Utkarsh4 Flashcards
Spiritual
*Title
- _ભગવાનનું ઐશ્વર્ય અને મૂર્તિની અદ્વિતિયતા_
» સ્વામિનારાયણ શબ્દના અક્ષરો અને બીજા અક્ષર અક્ષરોમાં ફેર છે
Ok
» અવધૂતમાં જડભરતજી શ્રેષ્ઠ છે અને ત્યાગીમાં ઋષભદેવ ભગવાન શ્રેષ્ઠ છે કારણકે सतां मार्गम अदूषयन्
Ok
» ભગવાનનું બંધારણ એવું છે કે તેને જગતનું એક પણ પરિબળ કઈ કરી શકતું નથી
Ok
» પોતાના કામમાં આવે તે સદગુણ અને ભગવાનના ભક્ત ના કામ માં આવે તે કલ્યાણ ગુણ
Ok
» યોગીનું ઐશ્વર્ય અને ભગવાનના ભક્તનું ઐશ્વર્ય એ બંને જુદા છે
Ok
» ભગવાનના જેવું દિવ્ય વિગ્રહ એમની આજ્ઞાથી પણ કોઈ ધરી શકતું નથી
Ok
» ઐશ્વર્યએ એ spirituality નથી પણ જન્મ મરણથી રહિત થઈને ભગવાનના સેવક થાવું એ spirituality છે
Ok
» ભગવાનમાં વૃત્તિ રાખીને બ્રહ્મરૂપ થવું એ અપ્રાકૃત છે અને સૌભરીની જેમ અનેક સ્વરૂપ ધારણ કરવા તે પ્રાકૃત છે
Ok
» અવધૂત થવું એટલે વિધિ-નિષેધને ખોટા નથી કરી નાખવાના
Ok
» અવધૂતપણું એટલે જગત આપણા પ્લસ પોઇન્ટને કોઈ જાણી ન જવા જોઈએ
Ok
» બધાનો ઉપદેશ તો શાસ્ત્ર પ્રમાણે જ હોય છે પણ જીવન શાસ્ત્ર પ્રમાણે હોતું નથી
Ok
» ઋષભદેવ ભગવાન બીજા ત્યાગીની શિક્ષાને અર્થે સિદ્ધિઓને ગ્રહણ કરતા ન હતા તેથી ત્યાગીમા તે શ્રેષ્ઠ છે
Ok
» બીજા ભોગ accept કરે એટલા માટે આપણે accept એ કરવું આપણો ભડભડિયો છે, લોકસંગ્રહ નહીં
Ok
» સારી કથા કરે છે કે સારું લખાણ કરે છે એટલે એ પણ સારા જ હોય એવું ન હોય, કથા પૂરી થયા પછી શું કરે છે એવા એ હોય
Ok
» પ્રધાનપુરુષ અનંત કોટી બ્રહ્માંડની રચના કરે છે તે ભગવાનની આજ્ઞાથી કરે છે, ભગવાન તો સ્વતંત્ર છે
Ok
» યોગથી પ્રકૃતિનો કંટ્રોલ થાય છે અને ઐશ્વર્ય ઉત્પન્ન થાય છે અને ભક્ત છે એ ભક્તિથી ભગવાનને વશ કરે છે અને ભક્તોના સંકલ્પથી ભગવાન ઐશ્વર્ય ઉત્પન્ન કરે છે
Ok
» બીજાના સારા માટે આપણે કષ્ટ લેવું જોઈએ જેમકે શાસ્ત્રીજી મહારાજે 80 વર્ષ પછી બીજા સંતો માટે આજ્ઞા પાળતા હતા
Ok
» પોતાના જીવનું કલ્યાણ થાય એવું અવધૂતપણું રાખવું
Ok
» ભગવાનને માયાથી પર થવા માટે પ્રયત્ન કરવો પડતો નથી એ તો માયાના સ્વામી છે
Ok
» પ્રકૃતિ ઉપર ફોકસ કરવાથી એશ્વર્ય પ્રાપ્ત થાય છે, જીવ ઉપર ફોકસ કરવાથી કૈવલ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન ઉપર ફોકસ કરવાથી મુક્તિ,સેવાની પ્રાપ્તિ થાય છે
Ok
» ભગવાનનું ભજન કરવું એ સૌથી મોટું ઐશ્વર્ય છે
Ok
» ભગવાનમાં એવો સ્વાભાવિક વિલક્ષણ ગુણ રહ્યો છે કે બધા જીવ એમાં તણાય, બધાના પ્રાણ એમાં તણાય તેવું અદભુત આકર્ષણ ભગવાનના સ્વરૂપમાં રહ્યું છે
Ok
» ઉપાસનાનો ભંગ થાય એવી અહિંસા ન રાખવી
Ok
*Title
- _ભગવાન પૃથ્વી ઉપર ક્યા ધર્મનું સ્થાપન કરવા આવે છે ?_
» પ્રવૃત્તિ પાછળના હેતુના આધારે પ્રવૃત્તિધર્મ કે નિવૃત્તિધર્મ એ નક્કી થાય છે.
Ok
» પોતે એકાંતિક થવું એ એકાંતિક ધર્મ છે અને બીજાને ભગવાનમાં જોડવા મદદ કરવી એ ભાગવત ધર્મ છે.
Ok
» જેને ભાગવતધર્મની પ્રવૃત્તિ કરવી હોય એમણે સોનાનો દોરો થવું.
Ok
» ભાગવત ધર્મની પ્રવૃત્તિ એ એકાંતિક ધર્મ કરતાં પણ શ્રેષ્ઠ છે.
Ok
» ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ એ જ નિવૃત્તિ છે.
Ok
» ભાગવત ધર્મની પ્રવૃત્તિમાં આર્થિક રીતે સપોર્ટ કરવો એ પણ ભાગવત ધર્મ જ છે.
Ok
» ભગવાનનો સંબંધ એટલે તદર્થતા.
Ok
» ભાગવતધર્મ એટલે અનેક જીવોને ભગવાનમાં જોડવા, નવા ભક્તો ક્રિએટ કરવા.
Ok
» ભક્તિ કરતા એકાંતિક ધર્મ શ્રેષ્ઠ છે, એકાંતિક ધર્મ કરતાં ભાગવત ધર્મ શ્રેષ્ઠ છે.
Ok
*Title
- _આત્યંતિક મમતા કોને કહેવાય ?_”
» અહંકાર અને આસક્તિ ન હોય એ આખા જગતની પ્રવૃત્તિ કરે તોપણ એને ભગવાન યાદ આવે છે
Ok
» આત્યંતિક વસ્તુમાં કે વ્યક્તિમાં આત્યંતિક મમતા થાય તો આત્યંતિક કલ્યાણ થાય
Ok
» પ્રવૃત્તિ અખંડ સ્મૃતિને બ્રેક નથી કરતી પણ આશક્તિ અખંડ સ્મૃતિને બ્રેક કરે છે
Ok
» એવા ઇવેન્ટ તો બધાના જીવનમાં થતા હોય પણ દૈવી ભાવ હોય, સમજુ હોય, હૃદય ફળદ્રુપ હોય, એને ચટકી લાગે છે
Ok
» આપણા કરતા બેટર હોય એમની સાથે હેત રાખવું
Ok
» કેવળ કથા વાર્તા સાંભળવી એ શિબિરનો હેતુ નથી પણ ભગવાનના ભક્તોમાં પરસ્પર આત્મબુદ્ધિ થાય એ શિબિરનો હેતુ છે
Ok
» એક રેણીયે રહેવું એ નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે એનો અર્થ એમ કે એક ધારી મમતા રાખવી એ નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ શ્રેષ્ઠ છે
Ok
» અહંકાર સાધુઓને વરેલો છે અને આશક્તિ ગ્રહસ્થને વરેલી છે
Ok
» જેને ભગવાન શિવાય અને ભગવાનના ભક્ત શિવાય આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ મમતા ન રહે તેને સિદ્ધ કહેવાય
Ok
» ચટકી લાગે એને વૈરાગ્ય થાય એનો અર્થ એવો છે કે ચટકી લાગે એને ત્યાગ થાય
Ok
» મા-બાપ જેમ પોતાના છોકરાઓમાં એક તરફી હેત કરે છે એમ આપણે પણ ભગવાનના ભક્ત સાથે એક તરફી હેત કરવું
Ok
» ચટકી લાગે અને ઉતરી જાય એતો છટકી ન લાગે એના કરતાં પણ ખરાબ કહેવાય
Ok
*Title
- _ભગવાનનો નિશ્ચય થવાની પ્રક્રિયા._
» જે વસ્તુ જેવી હોય એવી જણાય જવી કે જાણવી એને જ્ઞાન કહેવાય.
