ર કરતાં રૂઢિ બળવાન છે.
Ok
» પતિવ્રતાનો અર્થ એ છે કે બીજે હેત ન કરવુ અનન્યતા રાખવી, નઈ કે પોતાને ગોપી માનવું.
Ok
*Title
- _ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે._”
» ગરુડજી અનાદિમુક્ત હતા તો પણ એમને કેમ સંશય થયો? કારણકે કાઈ કુસંગ હોય એવું તો દેખાતું નથી તેનું કારણ છે અસાવધાની.
Ok
» અસાવધાની હોય તો મુકતને પણ સંશય થાય અને સાવધાની હોય તો પામર જેવો જીવ હોય એને પણ ન થાય.
Ok
» આપણો નિશ્ચય કેટલો પક્વ છે કે આ ભગવાન છે, તો ધારણા કરવી જોઈએ કે મને ગરુડ જેવું થાય તો કેમ થાય?
Ok
» ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે ભગવાનનો સંકલ્પ છે એટલે મન કે ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનને પકડી શકે છે.
Ok
» ભગવાનને યથાર્થ જાણ્યા ક્યારે કહેવાય તો ભગવાનના મહિમાને જાણે ત્યારે.
Ok
» મહિમાની પુર્ણાહુતી ક્યારે જાણવી તો મહારાજ જેવો કોઈ નથી અને ભવિષ્યમાં પણ એવો થવાને કોઈ સમર્થ નથી એવી આટી પડે ત્યારે પૂર્ણાહુતિ થાય.
Ok
» કોના ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન રૂપ થઈ જાય છે તો જેનું અહમ સંપૂર્ણ બળી ગયું હોય એના.
Ok
» ભગવાનનો સંકલ્પ હોય તો પણ બધાના ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન રૂપ નથી થઈ જતા કારણ કે પોતાની ફિક્વન્સી મેળવે તો થાય.
Ok
» દેહ સહિત નિશ્ચય હોય એને સવિકલ્પ નિશ્ચિત કહેવાય, અને દેહભાવ રહિત હોય એને નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય.
Ok
» ભગવાનનું અહમ એ જ પોતાનો અહમ અને ભગવાનનું મિશન પોતાનું મિશન થાય તો એ ભગવાન રૂપ થયો ગણાય.
Ok
» કાચો નિશ્ચય હોય એ પાકો કેમ થાય તો અતિ શ્રદ્ધા હોય અને ઉત્તમ ગુરુ હોય તો થાય.
Ok
*Title
- _ભગવાન સ્વામિનારાયણના અવધૂત પરામહંસો._”
» મહારાજના પરમહંસો અમે સ્વામિનારાયણના સેવક છીએ એવું સાબિત કરવા માટે ખાંગા થઈ જતા.
Ok
» સત્સંગ જેવુ કોઈ સત્કર્મ નથી અને કુસંગ જેવુ કોઈ અસત્કર્મ નથી.
Ok
» મહારાજે શાસ્ત્રો કરતાં પણ ક્રાંત દ્રષ્ટિ રાખી છે, દત્તાત્રેય ભગવાન પરમહંસ હતા પણ એમણે વેશ્યાને પણ ગુરુ કરી મહારાજ કહે અમારા અવધૂત પરમહંસોએ એવું ન કરવું, મનનો વિશ્વાસ ન કરે એવા અવધૂત મહારાજને ગમે છે.
Ok
» સત્કર્મો અને સારા સંકલ્પોને જેટલા ગુપ્ત રાખે એકલા એ બળવાન બને છે.
Ok
» સત્તાં માર્ગં અદુષયન્ એનો અર્થ એ છે કે ભગવાનની સ્મૃતિ બ્રેક ન થાય.
Ok
» અપમાનથી સ્ટ્રેન્થ વધે છે પણ કોને તો જેને માંનની અભરખા ન હોય તેને.
Ok
» પોતાની સામર્થી અને ભગવાનમાં સ્થિતિને સ્વપ્નમાં પણ પ્રમોટ થઇ ન જાય એવી સાવધાની હોય એને અવધૂત કહેવાય.