Ok
» ભગવાનની બાબતમાં જ એવી વિશેષતા છે કે ભગવાનનું સાચું જ્ઞાન થઇ જાય તો નિશ્ચય ઓટોમેટીક થઈ જાય
Ok
» ભગવાન મારા છે એ નિશ્ચયની શરૂઆત છે અને ભગવાન સિવાય મારું બીજું કોઈ નથી એ નિશ્ચયની પરાકાષ્ટા છે
Ok
» જ્ઞાન > વિવેક > મહિમા > નિશ્ચય > ભક્તિ > નિષ્ઠા અને ઉપાસના એ અક્ષરધામમાં જવાની પરંપરા છે
Ok
» ભગવાનના ભક્તમાં કેવું હેત કરવું તો જેવુ દેહના સંબંધીમાં છે એવું કેલ્ક્યુલેશન વગરનું હેત કરવું
Ok
» માણસને સારામાં હેત નથી થતુ, મારામાં હેત થાય છે
Ok
» મૂઢ એટલે કાંઈ ખબર ન પડતી હોય એમ નહીં પણ બીજાની આગળ પોતાને કમ જોખતા હોય એ મૂઢ ગણાય
Ok
» સંગ > કામ > ક્રોધ > સંમોહ > સ્મૃતિનાશ > બુદ્ધિનાશ > વિનાશ એ વિનાશની પરંપરા છે
Ok
» ડાયરેક્ટ જીવમાં નિશ્ચય નથી થતો બુદ્ધિ દ્વારા જ થાય છે
Ok
» નિશ્ચયમાંથી પડવાના બે પરિબળ છે એ તો પોતાનો સ્વાર્થ ઘસાવો અને ભગવાનના ચરિત્રમાં સંશય થવો
Ok
» આસક્તિ અને મોહ હોય તો ઉપર કહી એ નિશ્ચયની પરંપરા બ્રેક થઈ જાય છે
Ok
» મારાપણું બે પ્રકારે થાય છે એક તો મહિમાથી અને બીજો સંબંધથી છે
Ok
» આપણે ભક્તિ કરતા હોય એટલે આપણને નિષ્ઠા હોય જ એવું નથી
Ok
» રિલેશનશિપ જાળવવા માટે ઘસારો ખમવો પડતો હોય છે એવી રીતે ભગવાનના ભક્ત સાથે પણ ખમવું
Ok
*Title
- _ભગવાનની સ્મૃતિનું મહત્વ._
» જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી અને સાધુ બ્રહ્મચારી સત્સંગી ને સંભારી રાખવા તો ભગવાનની સ્મૃતિ થાય
Ok
» આ વચનામૃત સ્વામીને બહુ ગમે છે કારણકે મહારાજે કર્મ વિપાકનો સાર અને સિદ્ધાંત એક વચનામૃતમાં કહી દીધો છે
Ok
» સુતા પહેલા જે છેલ્લો સંકલ્પ હોય એનું ફળ આખી રાત કર્યાનું મળે છે
Ok
» અંતકાળની સ્મૃતિમાં આજુબાજુના વાતાવરણનો સૌથી વધારે રોલ છે
Ok
» પુણ્યકર્મ બીજાને ટ્રાન્સફર થાય છે પાપ કર્મ નથી થતા
Ok
» અંતકાળે જે કર્મો સ્ટ્રોંગ હોય એના આધારે પછીનો જન્મ નક્કી થાય છે
Ok
» અંતકાળે કદાચ ભગવાનની સ્મૃતિ ન થાય પણ બીજું કાંઈ ન સંભારે તો ભગવાન સંભાળી લે છે
Ok
» અંતકાળે કર્મોની થપાટ લાગવાથી બુદ્ધિ મૂર્છિત થઇ જાય છે
Ok
» અતિ વેગથી થયેલું કર્મ બળવાન થાય છે પણ એનાથી પણ વધારે બળવાન ભગવાનના સંબંધી કર્મ છે
Ok
» મહારાજે સત્સંગમાં એવી વ્યવસ્થા કરી છે કે દરેક ક્રિયામાં ભગવાનની સ્મૃતિ થાય
Ok
» જે કર્મના બેનીફીશિયર ભગવાન હોય એ કર્મ ભગવાન સંબંધી થાય છે
Ok
» સાધક અવસ્થામાં ભક્તની જેવી ઈચ્છા હોય ધામમાં જવાની એવી ભગવાન પૂરી કરે છે
Ok
*Title
- _કોનામાં હેત થાય તો નિર્વાસનીક થવાય?_”
» શરીરનો ધર્મ છે કે વાસના વિના ટકી શકે નહીં શુભ અથવા અશુભ
Ok
» સ્વપ્નમાં જે વિચિત્ર સૃષ્ટિ કે વાસના દેખાય છે એ પૂર્વ કર્મને આધીન છે
Ok
» વાસનાની સ્મૃતિ થાય છે એ ભોગ વિના નથી થતી આ જન્મના અથવા પૂર્વ જન્મના
Ok
» વાસના નિર્મૂળ ક્યારે થાય તો અતિ નિર્વાસનિક પુરુષ હોય એનો ગુણ આવે એમાં હેત થાય એ કહે એમ કરે તો તત્કાળ નિર્મૂળ થાય
Ok
» ભોગ બે પ્રકારના છે એક તો સાક્ષાત અને બીજા માનસિક સંકલ્પ કરેલ
Ok
» તીવ્ર વાસના હોય તો વિષયનો સંકલ્પ થયા પછી પાછો ન વળે
Ok
» દુઃખમાં વાસના વધે કે ઘટે સામાન્ય રીતે તો વધે પણ જો ટાળવાની ઈચ્છા હોય તો ઘટે
Ok
*Title
- _ત્યાગીના કુલક્ષણ._”
» ત્યાગી સંબંધીમાં હેત રાખે તો પંચ મહાપાપ કરતાં પણ વધારે પાપ થાય એમાં કોઈ લોજીક નથી, શાસ્ત્રનું બંધારણ છે લોજીક હોય તો આપણને ખ્યાલ છે
Ok
» પાપ ને પુણ્ય એ બંધારણના આધારે છે લોજીકના આધારે નહીં
Ok
» ગ્રહસ્થ પોતાના માબાપનુ પોષણ કરે કે પરિવારનું પોષણ કરે તો પાપ નથી પણ ત્યાગી કરે તે પાપરૂપ છે
Ok
» કોઈ આપણી સેવા કરતું હોય તો એમાં હેત ન કરવું એના કલ્યાણનું જતન જરૂર કરવું
Ok
» મોટા જો સાવધાન ન હોય તો એમની પાછળના ને બગડવાના ચાન્સ વધી જાય છે
Ok
» સંસારનો ત્યાગ કરે એ બધા ઋણમાંથી મુકાઈ જાય છે
Ok
» મોટાની સેવામાં રહીને પોતાનું કલ્યાણ બગાડે તો એ મોટાને કલંકરૂપ થાય છે
Ok
» માણસ અને પશુમાં એક જ તફાવત છે વિવેકનો પશુને કલ્યાણનો વિવેક નથી
Ok
» મહારાજનું ભજન કરતો જાય અને સત્સંગ કરતો જાય તો આ સત્સંગમાં આપણો વિવેક સૂક્ષ્મ થતો જાય છે
Ok
» દેશ વાસના સમજણે કરીને જાય છે
Ok
*Title
- _ત્યાગીના કુલક્ષણ._
» ત્યાગી સંબંધીમાં હેત રાખે તો પંચ મહાપાપ કરતાં પણ વધારે પાપ થાય એમાં કોઈ લોજીક નથી, શાસ્ત્રનું બંધારણ છે લોજીક હોય તો આપણને ખ્યાલ નથી.
Ok
» પાપ ને પુણ્ય એ બંધારણના આધારે છે લોજીકના આધારે નહીં
Ok
» ગ્રહસ્થ પોતાના માબાપનુ પોષણ કરે કે પરિવારનું પોષણ કરે તો પાપ નથી પણ ત્યાગી કરે તે પાપરૂપ છે
Ok
» કોઈ આપણી સેવા કરતું હોય તો એમાં હેત ન કરવું એના કલ્યાણનું જતન જરૂર કરવું
Ok
» મોટા જો સાવધાન ન હોય તો એમની પાછળના ને બગડવાના ચાન્સ વધી જાય છે
Ok
» સંસારનો ત્યાગ કરે એ બધા ઋણમાંથી મુકાઈ જાય છે
Ok
» મોટાની સેવામાં રહીને પોતાનું કલ્યાણ બગાડે તો એ મોટાને કલંકરૂપ થાય છે
Ok
» માણસ અને પશુમાં એક જ તફાવત છે વિવેકનો પશુને કલ્યાણનો વિવેક નથી
Ok
» મહારાજનું ભજન કરતો જાય અને સત્સંગ કરતો જાય તો આ સત્સંગમાં આપણો વિવેક સૂક્ષ્મ થતો જાય છે
Ok
» દેશ વાસના સમજણે કરીને જાય છે
Ok
*Title
- _વાસના, સ્વભાવ અને અજ્ઞાનનું એનાલિસિસ._”
» સંકલ્પ છે એ સ્વભાવ, વાસના અને અજ્ઞાનની સ્ક્રીન છે સંકલ્પ રૂપે બહાર આવે છે
Ok
» વિષયના સંકલ્પ ને વાસના કહેવાય છે
Ok
» ભજન વિરોધી ક્રિયા ને સ્વભાવ કહેવાય છે
Ok
» ભગવાનના સિદ્ધાંત અને કલ્યાણ વિરોધી ને અજ્ઞાન કહેવાય છે
Ok
» કારણ શરીર અજ્ઞાન, વાસના અને સ્વભાવનું બનેલું છે અને ભાવનાત્મક છે તત્વાત્મક નથી
Ok
» દરેક ક્રિયાની બે ઇફેક્ટ જન્મે છે, એક પાપ-પુણ્ય અને બીજા સંસ્કાર
Ok
» પાપ-પુણ્ય ભોગથી નાશ થાય છે, સંસ્કાર અભ્યાસ અને સારા સંસ્કાર પાડવાથી નાશ થાય છે
Ok
» પોતાની પ્રકૃતિનો ગુણ ન લેવો પણ બદલાવવી કારણ કે શાંત કે ચંચળ બંને પ્રકૃતિનું સર્જન છે
Ok
» સ્વભાવો અને સંસ્કાર મનુષ્ય યોનિમાં જ પડે છે અને સુધરે છે બાકીની યોનિઓ તો કેવળ ભોગ યોનિયો છે
Ok
» જમપુરીમાં જમ જીવને ધોકા મારે છે, સંસ્કારને નહીં
Ok
» વિષય વાસના એ વાસના છે અને કર્મ વાસના એ સ્વભાવ છે
Ok
» વ્યસનની શરૂઆત સંકલ્પથી વાસનાથી થાય છે અને અંત સ્વભાવમાં થાય છે
Ok
» જીવના સ્વરૂપમાં તો કંઈ ફેરફાર થતો નથી પણ એની વૃતિમાં એટલે કે ધર્મભૂત જ્ઞાનમાં ફેરફાર થાય છે, સ્વભાવ વાસના જન્ય છે
Ok
» જેને સ્વભાવ ટાળવા હોય એણે પોતાનું માઈક્રો એનાલિસીસ કરવું જોઈએ
Ok
*Title
- _ભગવાનનો સંબંધ એ જ પરમ નિવૃત્તિ છે._”
» પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મ એ એક્શનથી નથી ઇરાદાથી છે
Ok
» કર્મમાં ભગવાનનો સંબંધ જોડી દેવો એ જ કુશળતા છે નઈ કે અદપ વાળીને બેસી જવું
Ok
» આત્માની ઉન્નતિ માટે કરવુ, ભગવાનના સંબંધવાળુ કર્મ કરવુ અને ભગવાનને માટે કરવું એ ત્રણેમાં તફાવત છે
Ok
» ધન, કુટુંબ અને સત્તા માટે પ્રવૃત્તિ કરવી એ પ્રવૃત્તિ માર્ગ છે અને ભગવાન ને ભગવાનના ભક્ત માટે કરવું એ નિવૃત્તિ માર્ગ છે
Ok
» આપણા પુરુષાર્થના ફળના બેનીફીશયર ભગવાનને બનાવવા એને ભગવાનનો સંબંધ કર્યો ગણાય
Ok
» નિવૃત્તિ ધર્મમાં ક્રિયા છોડી દેવાની નથી ઈરાદો બદલાવવાનો છે
Ok
» ભગવાનના સંબંધ સિવાયનું કર્મ છે એ બંધનકારક છે પ્રત્યેક કર્મ નહીં
Ok
» ભગવાનના સંબંધ રહિત નિવૃત્તિ ધર્મ કરતા ભગવાનના સંબંધવાળો પ્રવૃત્તિ ધર્મ શ્રેષ્ઠ છે
Ok
» ઈરાદો હોય તો દરરોજની ક્રિયામાં ભગવાનનો સંબંધ જોડી શકાય
Ok
» આપણે શા માટે ક્રિયા કરીએ છીએ એમ વારંવાર અંતરમાં પૂછ્યા કરે તો ભગવાનનો સંબંધ રહી શકે
Ok
*Title
- _ભગવાનનું કામ કર્યું કોને કહેવાય._”
» પોતાના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ ને પૃષ્ટ કરવા તે એકાંતિક ધર્મ છે અને બીજાને એમાં મદદ કરવી એ ભાગવત ધર્મ છે
Ok
» એકાંતિક ધર્મનું પાલન કરવું એ ભગવાનને માટે છે અને ભાગવત ધર્મનો ફેલાવો કરવો એ ભગવાનનું કામ છે
Ok
» મહારાજને શુકજી અને જડભરતની જેમ એકાંતમાં અને વનમાં રહેવાનો સ્વભાવ છે તો પણ સત્સંગના ભિડામાં રહે છે કારણ કે ભાગવત ધર્મનું સ્થાપન કરવું છે
Ok
» ભગવાન પૃથ્વી પર આવે છે એ એકાંતિક ધર્મનું પોષણ અને ભાગવત ધર્મના ફેલાવા માટે આવે છે
Ok
» પોતાના કોઈ પણ અંગત સ્વાર્થ વિના જીવને મહારાજના શરણે લેવા એ ભાગવત ધર્મ છે
Ok
» મહારાજને સંતો એટલા માટે રમા અને રાધિકા કરતાં પણ વાલા છે કારણ કે ભગવાનની અમલ કીર્તિને બ્રહ્માંડના ખૂણે ખૂણે ફેલાવે છે
Ok
» બીજાને ભગવાન ઓળખાવવા એ માથાકૂટનું કામ છે લોહીનું પાણી કરે ત્યારે થાય છે માટે મહારાજનો વિશેષ રાજીપો છે
Ok
» મહારાજે જ્યારે પોતાનું દષ્ટાંત આપ્યું હોય ત્યારે કંઈક વિશેષ કહેવાનું હોય છે
Ok
» મહારાજને ઉપનિષદો કે શાસ્ત્રોમાં ક્યાંય ન મળ્યું હોય ત્યારે પોતાનું દ્રષ્ટાંત આપ્યું હોય છે અને કંઈક વિશેષ કહેવા માટે હોય છે
Ok
» ભાગવત ધર્મ એકાંતિક ધર્મ કરતાં એક ડગલું આગળ છે કારણ કે ભગવાનનું કામ છે
Ok
» સ્વામિનારાયણ ભગવાન તો કેવળ આ બ્રહ્માંડમાં નવા જીવોને પોતાની ઓળખાણ કરાવવા માટે જ આવ્યા હતા
Ok
» ભાગવત ધર્મ એટલે “ભગવત
ઇદમ્” એમાં ભગવાનનો રોલ છે અને એકાંતિક ધર્મમાં કેવળ ભક્તનો રોલ છે
*Title
- _આઠ આવરણથી પાર કેમ થવું ?_”
» અહંકાર, ઈર્ષા, મત્સર, અસૂયા તે બધા માનસ રોગ છે
Ok
» અહંકારનું કુપથ્ય બે વસ્તુ છે, એક તો વખાણ અને બીજુ બીજાની સાથે કમ્પેરીઝન
Ok
» માનસ રોગોમાં અહંકાર છે એ મોટામાં મોટો રોગ છે
Ok
» અભિમાનતો તો ન આવે જો પોતાના સદગુણોનો ભગવાનની સેવામાં મિનિંગ ફુલ ઉપયોગ કરે
Ok
» પોતાનાથી આગળ હોય એની શાયરી લે તો અહંકાર ન વધે
Ok
» અહંકારનો વિષય છે આ મારું છે અને આ મારું નથી
Ok
» મનનો વિષય છે અનુકૂળતા અને પ્રતિકૂળતા
Ok
» કોઈપણ વસ્તુનો અતિરેક કર્યા વિના લોક ચાહના મળતી નથી માટે માણસો શાસ્ત્રો એ કર્યું હોય એના કરતાં પણ વધારે ઓવર કરતા હોય છે
Ok
» બુદ્ધિનો વિષય છે હું આના કરતાં ઊંચો છું નાના કરતાં નીચો છો
Ok
» અનુકૂળતા પ્રતિકૂળતા એ આપણા પૂર્વ કર્મનું ફળ છે અને એના આધારે સુખી-દુઃખી થવું એ આપણી મૂર્ખતાનું ફળ છે
Ok
» નંદ સંતોને પ્રતિકૂળતા તો ઘણી હતી તોપણ પ્રતિકૂળતા માનતા ન હતા માટે આનંદ આપ્યો અતિ ઘણો રે એમ ગાયું છે
Ok
» હું મહારાજનો સેવક છું એમ માને તો પ્રાકૃત અહંકાર તળે
Ok
» વૈરાગ્ય ને આત્મનિષ્ઠા એ અહંકારના મૂળ ખોદનારા છે પણ જો બીજા સાથે એની સરખામણી કરે તો અહંકારને જ વધારે છે
Ok
» ગોલ હોય તો મનના આવરણથી પાર થઈ શકે છે
Ok
» અક્ષરધામ તો અનંત છે અહીંયા પણ આપણી આસપાસ છે છતાં પણ દેખાતું નથી કારણકે વિષયમાં આપણી વૃત્તિ રોકાઈ ગઈ છે
Ok
» આઠે આવરણના અલગ અલગ વિષય છે એને જીતે તો આઠ આવરણથી પાર થઈ શકે
Ok
*Title
- _માન મોટાઈ કેમ તળે ?_”
» માન એટલે પોતાને વિષે પોતે કરેલી પૂજ્ય બુદ્ધિ
Ok
» હું પૂજવા યોગ્ય છુ એ માન કહેવાય અને પૂછવા યોગ્ય છું તો એ મોટાઈ કહેવાય
Ok
» ચાન્સ મળે ત્યારે ભગવાન અને ભગવાનના ભક્તને સેવા દ્વારા રાજી કરે તો માંન ટળે
Ok
» તપ કરવાથી માંન નથી ટળતું વિચાર કરે અને જેને ટાળવાની ઇચ્છા હોય તેને ટળે
Ok
» ભગવાનનો અને મહાપુરુષોનો અસાધારણ ગુણ એ છે કે કરીને એમાં બંધાવું નહીં અને એનું માંન ન આવે
Ok
» પ્રસિદ્ધિ તો જ થાય જો અતિરેક હોય તો, માટે અતિરેક ન કરવો ભક્તિ શિવાય
Ok
» મન છે એ છઠી ઈન્દ્રિય છે અને માંન મનથી ભોગવાય છે
Ok
» આખું જગત ભગવાનને પૂજ્ય માનતુ હતુ પણ ભગવાન પોતે પોતાને પૂજ્ય નહોતા માનતા માટે નિર્માની હતા
Ok
» માન રાખવાથી આપણે કરેલી ભક્તિનું ફળ ખતમ થઇ જાય છે
Ok
» ભગવાન અદલ સૃષ્ટિ બનાવે છે એને ચલાવે છે એવું કોઈ બીજો કરી ન શકે છતાં ભગવાનને ક્યારેય એવું નથી થતું કે મારા જેવું કોઈ કરી ન શકે
Ok
» પોતાના ઉત્તમ સર્જનમાં પણ બંધાય નહીં એનુ અભિમાન ન આવે તો એ ભગવાનનો ગુણ આવ્યા કહેવાય
Ok
*Title
- _ગોપીભાવ કોને કહેવાય._”
» પ્રેમ એજ જેનુ લક્ષણ છે એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય
Ok
» સમર્પણ ત્રણ રીતે થાય છે પદાર્થ, ક્રિયા, અને ભાવના એ ત્રણેય પૂરું થાય ત્યારે પ્રેમલક્ષણા ભક્તિ કહેવાય
Ok
» મમત્વની પારાકાષ્ટા હોય એને પ્રેમ લક્ષણા કહેવાય અને સમર્પણની પારાકાષ્ટા હોય એને સેવક ભાવ કહેવાય
Ok
» ભોગ ભાવના અથવા હીન ભાવના ભગવાનના ભક્ત સાથે રાખે તો અધોગતિ થાય
Ok
» વિજાતિયમાં ભોગ ભાવના હોય છે અને સજાતિયમાં હીન ભાવના થતી હોય છે
Ok
» પ્રેમનો સ્વભાવ છે કે ભગવાન ને ભગવાનના ભક્ત સીવાય બીજા સાથે દુશ્મની થવી જોઈએ એટલે ગોપીઓને પંચવિષય ઝેર જેવા થઈ ગયા હતા
Ok
» સત્સંગ બહાર કુદ્રષ્ટિ થઈ હોય એનું પાપ સત્સંગમાં દૂર થાય છે પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદ્રષ્ટિ થઈ હોય એ વજ્રલેપ થાય છે