Ok
» સામર્થી એટલા માટે છુપાવવી કે ભગવાનની સ્મૃતિ બ્રેક ન થાય.
Ok
» આપણી બુદ્ધિમાં ન આવે એને ચમત્કાર કહેવાય.
Ok
*Title
- _અંતઃશત્રુ ને કેમ ટાળવા ?_”
» મમતા માંથી રાગ જન્મે છે
Ok
» આત્મનિષ્ઠા હોય તો કામાદિક ઓછા થાય એટલે કે કંઈક સહન કરવાની શક્તિ હોય તો થાય
Ok
» અવિદ્યા એટલે ભગવાનથી ઉંધુ જ્ઞાન
Ok
» રોકેટની જેમ બર્નિંગડિઝાયર ની આગ લાગે તો આને આ જન્મે ભગવાન પાસે પહોંચી જાય
Ok
» ભગવાન, શાસ્ત્ર અને સત્પુરુષનો વિશ્વાસ આવે તો મોક્ષનો માર્ગ હાથમાં આવે છે
Ok
» અનુકૂળતા બંધન કરતી નથી પણ અનુકૂળ બુદ્ધિ છે એ બંધન કરે છે
Ok
» જ્યાં સુધી પંચવિષયમાં રુચિ છે ત્યાં સુધી ધર્મજ્ઞાન આદિક અને શ્રીજી મહારાજ અંતઃકરણમાં સ્થિર થતા નથી
Ok
» ઈષ્ણા મા આ જન્મ નો વેગ હોય છે અને અભિનિવેશ માં જન્મ-જન્માંતર નો ભેદ હોય છે
Ok
» એશ-આરામ ને બીટ કરવા હોય તો કર્તવ્ય અને ગોલ થી થાય છે
Ok
» અસ્મિતા એટલે ખોટી જગ્યાએ મમતા અને સાચી જગ્યાએ મમતા એટલે ભક્તિ
Ok
» અભિનિવેશ 24 કલાક નડતો નથી પણ મરવા ટાણે તો ખાસ નડે છે
Ok
» અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ નેગેટીવ series છે
Ok
» જય ભક્તિ મહિમા નિશ્ચય ભક્તિ નિષ્ઠા ઉપાસના એ પોઝિટીવ series છે
Ok
» પુત્રેષ્ણા માં ઘરવાળાની ઈષ્ણા આવી જાય છે
Ok
» શત્રુઓ માં ઘણા પ્રકાર છે, ભૂખ-તરસ છે નિત્ય શત્રુ છે, કામ લોભ આદિ ઈશ્વર સર્જિત શત્રુઓ છે, ઈર્ષા-અહમ-મમતા એ માનવ સર્જિત શત્રુઓ છે
Ok
» ઈશ્વર સર્જિત શત્રુઓનો કંટ્રોલ થઈ શકે છે મનુષ્ય માનવસર્જિત ને મૂળમાંથી નાશ કરવાના હોય છે નિત્યશત્રુ એને પણ મેનેજ કરવાના હોય છે
Ok
» માન માં ન્યુટ્રીશીયન છે એટલે માનને આધારે આહાર વિના પણ જીવે છે
Ok
*Title
- _ઉત્તમ પંચવિષય કનિષ્ઠ કેમ થાય?_”
» જેમ રૂપનું સુખ નેત્રથી, સ્વાદનું સુખ જીવથી આવે છે એમ ભગવાનનું સુખ લેવાની ઈન્દ્રિય મન છે.
Ok
» ઉત્તમ પંચવિષય કનિષ્ઠ પંચવિષય ક્યારે થાય? તો એના કરતાં મોટા સુખમાં દૃષ્ટિ પહોંચે તો.
Ok
» અનુકૂળ પરિસ્થિતિમાં પણ માણસને મોહ હોય છે.
Ok
» મિનિંગ લેસ ક્રિયા કરવી એ તમોગુણનુ કાર્ય છે.
Ok
» ઉત્તમ પંચવિષયને અતિકનિષ્ઠ વિષય જેવા કરવા માટે મહિમા અને અતિ આત્મનિષ્ઠા હોય તો થાય.
Ok
» આત્મનિષ્ઠા વિના નિષ્કામ ભાવ આવતો નથી.
Ok
» ભગવાનનું સુખ અનુભવ વિના પણ દૈવી ભાવથી મનાઈ છે.
Ok
» મનન દ્વારા ભગવાનનું સુખ કેવુ છે એની અનુભૂતિ થાય છે પણ કેટલું છે એની અનુભૂતિ તો ધામમાં ગયા પછી થાય છે.
Ok
» નિષ્કામ સેવા, ભલે ઇન્દ્રિયોના આયામ રૂપ અને ચંચળ અને પ્રવૃત્તિ પ્રધાન છે તોપણ ગુણોના વેગ ઓછા કરવાનું કામ કરે છે.
Ok
» મહિમા હોય પણ આત્મનિષ્ઠા ન હોય તો પ્રવૃત્તિ વધારે થાય પણ બંધન થવાની શક્યતા રહે છે.
Ok
» મહારાજની મૂર્તિ અને સત્સંગ તો બધાને એકસરખો જ મળ્યો છે છતાંય ઓળખાણના આધારે ઓછુંવત્તું સુખ આવે છે.
Ok
» ગુણોમાં વેગ નથી એની પ્રવૃત્તિમાં વેગ હોય છે પણ એ વેગને ટાળવાની જરૂર નથી બદલાવાની જરૂર છે.
Ok
» રમણીય પંચવિષય માંથી મોહની ઉત્પત્તિ થાય છે અને ભ્રાંતિ એનું સ્વરૂપ છે.
Ok
» આત્મા પરમાત્માના વેગથી એટલે મહિમાના વેગથી, એના સુખના વેગથી નિવૃત્તિ થાય છે.
Ok
» સંસ્થા પ્રત્યે આપણો અભિગમ કેવો છે એના આધારે આપણી સેવાનું પરિણામ આવે છે.
Ok
» પંચવિષય, એને પદાર્થનું પૂરું જ ન થાય તો એને કહેવાય.
Ok
» નિષ્કામ સેવા કરે તો ઉત્તમ પંચવિષય કનિષ્ઠ થઈ જાય.
Ok
*Title
- _અહમવૃતિ કેમ બદલે ?_”
» અહમને બદલાવવાની પ્રેક્ટિસ માનસિક કરવાની હોય છે.
Ok
» પોતે પોતાને જેવો માને છે એ અહમ છે.
Ok
» સંસારમાં તો ઘેરે ઘેરે અહમ બદલે છે એમ ભગવાનના માર્ગમાં પોતાનો અહમ બદલાવવો.
Ok
» જો પોતાનો અહમ્ ન બદલાય ને પાંત્રીસ ચાળીસ વર્ષ સુધી સેવા કરે તોપણ એનું ફળ ન થાય.
Ok
» અહમવૃતિ તો ઘણા પ્રકારની છે પણ મહારાજ અને મોટા સંતોની રુચિ પ્રમાણે હું સેવક છું એવી અહમવૃતિ બનાવવી.
Ok
» અહમ બદલાવે તો એનો એટીટ્યુડ અને ક્રિયા ઓટોમેટીક બદલી જાય છે.
Ok
» આપણી અહમવૃતિ આપણી દરેક ક્રિયામાં વ્યાપીને રહેલી હોય છે.
Ok
» જગતના માર્ગમાં ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ પ્રારબ્ધમાં લખ્યું હોય એટલું જ મળે છે જ્યારે ભગવાનના માર્ગમાં એટલું જ જો કરે તો ઝાઝુ મળે છે.
Ok
» અહમવૃતિ બદલાવવાની પોતાને ઉતાવળ હોવી જોઈએ.
Ok
» સિહનો એટીટ્યુડ એવો છે કે શિયાળ, હાથી કે જિરાફ નથી દેખાતું પણ ભોજન જ દેખાય છે એમ એવી જેની વૃતિ હોય તેને ગમે તેવી પરિસ્થિતિમાં સેવા જ દેખાવી જોઈએ.
Ok
» જગતનો માર્ગ ગેરેન્ટી વગરનો છે ભગવાનનો માર્ગ ગેરન્ટીવાળો છે.