Ok
» જેને પ્રેમલક્ષણા ભક્તિ કરવી હોય તેને કોઇપણ પ્રકારનું પાપ મનમાં ન રાખવું મન અતિ પવિત્ર રાખવું
Ok
» શાસ્ત્રો અને ઉપનિષદની દ્રષ્ટિએ સેવક ભાવ છે એ વધારે મેચિંગ થાય છે કારણ કે સ્ત્રી કે પુરુષ બંને પોતાને સેવક માની શકે છે
Ok
*Title
- _કેવી બુધ્ધિ રાખે તો ભોગ બુધ્ધિ ન આવે._”
» સૌપ્રથમ ભગવાનના ભક્તમાં સંબુધ્ધિ થાય છે પછી હિનબુધ્ધિ પછી દોષબુદ્ધિ પછી દ્રોહબુદ્ધિ પછી વેરબુદ્ધિ અને અંતે આસુરીબુદ્ધિ થાય છે
Ok
» ભગવાનના માર્ગમાંથી બે રીતે પડે છે એક તો ભગવાનના ભક્તમાં ભોગબુદ્ધિથી અને ભગવાનના ભક્તમાં હિનબુદ્ધિથી
Ok
» સેવકભાવની પરાકાષ્ઠા એ ગણાય કે હું ભગવાન ને ભગવાનના ભક્ત સિવાય બીજા કોઇનો સેવક નથી એમ માને
Ok
» આત્મા પરમાત્માનો વેગ લગાડવો એટલે સેવક ભાવનો અને મહિમાનો વેગ લગાડવો
Ok
» સાધન કાળમાં એવો ઠરાવ કરી રાખ્યો હોય કે ગમે તેવો મોટો થાય અક્ષરરૂપ થાય તો પણ દાસનો દાસ છું તો હિનબુદ્ધિ ન આવે અને આસુરી બુદ્ધિ ન થાય
Ok
» ભગવાનના ભક્તમાં માં, બેન ને દીકરી પિતા-પુત્ર અને દીકરાની ભાવના રાખે તો ભોગ બુદ્ધિ ન થાય તો અને પામર થઈને ભગવાનના માર્ગમાંથી ન પડે
Ok
» સંબુધ્ધિ કે હીનબુદ્ધિની પરીક્ષા આપણા બરોબરીયામાં થાય છે
Ok
» ઉંમરમાં ડિફરન્સ હોય પણ જો કોઈ પણ વાતમાં એક પ્લેટફોર્મ પર હોય તો એ બરોબરીયા ગણાય
Ok
» આપણને દૂધપાક ડાઈજેસ્ટ થઈ જાય છે પણ ભગવાનના ભક્તના દોષ થતા નથી
Ok
» આપણી કદાચ કંઇક ખામી હોય તો એ એટલી બધી નથી નડતી જેટલી ભગવાન ને ભગવાનના ભક્તમાં દોષબુધ્ધિ નડે છે
Ok
» સાચો રસિક ભક્ત એને કહેવાય તે ભગવાન સિવાય બીજે કયાઈ રસ ન આવે
Ok
» સાચો સેવક એને કહેવાય કે સ્વામીને ભોગવવા યોગ્ય પદાર્થ ભોગવે નહીં
Ok
» અતિ નજીક થાય એટલે કાંતો બંધન થાય અને કાંતો કંટાળો આવે માટે distance મેનેજ કરવું
Ok
*Title
- _કેવી બુધ્ધિ રાખે તો ભોગ બુધ્ધિ ન આવે._”
» સૌપ્રથમ ભગવાનના ભક્તમાં સંબુધ્ધિ થાય છે પછી હિનબુધ્ધિ પછી દોષબુદ્ધિ પછી દ્રોહબુદ્ધિ પછી વેરબુદ્ધિ અને અંતે આસુરીબુદ્ધિ થાય છે
Ok
» ભગવાનના માર્ગમાંથી બે રીતે પડે છે એક તો ભગવાનના ભક્તમાં ભોગબુદ્ધિથી અને ભગવાનના ભક્તમાં હિનબુદ્ધિથી
Ok
» સેવકભાવની પરાકાષ્ઠા એ ગણાય કે હું ભગવાન ને ભગવાનના ભક્ત સિવાય બીજા કોઇનો સેવક નથી એમ માને
Ok
» આત્મા પરમાત્માનો વેગ લગાડવો એટલે સેવક ભાવનો અને મહિમાનો વેગ લગાડવો
Ok
» સાધન કાળમાં એવો ઠરાવ કરી રાખ્યો હોય કે ગમે તેવો મોટો થાય અક્ષરરૂપ થાય તો પણ દાસનો દાસ છું તો હિનબુદ્ધિ ન આવે અને આસુરી બુદ્ધિ ન થાય
Ok
» ભગવાનના ભક્તમાં માં, બેન ને દીકરી પિતા-પુત્ર અને દીકરાની ભાવના રાખે તો ભોગ બુદ્ધિ ન થાય તો અને પામર થઈને ભગવાનના માર્ગમાંથી ન પડે
Ok
» સંબુધ્ધિ કે હીનબુદ્ધિની પરીક્ષા આપણા બરોબરીયામાં થાય છે
Ok
» ઉંમરમાં ડિફરન્સ હોય પણ જો કોઈ પણ વાતમાં એક પ્લેટફોર્મ પર હોય તો એ બરોબરીયા ગણાય
Ok
» આપણને દૂધપાક ડાઈજેસ્ટ થઈ જાય છે પણ ભગવાનના ભક્તના દોષ થતા નથી
Ok
» આપણી કદાચ કંઇક ખામી હોય તો એ એટલી બધી નથી નડતી જેટલી ભગવાન ને ભગવાનના ભક્તમાં દોષબુધ્ધિ નડે છે
Ok
» સાચો રસિક ભક્ત એને કહેવાય તે ભગવાન સિવાય બીજે કયાઈ રસ ન આવે
Ok
» સાચો સેવક એને કહેવાય કે સ્વામીને ભોગવવા યોગ્ય પદાર્થ ભોગવે નહીં
Ok
» અતિ નજીક થાય એટલે કાંતો બંધન થાય અને કાંતો કંટાળો આવે માટે distance મેનેજ કરવું
Ok
*Title
- *માનસી પૂજા કેવી રીતે કરવી *”
» માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા જો ગદગદ કંઠે અને રોમાંચિત ગાત્રે કરે તો બંને શ્રેષ્ઠ છે છતાં પ્રત્યક્ષ પૂજા ક્યારેક રૂટિનથી કે લોકલાજ થી પણ થતી હોય છે જયારે માનસી પૂજા તો હેત હોય તો જ થાય છે
Ok
» પૂજા છે એ મહારાજમાં હેત વધારવાનું સાધન છે
Ok
» પોતાને જેની અભરખા હોય એની કલ્પના કરવી સહેલી પડે છે માટે મહારાજે મનોવૈજ્ઞાનિક અને યોગસૂત્ર ની દ્રષ્ટિએ મનગમતા પદાર્થ ભગવાનને અર્પણ કરવાનું કહ્યું છે
Ok
» મહારાજને વિષે મનગમતા બધા જ પદાર્થોની કલ્પના કરી શકાય પણ એ પદાર્થો શાસ્ત્રીય હોવા જોઈએ મહારાજને માનસી પૂજા માં ચા બીડી તમાકુ ન ધરાવવું
Ok
» સપનામાં સાધુ આવે એનો વાંધો નહીં તેના પછી ભગવાન આવવા જોઈએ નઈ કે ભૂત
Ok
» સ્મૃતિ નો નિયમ છે કે ખાલી અનુભવ થી નથી થતી પણ અનુભૂતિ + ભાવના હોય ત્યારે સ્મૃતિ થાય છે
Ok
» માનસી પૂજા માં મનગમતા પદાર્થો ધરાવવા એટલે કેવળ જમવાની વસ્તુ જ નહીં પણ બધી જ કલ્પનાઓ ગાડી બંગલો ગાર્ડન સ્વિમિંગ પૂલ…
Ok
» માનસીપૂજા માં મનગમતા પદાર્થો ભગવાનને અર્થે કલ્પીને મહારાજની મૂર્તિ ક્લિયર કરવી
Ok
» એકાદશીએ મહારાજને અનાજ ધરાવવામાં બાધ નથી પણ આપણે લાડુની પ્રસાદી ના લેવી સંતો માટે પણ ફરાળની વ્યવસ્થા કરવી
Ok
» સ્વપ્નમાં ભગવાન આવે તો ભગવાન સાચા પણ સ્વપ્નમાં લોટરી લાગે તો એ ખોટી
Ok
» માનસી પૂજા માં દરરોજ વેરાઈટી જોઈએ એવું જરૂરી નથી આપણને ભાવતું હોય એ દરરોજ ધરાવી શકાય
Ok
*Title
- _નબળાથી દબાવું એટલે શું ?_”
» અમથો અમથો કરે એ તમોગુણી એટલા માટે ગણાય કારણ કે ગોલ રહીત પણુ એ તમોગુણનું કાર્ય છે
Ok
» ક્રિયાના સ્વરૂપના આધારે સત્વ, રજ કે તમ નથી પણ પરપજના આધારે સત્વ, રજ કે નિર્ગુણ છે
Ok
» કોઈથી દબાવું નહીં એટલે નબળા માણસોથી દબાવુ નહીં
Ok
» દબાવાનો અર્થ છે કે એની મોહબ્બત કે ઉપકારને તોડી ન શકે ભુલી ન શકે
Ok
» ખરો ભક્ત એ કહેવાય કે પ્રતિકૂળતામાં પણ એની ભક્તિ વૃદ્ધિ પામે
Ok
» ભક્તો બે પ્રકારના હોય છે એક સૂર્ય જેવા જે નબળાની સોબત સહન ન કરી શકે અને બીજા ચંદ્ર જેવા જેને નબળાની સાથે પણ સાંઠ ગાંઠ હોય
Ok
» જેની સમાન દ્રષ્ટિ હોય એ સજ્જન થઇ શકે છે પણ ભક્ત તો એને કહેવાય કે જેની ભગવાનના ભક્ત સાથે પક્ષપાત દ્રષ્ટિ જ હોય
Ok
» કર્મ કરવા પાછળ ફળની ઇચ્છા ન હોય પણ એનું અભિમાન આવે તો પણ એ નિષ્કામ ન ગણાય
Ok
» નબળાથી દબાવુ નહીં એમ એની સાથે ઝગડવું પણ નહીં
Ok
» ભગવાનના સાચા ભક્તથી પણ ન દબાવું એ આસુરી પણુ છે
Ok
» ભગવાન આપણી પાસેથી એટલી જ અપેક્ષા રાખે છે જેટલી આપણી શક્તિ હોય, નહિ કે બધાની પાસેથી સરખી
Ok
» પોતાની core competence ભગવાન માટે વાપરે તેના ઉપર સંપૂર્ણ રાજીપો થાય છે
Ok
» આપણે ભગવાનના ભક્તને આપણી જાત કરતાં વધારે રિસ્પેક્ટ આપીએ એનો અર્થ એ છે કે આપણે ભગવાનને આપણી જાત કરતાં વધારે માનીએ છીએ.