Ok
» મહારાજ કંઈક રમૂજ કે ચરિત્ર કરતા હતા એ સંતો અને ભક્તોની મેન્ટાલીટી ચેન્જ કરવા માટે કરતા હતા.
Ok
» આપણે ઘર તો બદલાવ્યું છે પણ અહમ વૃત્તિ બદલાવી નથી.
Ok
» જેનો જીવ ભોગ અને ઐશ્વર્યમાં તણાઈ ગયો હોય એને અહમવૃતિ બદલાવવાનો સંકલ્પો પણ થતો નથી.
Ok
*Title
- _નિષ્કામ સેવા યોગનું ફળ શું ?_
» કર્મમાં નિષ્કામ ભાવ ભળે ત્યારે એ કર્મયોગ બને છે
Ok
» બીજાનું ધાર્યું કરવું એ ભગવાનની અખંડ સ્મૃતિ કરતાં પણ કઠણ છે
Ok
» આપણે ભગવાનને કાંધાનો માલ આપીએ છીએ કે ધારનો માલ આપીએ છીએ એનો તપાસ કરવો
Ok
» સેલિબ્રેશન છે એ સિદ્ધિઓનું નથી થતું હોતું પોતાના અહમનું થતું હોય છે
Ok
» નિષ્કામ કર્મયોગમાં બે પ્રકારના ફળ હોય છે એક તો ભગવાનમાં હેત થવું અને બીજું જે કર્મની સિદ્ધિ થવી, ભગવાન ‘ભગવાનમાં હેત થવું’ એ ફળને તત્કાળ આપે છે
Ok
» જશ બીજાને આપે ત્યારે નિર્માની થયો કહેવાય
Ok
» સિદ્ધિનું સેલિબ્રેશન કરવા માંડે ત્યાંથી પડતીની શરૂઆત થાય છે
Ok
» ઉપશમથી એશ્વર્ય ઉત્પન્ન થાય છે અને એશ્વર્યને નાશવંત જાણીને એનો ત્યાગ કરે તો એકાંતિક ભક્ત થાય છે
Ok
» પ્રકૃતિ પુરુષને પોતાનું ધાર્યું કરવું એ મોટો વિષય છે
Ok
» રસ પુરીના રસ કરતાં પોતાનું ધાર્યું કરવું એમાં વધુ રસ હોય છે
Ok
» ઉપશમના ફળનો ત્યાગ કરે તો ભગવાનમાં હેત થાય
Ok
» પુરુષાર્થ નિષ્કામ ભાવ કેળવવામાં કરવો
Ok
» પોતાથી ઉપશમ ન થતું હોય તો નિષ્કામ કર્મયોગ કરવો
Ok
» ભગવાન પ્રોજેક્ટ પૂરો થઈ જાય એની ગેરેંટી નથી આપતા પણ યોગ સિદ્ધ થાય એની ગેરન્ટી આપે છે
Ok
» પોતાનું ધાર્યું મૂકવું હોય તો ભગવાન અને મોટા પુરુષનું ધાર્યું કરતા શીખવું
Ok
» ભગવાન growth નથી જોતા પણ capacity કેટલી વાપરી છે એ જોવે છે
Ok
» ઉભરો આવે એને દબાવે તે અક્ષરનો ભાવ છે
Ok
» ઉપશમ કરે અને સિદ્ધિ આવ્યા પછી ફેર પડી જાય છે તેનું કારણ છે ઉપશમ કર્યા પહેલાનો હેતુ
Ok
» અતિશય વેગથી ભગવાનમાં જોડાય તો એનો હેતુ નિષ્કામ થઇ જાય છે
Ok
» લૌકિક ક્રિયાના beneficier ભગવાન ને ભગવાનના ભક્તને કરે તો ભગવાન રાજી થાય છે
Ok
» પોતાની ક્રેડિટ માટે નહીં પણ પોતાની ટીમના મોટીવેશન માટેની ઇચ્છા રાખી હોય અને તે પૂરી ન થાય તો ભડકો ન થવો જોઈએ, પણ liberal રહેવું
Ok
» જીવ રેડીને નિષ્કામ સેવા કરે તો પણ ઉપશમ દશા આવે છે
Ok