Ok
*Title
- _વિમુખની કથા શા માટે ના સાંભળવી_”
» શાસ્ત્રના અર્થને ન જાણતો હોય અને એ પ્રમાણે ન વર્તે તો એ મૂર્ખ છે, પણ શાસ્ત્રના અર્થને જાણતો હોય અને એ પ્રમાણે ન વર્તે એ મહામૂર્ખ છે
Ok
» વિમુખના મુખે કથા ન સાંભળવી એટલે કે કેવળ કથા જ ન સાંભળી એકલુ નહીં પણ લખાણ પણ ન વાંચવું
Ok
» વિમુખ ના મૂર્તિ કથા સાંભળવી કે લખાણ ન વાંચવું કારણ કે એમાં વિમુખતા ની લાલ હોય છે જે હડકાયા કૂતરા જેવી હોય છે
Ok
» વિમુખ ની કથા શાસ્ત્ર પ્રમાણે હોય છે પણ એનું જીવન કથા પ્રમાણે નથી હોતો
Ok
» મુમુક્ષુતા એ બુદ્ધિ નો ગુણ છે પવિત્ર બુદ્ધિ હોય તો ભગવાનની જિજ્ઞાસા થાય છે
Ok
» મુમુક્ષુતા મરી પરવારે એટલે બુદ્ધિ નું બારણું બંધ થઈ ગયું જાણવું
Ok
» ભગવાનને રાજી કરવાના સાધનોનો ઉપયોગ પોતાના ભોગ માટે કરે એ વિમુખ છે
Ok
» બુદ્ધિ એને કહેવાય જે તાત્કાલિક જવાબ આપી શકે
Ok
» મતિ એને કહેવાય કે જે આગળનું વિચારી શકે
Ok
» પ્રજ્ઞા એને કહેવાય કે જે નવું નવું વિચારી શકે
Ok
» અને પ્રતિભા એને કહેવાય કે જે બીજાને પ્રભાવિત કરી શકે
Ok
» મહારાજે ચાણક્ય નીતિ અને વિદુરનીતિ માંથી વિદુરનીતિ ને એટલા માટે પસંદ કરી છે કારણ કે તે ભક્તિ પ્રેરિત છે
Ok
» વિમુખ એટલે ભગવાનથી ડિસ્કનેક્ટ અને વિરોધી
Ok
*Title
- _નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય ?_”
» ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે એટલે સવિકલ્પક નિશ્ચયમાં જીવનો રોલ વધારે છે અને નિર્વિકલ્પ નિશ્ચયમાં ભગવાનનો રોલ વધારે છે
Ok
» પુરુષાર્થ કરીને સવિકલ્પક નિશ્ચય થાય પછી મહારાજને પ્રાર્થના કરવી તો નિર્વિકલ્પ નિશ્ચય થાય
Ok
» સવિકલ્પ નિશ્ચય પોતે કરવાનો હોય છે જ્યારે નિર્વિકલ્પ નિશ્ચય ભગવાન કરાવે છે
Ok
» સફળ થઈએ ત્યારે મહારાજને સર્વ કર્તાહર્તા જાણવા
Ok
» નિષ્ફળતા મળે ત્યારે આપણાથી મળી છે એમ માનવુ
Ok
» કારણ છે એ કાર્યથી વ્યતિરેક હોઈ શકે જ્યારે કાર્ય છે એ કારણથી ક્યારેય વ્યતિરેક ન થઈ શકે
Ok
» સ્વામિનારાયણ ભગવાન છે એ મારા ભગવાન છે એને નિશ્ચય કહેવાય
Ok
» ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય તો દેહ પડી જાય છે અને આખી જિંદગી પુરુષાર્થ કર્યો હોય તો પણ જીવનના અંતે થાય છે સર્વ કર્તાહર્તા જાણવા એટલે માનવા અને માનવા એટલે અનુભવ
Ok
» અવિના ભાવથી ભગવાનનુ સર્વ કર્તાહર્તા પણુ સિદ્ધ થાય છે એટલે કે તે હોય તો કાર્ય થાય ન હોય તો ન થાય
Ok
*Title
- _સ્વાર્થે કરીને પ્રકૃતિ ટળે ?_”
» નાના વચનની ખટક ના રહે તો એને મોટા વચનની પણ ખટક ન રહે
Ok
» પોતે પકડયુ હોય એ કોઈ વાતે ન મૂકવું એનું નામ પ્રકૃતિ
Ok
» અક્ષરધામ માં જઈને મહારાજની સેવા કરવાની ગરજ હોય તો ગમે તેવી કઠણ પ્રકૃતિ હોય તો પણ છૂટી જાય છે
Ok
» આ લોકમાં ભગવાન ને ભગવાનના ભક્તની સેવા છે એ અક્ષરધામમાં મહારાજની સેવા નું કારણ છે
Ok
» મહારાજ ના મોટા વચન એટલે પંચવર્તમાન સંબંધી આજ્ઞાઓ અને નાના વચન એટલે કયા થુંકવું, ગાળવું વગેરે
Ok
» ભગવાનના ધામમાં જવા નો Goal છે એ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ગરજ એ બધા સાધનો નો વિકલ્પ છે
Ok
» પોતાની પ્રકૃતિ ભગવાન ધારે તો પણ મળતી નથી પોતે ઈચ્છા કરે તો જ ટળે છે
Ok
» સંત, ભગવાન, શાસ્ત્ર આપણી પ્રકૃતિ ટાળી દેતા નથી એમાં સહાય જરૂર કરે છે
Ok
» પોતાની પ્રકૃતિમાં માણસને ગુણ રહી જ ગયો હોય છે
Ok
» સંસ્કારો બે રીતે પડે છે એ તો લાંબો સમય ક્રિયા કરવાથી અથવા અતિ વેગથી કરવાથી
Ok
» કોઈ મરજીવો થઈને ભગવાનના માર્ગે ચાલે તો એને ઝીલવા માટે મહારાજ બેઠા હોય છે
Ok
*Title
- _આપણું અંગ કેવું હોવું જોઈએ ?_”
» ભગવાન જે કાર્ય કરવા માટે પૃથ્વી પર આવ્યા હોય એને અનુરૂપ આપણી પ્રકૃતિ રાખવી
Ok
» જેમ સંપત્તિ ભેગી થાય તેના ઉપયોગનું આયોજન કરવું પડે છે એમ આપણા ગુણનું પણ માહારાજના કામ માટે ઉપયોગનું આયોજન કરવું પડે છે એને અંગ કહેવાય છે
Ok
» ભગવાનનો અતિ દૃઢ નિશ્ચય હોય તો ગમે તેવો ત્યાગી હોય તો પણ એની પાસે ગમે તેવી પ્રવૃત્તિ કરાવે તો રાજી થકો કરે
Ok
» ભગવાન અને સંતની ઓળખાણ દૈવી ભાવથી થાય છે નહિ કે બુદ્ધિની તીક્ષ્ણતા થી
Ok
» કથા વાર્તા સાંભળવાનું અંગ ન હોય અને ખાલી સેવા હોય તો એ લાંબી ટકતી નથી
Ok
» કાર્ય ઉપરથી તત્વને ઓળખવું કે માણસને ઓળખવો એ જ્ઞાનાંશનો વૈરાગ્ય છે
Ok
» જેને પોતાની વ્યક્તિગત જરૂરિયાતો ઓછી હોય એ ભગવાનની સાચી સેવા કરી શકે
Ok
» આમાં બધા અંગો કહ્યા છે એ અંગ સેવામાં ઉપયોગી થાય એવી રીતે રાખવા
Ok
» બાઈઓ ભાઈઓએ પરસ્પર વ્યક્તિગત મહાત્મ્ય સમજવા પણ સામૂહિક બધા બહુ સારા છે બહુ ભજન કરે છે એમ જાણવું
Ok
» કથાવાર્તા છે એ બધા અંગનું પોષણ કરે છે માટે મુખ્ય છે
Ok
» ગોપાળાનંદ સ્વામીની વાતોમાં કહ્યું છે કે પાંચ રીતે ત્યાગી થાય છે નિર્ધન, આળશું, ક્રોધી, વિચારવાન અને બાળક ગમે તે રીતે ત્યાગી થયા હોય પણ ત્યાગી થયા પછી સત્પુરુષમાં હેત થઈ જાય તો પાર પડી જાય છે
Ok
*Title
બ્રહ્મરૂપ થયા પછી શું?*
» માણસને અનુકૂળ હોય ત્યાંથી જ સુખ આવે છે અને જ્યાંથી સુખ આવે છે એમાં હેત થઈ જાય છે
Ok
» મહારાજ ની જેટલી આજ્ઞા પળાય તેટલું સુખ થાય છે
Ok
» બ્રહ્મરૂપ થાય તો પણ સેવકનો ન છોડે તો બ્રહ્મનું શોભે છે
Ok