» વૈરાગ્ય ત્રણ પ્રકારે થાય છે આંટી, અભાવ અને ઉપશમ અનુક્રમે કનિષ્ઠ મધ્યમ શ્રેષ્ઠ છે
Ok
*Title
- _માન એટલે શું ? અને કેમ ટળે ?_
» પોતાને વિષે પૂજ્યબુદ્ધિ એ માનનુ સ્વરૂપ છે અને ભગવાનના ભક્તને વિષે પૂજ્યબુદ્ધિ એ નિર્માનનું સ્વરૂપ છે
Ok
» માન મનથી ભોગવાય છે અને માનનો ત્યાગ પણ મનથી થાય છે
Ok
» જો મહિમા સમજે તો ઓટો મોટિવેટેડ રહે
Ok
» વખાણ છે એ માનનું કુપથ્ય છે
Ok
» જે ઈન્દ્રથી જે વિષય ભોગવાય તે વિષયનો તે જ ઇન્દ્રિયોથી ત્યાગ પણ થાય છે
Ok
» બીજા બધા દોષો જીત્યા પછી માન આવે છે એટલા માટે મહારાજે છેલ્લુ વર્તમાન નિર્માની વર્તમાન કહ્યું છે
Ok
» માન-અપમાન, સુખ-દુઃખ અને ભગવાનનું સુખ એ મનના વિષય છે
Ok
» પોતાને સારો માનવો એ ગુનો છે, પોતે સારું થવું એ કર્તવ્ય છે
Ok
» ક્રિયા સિદ્ધિ સાધનોથી નહી પણ પાણીથી થાય છે
Ok
» પોતાને વિષે પૂજ્ય બુદ્ધિ એ માન છે અને પોતાને કોઈ પૂછે, બીજા મને પૂછે એ મોટાઈ છે
Ok
» i can do આત્મવિશ્વાસ છે, only i can do એ માન છે
Ok
» સેવક ભાવ છે એ નિર્માની થવાનું સાધન છે
Ok
» મનમાં ભગવાન આવે તો જીવમાં ભગવાન આવે છે
Ok
» શાસ્ત્રીજી મહારાજ એમ કેતા કે કોઈ માન આપે તો એમ કહેવું કે “ હું લૂંટાઈ ગયો, હું લૂંટાઈ ગયો”
Ok
» વખાણ અને અનુકૂળતા એ ભગવાનના માર્ગે ચાલવાની strength એવી કરે છે
Ok
» જો સાચો હોય તો અપમાન અને પ્રતિકૂળતા સ્ટ્રેન્થ વધારે છે
Ok
» વખાણમાં દોષબુદ્ધિ રહે તો માન ટળે છે
Ok
» નિર્માનીપણાનું જે માન રહેવું એનો ગર્ભિત અર્થ એ છે કે મારા જેવો કોઈ સન્માનનીય નહીં
Ok
» દ્રોહ, કપટ અને ઈર્ષાનું મૂળ માન છે
Ok
» નાના હોય એ બાફે છે ત્યાં સુધી એમને સલાહ આપવી
Ok
» માની હોય તે બીજાની સાથે સેવા ન કરી શકે
Ok
” એને માણસોની કિંમત છે, સાચા-ખોટાને ઓળખે છે, વિવેક છે, ડાહ્યા છે “ આ બધાને માન ભોગવ્યું કહેવાય, વખાણ કર્યા પછી આવે છે
Ok
» મોટીવેશનની ઈચ્છા રહે છે એ માન નથી પણ કચાશ છે
Ok
» આખું જગત એને પૂજતું હોય એ માન ન કહેવાય પણ પોતે પોતાને પૂજ્ય માને એ માન કહેવાય
Ok
*Title
- _બ્રહ્મરૂપ થવાનો સહેલો ઉપાય._
» માયાના બંધન કરતાં સ્વતંત્ર મિજાજ વધુ બંધનકારી છે
Ok
» મને ભગવાનમાં કેટલું હેત છે અને જગતમાં કેટલું છે એનુ સેલ્ફ એનાલિસીસ કરવું એને અંતરવૃત્તિ કરી કહેવાય
Ok
» જીવના કલ્યાણ માટે ભગવાન અને એકાંતિક સંત છે એ શ્રેષ્ઠ છે
Ok
» ક્યારેક સિદ્ધદશાને પામ્યા હોય પણ બ્રહ્મરૂપ ન હોય અને ક્યારેક માયિક દેહમાં પણ બ્રહ્મરૂપ થઈ જતા હોય
Ok
» પોતાના સંકલ્પોનું એનાલિસીસ કરવું પછી એસેસેમેન્ટ કરવું અને પછી પ્લાનિંગ કરવું એ અંતરવૃત્તિ છે
Ok
» હું બ્રહ્મ છું અને જગતથી જુદો છું એવી ભાવના રાખવી એ જ્ઞાનયોગ છે
Ok
» બીજાનું એનાલિસીસ કરવું એ બાહ્યવૃત્તિ છે
Ok
» ભગવાનને રાજી કરવા જે કર્મ કરે તેને નિષ્કામ સેવાયોગ કહેવાય
Ok
» ભગવાનમાં હેત થાય છે તે ભગવાનના એકાંતિક સંત દ્વારા જ થઈ શકે છે
Ok
» આપણે જ્યારે ધામમાં જઈએ છીએ ત્યારે બીજું કાંઈ સાથે આવતું નથી રાજીપો કુરાજીપો સાથે આવે છે
Ok
» નિષ્કામ કર્મયોગ વિના જ્ઞાનયોગ સિદ્ધ થતો નથી
Ok
» પોતાના સંકલ્પો લખવાથી સેલ્ફ એનાલિસિસ થાય છે
Ok
» સાધન દશામાં જેવી ભાવના હોય છે એવી જ ભાવના મુક્તદશામાં પણ રહે છે
Ok
» નબળા સંકલ્પોને codeword માં લખવા અને જે ટોપ વન હોય એવા લખવા
Ok
» સારા સંકલ્પો એટલા ભરી દેવા કે નબળા સંકલ્પોને ચાન્સ જ ન મળે
Ok
» નિષ્કામ સેવાયોગ કરતાં કરતાં જ્ઞાન યોગનું અનુસંધાન રાખવું તો જડ ન થઈ જવાય
Ok
» નવરા ન રહેવું એ સારી વાત છે પણ રિસ્પોન્સિબિલિટી માટે નવરા જ ન થવું એ સારી વાત નથી
Ok
» કળિયુગનો દીકરો ક્લેશ પછી એની દીકરી ચૂંટણી થઈ અને પછી ચૂંટણીને બે દીકરા થયા કમ્પ્યુટર અને મોબાઈલ
Ok
» ભગવાન અને ભગવાનના સંતને બાંધેલી મર્યાદા પ્રમાણે યથાર્થ વર્તે તો એ બ્રહ્મરૂપ થાય છે
Ok
» માણસના 2 id હોય છે 1. inner id અને 2. outer id, outer id બધાને ખબર હોય છે, inner id ગુપ્ત હોય છે
Ok
» સેલ્ફ એનાલીસીસ એ બ્રહ્મરૂપ થવાનો સહેલો માર્ગ છે
Ok
» જેમ ઓક્સિજન છે એ જીવનદોરી છે એમ ભગવાનના એકાંતિક સંત છે એ કલ્યાણની જીવનદોરી છે એનાથી disconnect થયો એટલે ભગવાનથી પણ disconnect થઈ ગયો
Ok
» હું કોઈને રિપોર્ટિંગ ન કરું, મને બધા રિપોર્ટિંગ કરે એ સ્વતંત્ર મિજાજ છે
Ok
» બીજાનો ગુણ લેવો એ પણ બહિરવૃત્તિ જ છે
Ok
*Title
- _ભગવાનનું ઐશ્વર્ય અને મૂર્તિની અદ્વિતિયતા_
» સ્વામિનારાયણ શબ્દના અક્ષરો અને બીજા અક્ષર અક્ષરોમાં ફેર છે
Ok
» અવધૂતમાં જડભરતજી શ્રેષ્ઠ છે અને ત્યાગીમાં ઋષભદેવ ભગવાન શ્રેષ્ઠ છે કારણકે सतां मार्गम अदूषयन्
Ok
» ભગવાનનું બંધારણ એવું છે કે તેને જગતનું એક પણ પરિબળ કઈ કરી શકતું નથી