» બ્રહ્મરૂપ થઈને પણ દાસના દાસ રહે અને આત્મનિષ્ઠ થાય તો પણ પંચવર્તમાન દ્રઢ પણે પાડે ત્યારે શિખર ચણીને મંદિર સંપૂર્ણ થયું ગણાય
Ok
» અનુકૂળતા કે સુખરૂપતા વ્યક્તિગત સાપેક્ષ હોય છે એક જ વસ્તુ એક ને અનુકૂળ હોય તો બીજાને પ્રતિકૂળ હોય છે
Ok
» આપણે જેટલું ભગવાનમાં હેત કરીએ એટલું ભગવાન સામું આપણામાં હેત કરે છે
Ok
*Title
- _મોટા પુરુષનો મુખ્ય રોલ શું ?_”
» મોટા પુરુષનો રોલ એ છે કે મુમુક્ષુને ભગવાનના માર્ગે આગળ વધવાનો માહોલ સર્જી આપે
Ok
» મહારાજ પૃથ્વી ઉપર ઉપાસનાનો વિવેક પ્રવર્તાવવા માટે આવ્યા હતા
Ok
» આજ્ઞા, વિવેક, અને ઉપાસનાનું પ્રવર્તન કરવું એ મોટા પુરુષનો રોલ છે
Ok
» મહિમા કરતાં વિવેકનું પ્રવર્તન કરવું એ કઠણ છે
Ok
» શાસ્ત્રમાં કહ્યો એ મહિમા ખોટો નથી પણ એને કેનારા ઘણીવાર ખોટા હોય છે માટે વિવેક સહિત મહિમાનું પ્રવચન કરવું
Ok
» મહિમા વાળાને મહિમા રહીત કરતાં પાપ કરવું સેલુ હોય છે
Ok
*Title
- _કલ્યાણમાં વધારે ઉપયોગી કયું જાણવું કે વર્તવું ?_”
» સ્કિલની ટ્રેનીંગ આપી શકાય છે પણ જેનામાં વિલ પાવર ન હોય તેને ટ્રેનિંગ આપી શકાતી નથી એતો પોતે ઊભો કરવો પડે છે
Ok
» પોતે જાણતો ન હોય અને વર્તન હોય તો કલ્યાણમાં કંઈ ખોટ રહેતી નથી પણ ઝાઝા જીવને ભગવાનની ઓળખાણ કરાવી ભગવાનનો વિષેશ રાજીપો લઈ શકતો નથી
Ok
» કેટલાકની બુધ્ધિ શાસ્ત્રમાં પહોંચતી નથી તેનું કારણ પૂર્વકર્મ છે, કેટલાક શાસ્ત્ર જાણે છે પણ તે પ્રમાણે વર્તતા નથી તેનું કારણ જગતનો મોહ અને આસક્તિ છે
Ok
» માણસ શાસ્ત્રમાંથી એવું ગ્રહણ કરે છે જેવું એની અંદર પડ્યું હોય છે
Ok
» નબળી ઈચ્છામાં વેગ વધારે છે કારણ કે તેને આખું જગત રોકે છે અને સારી ઈચ્છા પૂરી કરવા તો બધા વેલકમ કરે છે
Ok
» વિલપાવર છે તે ભક્તિ અને નિષ્ઠા માંથી આવે છે
Ok
» વિલપાવર અને સ્કિલ હોય તે મહારાજનું કાર્ય કરી શકે
Ok
» માણસને પોતાની નબળી ઈચ્છા પૂરી કરવાનો જેટલો વેગ હોય છે તેટલો સારી ઈચ્છા પૂરી કરવાનો વેગ હોતો નથી
Ok
» વર્ત્યા વગરના સદગુણો છે તે વધારે નુકસાન કરનાર છે
Ok
» ગરીબ માણસને જેટલી પાપ કરવાની અનુકૂળતા નથી તેટલી ધનવાન માણસ ને વધારે પાપ કરવાની અનુકૂળતા છે તેમ જેનામાં સદગુણો ન હોય તેના કરતાં સદગુણો હોય તે વધારે પાપ કરી શકે છે
Ok
» મહારાજ કહે છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્યાદિ સંપત્તિ અમે અમારા સંતો અને હરિભક્તોને આપી છે અને તેના સર્વે દુઃખ અમે લઈ લીધા છે
Ok
ત્રિદીનાત્મક સત્સંગીજીવન કથા પારાયણ…વક્તા
પૂ. કૃષ્ણપ્રિયદાસજી સ્વામી
*Title
- _ગોલ કેવો હોવો જોઈએ ?_”
» અમથુ અમથુ કરવું એ તામસી છે કારણકે ગોલ રહિત પણુ એ તમોગુણનું કાર્ય છે
Ok
» ગોલ છે એ હંમેશા મેજરેબલ હોવો જોઈએ અને ટાઇમબાઉન્ડ હોવો જોઈએ
Ok
» ભગવાન રાજી થાય એવી ઇચ્છા રાખવી એ નિષ્કામતા છે
Ok
» નિષ્કામ કર્મયોગ એટલે પોતાના બધા રિસોર્સને પોતાના આત્મકલ્યાણ માટે, ભગવાનને રાજી કરવા માટે વાપરવા
Ok
» ગોલ નક્કી કર્યા પછી તેને લખવો જોઈએ તો વધારે કલેરિફિકેશન થાય છે
Ok
» ગોલ નક્કી કર્યા પછી બધાને કહેવાની જરૂર નથી હોતી પોતે વારંવાર મનન કરવું
Ok
» મારે બહુ સરસ સાધુ થવું છે કે સારુ ભગત થવું છે એ ગોલ ન કહેવાય એ સદવિચાર કહેવાય
Ok
» કરવાનું હોય એ કરે એના કરતાં પણ ન કરવાનું હોય એ કરે એમાં માણસને વધારે આનંદ આવે છે એનું નામ જ પ્રમાદ છે એ તમોગુણનુ કાર્ય છે
Ok
*Title
- _મહારાજ અતિશે રાજી ક્યારે થાય ?_”
» અતિ દુઃખ કે અતિ સુખમાં પણ ભક્તિ વધતી રહે તો ભગવાન અતિ રાજી થાય
Ok
» પોતાના અંગનો ઠા ન હોય એટલે પોતાનું અંગ નક્કી ન કર્યું હોય તોય ન ગમે
Ok
» કોઈપણ પ્રકારનો અતિરેક છે એ પ્રસિદ્ધિ માટે જ હોય છે એમાં વાસ્તવિકતા નથી હોતી
Ok
» એકાગ્ર મને કરીને દર્શન કરે તો એને દર્શન અને વચન બંને નવીન નવીન રહે છે
Ok
» મોક્ષમાર્ગ કોઈને પ્રારબ્ધમાં લખેલો નથી હોતો માટે ભગવાન કરાવશે તો થશે એમ કહે એ ન ગમે
Ok
» લાંબો સમય, નિરંતર, અને પ્રેમપૂર્વક ભક્તિ કરે તો એ જીનિયસ ભક્તિ થાય છે
Ok
» પોતાની કેપેસિટી અને પોતાની શ્રદ્ધા એ બંને અલગ છે, કેપેસિટી પ્રમાણે પૂરું કરે તો ભગવાન રાજી થાય પણ શ્રદ્ધા પ્રમાણે કરે તો એટલા રાજી નથી થતાં
Ok
» સમયે-સમયે તપાસ કરતો રહે કે હું સેવા કરું છું એનાથી મહારાજ રાજી થાય છે કે નહીં તો મહારાજ રાજી થાય
Ok
» ભગવાનની સાચી ભક્તિનો સ્વભાવ છે કે ક્યારેય ઘટતી નથી વધતી જ રહે છે
Ok
» ભગવાનના માર્ગમાં ગોલ બાંધવો એમાં કોઈને એક્સપાયરી ડેટ આવતી નથી
Ok
» સેવા, શ્રદ્ધા, ઉપાસના જે કંઈ કરીએ છીએ એમાં હું શા માટે કરું છું એ વાય ક્લિયર કરવો
Ok
» ઝાઝુ કરે તો જ ભગવાન રાજી થાય એવું નથી પોતાની કેપેસિટી હોય એટલુ પૂરું કરે તો રાજી થાય
Ok
» આ વચનામૃત અનુસાર મહારાજ અતિ રાજી કે કુરાજી કેમ થાય એ કહ્યું છે
Ok
» મોટાની મર્યાદા ન રાખે અને બરોબરીયા પણુ રાખે એ ન ગમે
Ok
» અસાધારણ ભક્તિ કોઈને પરંપરામાં નથી મળતી પોતાને કરવી પડે છે
Ok
» અસાધારણ ભક્તિ એટલે અસાધારણ ઈચ્છા
Ok
» કોઈથી દબાવું નહીં એટલે કે નબળાથી દબાવુ નહીં એ મહારાજને ગમે છે
Ok
» કોઈથી દબાઈને કાઇ ન કરે તો અતિશે ભૂંડુ થાય છે
Ok
*Title
- _સંસારથી નોખું કેમ પડવું ?_”
» ક્રિયા કરીને ક્રિયાથી નોખું પડવું ક્રિયા કર્યા વગર ક્રિયાથી નોખું પડી શકાતુ નથી
Ok
» ઇન્દ્રિયો અંતઃકરણથી નોખું પડવું સહેલું છે ગુણથી નોખું પડવા કરતા
Ok
» જેટલી અંતઃકરણથી થાય એટલી ભગવાનમાં પ્રીતિ કરવી પણ એનો ગુણ ન લેવો અને વિશ્વાસ ન કરવો
Ok
» નોખુ પડવાનો અને ભગવાનમાં પ્રીતિ કરવાનો જે કાઈ અભ્યાસ થાય છે એ મનુષ્ય દેહમાં જ થાય છે
Ok
» મનથી ત્યાગ કરવો એ જ સાચો ત્યાગ છે દેહથી ત્યાગ તો અડધો સાચો છે અને અડધો ખોટો છે
Ok
» સિદ્ધદશા અને બ્રહ્મરૂપ દશામાં ઘણો ફેર છે અને સિદ્ધદશા કરતા બ્રહ્મરૂપ શ્રેષ્ઠ છે
Ok
» સિદ્ધદશાવાળાને તડકો ન લાગે છતાં ફિઝિકલ કે પ્રાકૃત ગણાય જ્યારે બ્રહ્મરૂપ સ્થિતિવાળાને તડકો લાગે તોપણ શ્રેષ્ઠ ગણાય
Ok
» એકલી સ્થૂળ ભક્તિથી એકાંતિકી સ્થિતિ પ્રાપ્ત થતી નથી
Ok
» ક્રિયા કરતાં કરતાં મનન દ્વારા ક્રિયાથી નોખું પડવું
Ok
» ક્રિયા છે એ સ્થૂળ ભક્તિ છે અને મનન છે એ સૂક્ષ્મ ભક્તિ છે
Ok
» ક્રિયા કરતા કરતા મનન દ્વારા નોખું પડી અને ભગવાનમાં પ્રીતિ કરવી તો બ્રહ્મસ્વરૂપની પ્રીતિ થાય
Ok
» શ્રેષ્ઠ ક્રિયા કરતા હોય અને એનો અહમ્ આવે તો એનાથી નોખા પડી અને હું મહારાજનો સેવક છું એમ ભગવાનમાં જોડાવું
Ok
» આપણો અવતાર ક્રિયા કરવા માટે નથી પણ ભગવાનમાં હેત કરવા માટે છે
Ok
» હું દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ક્રિયા, સ્થાન, ઘરવાળા, દીકરો, ગાડી, બંગલો, એનાથી નાખો છો એવું મનન કરવું છોડવાની જરૂર નથી
Ok
» બ્રહ્મસ્વરૂપ પ્રીતિ એટલે ઇન્દ્રિયો અંતઃકરણ વિના પણ કેવળ જીવથી ભગવાનમાં પ્રીતિ કરવી
Ok
» જીવ ઇન્દ્રિયો અંતઃકરણ વિના પણ ભગવાનમાં પ્રીતિ કરવા માટે સમર્થ છે ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા છે એ તો આપણે અસમર્થ છીએ એટલે સહાય માટે આપ્યા છે
Ok
*Title
- _પૂરો જ્ઞાની ક્યારે કહેવાય ?_”
» સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, વેદાંતશાસ્ત્ર, પંચરાત્રશાસ્ત્ર આ ચાર શાસ્ત્રે કરીને ભગવાનને જાણે તે પૂરો જ્ઞાની કહેવાય
Ok
» આ ચાર શાસ્ત્રમાં એક એક ખામી છે અને સાધક આ ચાર શાસ્ત્ર ને ન જાણે તો તેમાં પણ એટલી ખામી રહે છે
Ok
» મને ભગવાન સમજાણા નથી એવી અધુરાય કોઈને ખટકતી નથી
Ok
» પ્લસ પોઇન્ટનો જીવનમાં ઉપયોગ કરવો અને બીજા શાસ્ત્ર દ્વારા ખામીઓને દૂર કરવી
Ok
» સાંખ્ય શાસ્ત્રમાં ભગવાનને 24 તત્વોથી અલગ કહયા નથી, યોગશાસ્ત્રમાં એક દેશસ્થપણુ આવી જાય છે, વેદાંતમાં ભગવાન નિરાકાર સમજાય જાય છે અને પંચરાત્રમાં મનુષ્યભાવ આવી જાય છે એટલી એ ચાર શાસ્ત્રમાં ખામી છે
Ok
» સાંખ્ય શાસ્ત્રથી નિર્વાસનિક થવાય છે, યોગશાસ્ત્ર સાધનમાં શ્રેષ્ઠ છે, વેદાંત ભગવાનનો મહિમા સમજાવે છે અને પંચરાત્ર ભક્તિ કેમ કરવી એ શીખવે છે
Ok
» ચાર શાસ્ત્રને જાણ્યા વિના વેદાંતી હોય અને ઉપાસનાવાળો હોય તો પણ તે દંભી છે
Ok
» પ્રાકૃત ભાવે સેવા કરવાની પણ ભગવાનમાં પ્રાકૃત ભાવ આવવા દેવો નહીં
Ok
*Title
- _મોટા સંત કોને કહેવા ?_”
» મહારાજે આ વચનામૃતમાં મોટા સંતનો અવગુણ ન લેવો એમ કહ્યું છે, મોટા સંતનો અર્થ છે મહારાજનો અવતાર જે હેતુ માટે થયો હોય એ મિશનને સમર્પિત જીવન હોય એવા એકાંતિક સંત
Ok
» ગુણ, વિનય સહિતની સેવા હોય તો આગળ વધે છે પણ ઉપર કહ્યા એવા મોટા સંતની સેવા હોય તો
Ok
» સાચા એને કહેવાય જે હંમેશા પોતાને પૃવ કરવા મથતા હોય જ્યારે મોટા એને કહેવાય જે પોતાને improve કરવા માંગતા હોય
Ok
» સત્સંગમાં વધવાનો મુખ્ય ઉપાય સેવા છે ગુણ વિનય તો સહાયક છે
Ok
» સાચા હોય એ મોટા હોય એવું ન હોય, સાચા, સાચા હોય પણ મોટા ઓછા હોય
Ok
» મહારાજના શબ્દો ઉપર ફોકસ કરવું જોઈએ ને ચિંતન કરવું જોઈએ કે આમ નહીં ને આમ શા માટે કહ્યું
Ok
» ગુણ વિનય અને સેવા જ્યાં રાખવાના હોય ત્યાં રાખે તો વધે ન રાખવાના હોય ત્યાં રાખે તો ઘટે
Ok
» ભગવાનના ભક્તની સ્વાભાવિક પ્રકૃતિનો અવગુણ ન લેવો વર્તમાનમાં ખામી હોય તો લેવો
Ok
*Title
- _રુચિ અને સેવકભાવનો ભેદ_
» ગમતુ, દાસપણું અને ઉપાસના એ ત્રણેયમાં ફેર છે, ઉપાસનામાં પેહલા બંને આવી જાય
Ok
» માણસ દાસ હોય પણ રુચિ પ્રમાણે સેવા ન પણ કરતો હોય એટલે ગમતું અને દાસપણું એમાં પણ ફેર છે
Ok
» અધ્યાત્મિક પુરુષોમાં જોડાય તો નબળી રુચિ સારી થઈ શકે છે
Ok
» જીવતા ને મર્યા પછી પણ ભગવાનની સેવા કરવાનું કમિટમેન્ટ એ ઉપાસના છે
Ok
» અજાણતામાં કરવું એ અજ્ઞાન છે અને જાણતા છતા કરવું એ મોહ છે
Ok
» સત્પુરુષની સાથે રુચિ બંધાઈ જાય તો ભગવાનના ધામમાં પહોંચી જાય
Ok
» મહારાજની ઉપાસના કરવી હોય તો મહારાજની રૂચી જાણવી જોઈએ, જે મહારાજે વચનામૃતમાં અને મોટા સંતોએ પ્રસંગે પ્રસંગે કહી છે
Ok
» રુચિ એ નિષ્ઠા અને ઉપાસનાનું મૂળ છે
Ok
» રુચિ > શ્રદ્ધા > વિશ્વાસ > નિષ્ઠા > ઉપાસના એ ક્રમ છે
Ok
» પંચ વિષયની વાસના એ રાગ છે અને ભગવાન અને આત્માનું યથાર્થ જ્ઞાન ન હોવું એ અજ્ઞાન છે
Ok
» વાસના અને સ્વભાવ અનાદિ નથી પણ એનો પ્રવાહ અનાદિ છે જ્યારે જ્ઞાન પોતે જ અનાદિ છે
Ok
*Title
- _આસક્તિ કોને કહેવાય અને કેમ ટળે ?_”
» માણસને જ્યાં આસક્તિ હોય તેનું પ્રદર્શન કર્યા વિના રહી શકતો નથી, દાખલા તરીકે ગ્રહસ્થભક્તો સંતો આગળ ઘરવાળાના વખાણ કરે
Ok
» વેગ શ્રદ્ધા અને મહિમા સહિત ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરે તો તે માસ્ટર કી છે, ઉપશમ સ્થિતિનું અને જીવને બળ પામવાનું ઉત્તમ સાધન છે
Ok
» અતિઆશક્તિ થાય પછી અક્કલ જતી રહે છે