Ok
» પોતાના કામમાં આવે તે સદગુરુ અને ભગવાનના ભક્ત ના કામ માં આવે તે કલ્યાણ ગુણ
Ok
» યોગીનું ઐશ્વર્ય અને ભગવાનના ભક્તનું ઐશ્વર્ય એ બંને જુદા છે
Ok
» ભગવાનના જેવું દિવ્ય વિગ્રહ એમની આજ્ઞાથી પણ કોઈ ધરી શકતું નથી
Ok
» ઐશ્વર્યએ એ spirituality નથી પણ જન્મ મરણથી રહિત થઈને ભગવાનના સેવક થાવું એ spirituality છે
Ok
» ભગવાનમાં વૃત્તિ રાખીને બ્રહ્મરૂપ થવું એ અપ્રાકૃત છે અને સૌભરીની જેમ અનેક સ્વરૂપ ધારણ કરવા તે પ્રાકૃત છે
Ok
» અવધૂત થવું એટલે વિધિ-નિષેધને ખોટા નથી કરી નાખવાના
Ok
» અવધૂતપણું એટલે જગત આપણા પ્લસ પોઇન્ટને કોઈ જાણી ન જવા જોઈએ
Ok
» બધાનો ઉપદેશ તો શાસ્ત્ર પ્રમાણે જ હોય છે પણ જીવન શાસ્ત્ર પ્રમાણે હોતું નથી
Ok
» ઋષભદેવ ભગવાન બીજા ત્યાગીની શિક્ષાને અર્થે સિદ્ધિઓને ગ્રહણ કરતા ન હતા તેથી ત્યાગીમા તે શ્રેષ્ઠ છે
Ok
» બીજા ભોગ accept કરે એટલા માટે આપણે accept એ કરવું આપણો ભડભડિયો છે, લોકસંગ્રહ નહીં
Ok
» સારી કથા કરે છે કે સારું લખાણ કરે છે એટલે એ પણ સારા જ હોય એવું ન હોય, કથા પૂરી થયા પછી શું કરે છે એવા એ હોય
Ok
» પ્રધાનપુરુષ અનંત કોટી બ્રહ્માંડની રચના કરે છે તે ભગવાનની આજ્ઞાથી કરે છે, ભગવાન તો સ્વતંત્ર છે
Ok
» યોગથી પ્રકૃતિનો કંટ્રોલ થાય છે અને ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે અને ભક્ત છે એ ભક્તિથી ભગવાનને વશ કરે છે અને ભક્તોના સંકલ્પથી ભગવાન ઐશ્વર્ય ઉત્પન્ન કરે છે
Ok
» બીજાના સારા માટે આપણે કષ્ટ લેવું જોઈએ જેમકે શાસ્ત્રીજી મહારાજે 80 વર્ષ પછી બીજા સંતો માટે આજ્ઞા પાળતા હતા
Ok
» પોતાના જીવનું કલ્યાણ થાય નહીં એવું અવધૂતપણું રાખવું
Ok
» ભગવાનને માયાથી પર થવા માટે પ્રયત્ન કરવો પડતો નથી એ તો માયાના સ્વામી છે
Ok
» પ્રકૃતિ ઉપર ફોકસ કરવાથી એશ્વર્ય પ્રાપ્ત થાય છે, જીવ ઉપર ફોકસ કરવાથી કૈવલ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન ઉપર ફોકસ કરવાથી મુક્તિ,સેવાની પ્રાપ્તિ થાય છે
Ok
» ભગવાનનું ભજન કરવું એ સૌથી મોટું ઐશ્વર્ય છે
Ok
» ભગવાનમાં એવો સ્વાભાવિક વિલક્ષણ ગુણ રહ્યો છે કે બધા જીવ એમાં તણાય, બધાના પ્રાણ એમાં તણાય તેવું અદભુત આકર્ષણ ભગવાનના સ્વરૂપમાં રહ્યું છે
Ok
» ઉપાસનાનો ભંગ થાય એવી અહિંસા ન રાખવી
Ok