Ok
» સારી ક્રિયા કરવી ને ક્રિયાથી નોખું પડવું અને એમાં મન ભળવા આવે તો ભળવા ન દેવું અને અહંકાર ન આવવા દેવો
Ok
» પીપળો અને આસક્તિ એ ચરક માંથી થાય છે
Ok
» સત્સંગે કરીને અને ભગવાનના આશરે સહિત આંટી પાડે કે મારે નિર્વાસનિક થવું છે, કામ, ક્રોધાદિકના પેચમાં નથી આવવું તો એના બીજ બળી જાય છે પણ કેવળ જ્ઞાને કરીને બીજ નથી બળતા
Ok
» પોતાની આસક્તિ ઓળખીને મૂકે એને ગીતામાં ભગવાને વેદવીત કયો છે
Ok
» અસંકલ્પાત જયેત કામ
એમાં સ્ત્રી વિરોધી સંકલ્પથી કામ જીતાય છે નઈ કે સંકલ્પ શૂન્યતાથી
» દેહ અને આત્મા જુદા છે છતાં જુદા કેમ જણાતા નથી કારણકે અતિ આશક્તિ છે
Ok
» અતિ આસક્તિ જ્યાં થાય ત્યાં એકતા થઈ જાય છે ભેદ રહેતો નથી
Ok
*Title
- _મુક્ત, મુમુક્ષુ, વિષયી અને પામરનો ભેદ._
» ઇન્દ્રિયો, અંતઃકરણ અને એની ક્રિયાને દબાવીને વર્તે એટલે કે વિકૃતિને દબાવીને વર્તે
Ok
» પોતાની વિકૃતિને ઓળખે એને માણસ કહેવાય વિકૃતિને ઓળખે પણ નહીં એને પશુ કહેવાય
Ok
» પોતાની વિકૃતિને ઓળખીને દબાવે એ સંત, વિકૃતિ થાય જ નહીં એ ભગવંત
Ok
» લોક અને શાસ્ત્રની મર્યાદા મૂકીને વિષય ભોગવે એ પામર કહેવાય
Ok
» લોક અને શાસ્ત્રની મર્યાદામાં રહીને વિષય ભોગવે એને વિષયી કહેવાય
Ok
» લોક અને શાસ્ત્રની મર્યાદામાં રહીને જે પ્રાપ્ત થયું હોય એનો પણ ત્યાગ કરે એને મુમુક્ષુ કહેવાય
Ok
» વિષયના સંકલ્પ ન થાય એને મુક્ત કહેવાય
Ok
» વિકૃતિને દબાવવી એટલે વિષયની ઈચ્છા તો થાય પણ એ પ્રમાણે ક્રિયા ન કરે
Ok
» બ્રહ્મરૂપ થઈ ગયા પછી પણ દાસના દાસ થઈને રહે એ બ્રહ્મરૂપણાની પણ શોભા છે
Ok
» મહારાજની બાંધેલી મર્યાદાથી બહાર જેટલું જવાય છે એટલી વિકૃતિ ગણાય
Ok
» સત્સંગમાં રહીને પણ જેને કંઈ અભરખા હોય એને સત્સંગનું સુખ નથી આવતું
Ok
*Title
- _સાધુ મોટા થયા પછી ક્યારેય ન બગડે ?_
» આપણને કોક પૂછનારૂ છે, અને આપણા કર્મોનો હિસાબ મર્યા પછી આપવો પડે છે એવી દ્રઢ માન્યતા હોય એ ક્યારેય પાપ કરતો નથી
Ok
» સક્સેસનું જે સેલિબ્રેશન કરવા લાગે છે એ પડવાની શરૂઆત છે
Ok
» મહિમા ધર્મ કે અધર્મ વધારતો નથી કારણકે અચેતન છે, માણસની દાનત છે એને આધારે ધર્મ વધે ઘટે છે
Ok
» આત્મનિષ્ઠા અને મહિમા એ બંને ઇન્જેક્શન જેવા છે એ ધર્મને વધારે પણ અને ઘટાડે પણ, માણસની દાનત ઉપર આધાર છે
Ok
» હું ભગવાનનો સેવક છું ને મારે ભોગ ખપે નહીં ભગવાનની સેવા જ કરવી છે, એવી દાનત આવવી એ મોટા મોટા ને પણ કઠણ છે
Ok
» આપણને કોઈ પૂછવાવાળુ નથી એ મનાઈ જાય એટલે પડવાની શરૂઆત થાય છે
Ok
» ભગવાન મર્યાદા જે લોપે છે તે ગમે તેવો મોટો હોય તો પણ તેજ વિહીન થઈ જાય છે
Ok
» જેનામાં ધર્માંશ એટલે કે સારું આચરણ કરવાની ઇચ્છા હોય, આસ્તિકતા હોય અને લાજ હોય એ ક્યારેય પાપ કર્મ કરતા નથી
Ok
» આત્મનિષ્ઠા અને મહિમાને ઓથે ધર્મ ગૌણ તો ન થાય જો ભગવાનને રાજી કરવાની ઇચ્છા હોય
Ok
» સાધુઓ મોટેભાગે મોટી ઉંમરે જ બગડતા હોય છે
Ok
» શાસ્ત્રીજી મહારાજની કોઈ જય બોલાવે તો એની ધૂળ કાઢી નાખતા અને છોકરાથી સાપ મરી ગયો તો મોટી ઉંમરે પણ પોતે ઉપવાસ કર્યો હતો કારણ કે એ બતાવે છે કે એમને આસ્તિકતા કેટલી હતી અને કોક આપણને પૂછનાર છે એમ માનતા હતા
Ok
» મારે સારું જ કામ કરવું છે નબળું કામ નથી કરવું એવી અંદરથી ઈચ્છા હોય એને ધર્માંશ કહેવાય
Ok
» આત્મનિષ્ઠાના ઓથે સત્સંગમાં એટલું બધું પાપ થતું હોય એવું દેખાતું નથી પણ મહિમાના ઓથે તો પુષ્કળ થઈ શકે છે
Ok
*Title
- _આંટી(પ્રતિજ્ઞા) કેવી પાડવી ?_
» ભગવાનનું સુખ અલૌકિક છે એ આપણી બુદ્ધિમાં આવે એવું નથી પણ શાખાચંદ્ર ન્યાયથી સમજી શકાય છે
Ok
» ભગવાનનું સુખ અલૌકિક છે એવું મનાય તો પ્રાપ્તિ થાય આજના માણસો એવું કહે છે પહેલા પ્રાપ્તિ થાય તો માનીએ માટે મેળ પડતો નથી
Ok
» ભગવાનના સુખનો મહિમા સમજે તો ગરજ રહે
Ok
» ભગવાનના સુખની આંટી પાડી હોય તો એ પોતાનો ગમે તેવો સ્વભાવ હોય એને પણ મૂકી દે
Ok
» ભગવાનનું સુખ અનુભવનો વિષય છે એનું વર્ણન થઈ શકતું નથી
Ok
» ભગવાનના માર્ગમા આંટી એ જીવના કલ્યાણ રૂપ છે, સુખરૂપ છે
Ok
» આંટી એટલે પ્રતિજ્ઞા પણ આંટી બે પ્રકારની હોય છે, મિનિંગફૂલ આંટી હોય તો કલ્યાણના કામમાં આવે
Ok
» દશરથ મહારાજાએ આંટી પાડી હતી પ્રાણ જાય પણ વચન ના જાય એટલે ભગવાન રામને વનમાં જવું પડ્યું, રામ મોટા કે વચન ?
Ok
» કર્ણની આંટીને વ્યાસ ભગવાને આસુરી આંટી બતાવી છે
Ok
» કોઈ પણ વાતનો અતિરેક કર્યા વિના જગતમાં પ્રસિદ્ધિ થતી નથી, એવી આંટી કલ્યાણના કામમાં આવતી નથી
Ok
» ભગવાનના સુખની તાલાવેલી લાગે તો પ્રાપ્તિ થાય
Ok
» દુર્વાસા મુનિ કહે મારો શ્રાપ ખોટો ન થાય, હું આખો ખોટો હોવ એનો વાંધો નહીં
Ok
*Title
- _ભગવાનનું સુખ કેમ આવે ?_
» માને કરીને જેવો સત્સંગમાંથી પડે છે તેવો કામે કરીને પડતો નથી કારણકે માનમાં ભગવાનના ભક્ત સાથે વિરોધ થાય છે
Ok
» ભગવાનનું સુખ ભગવાનના ધામમાં જાય ત્યારે આવે, સમાધિમાં આવે અને અહિયાં મનન દ્વારા આવે છે
Ok
» પોતાને ભગવાનનો નિશ્ચય કેટલો છે તેનું માપ પંચવર્તમાન ઉપરથી કાઢી શકાય છે
Ok
» નિશ્ચયની પ્રોસિજર
જ્ઞાન > વિવેક > મહિમા > નિશ્ચય
» જેમ રૂપનું સુખ આંખ દ્વારા આવે છે, સ્વાદનું સુખ જીભ દ્વારા આવે છે તેમ ભગવાનનું સુખ મન દ્વારા આવે છે
Ok
» ભગવાનનો નિશ્ચય શાસ્ત્ર નથી કરાવતા સાચા સંત કરાવે છે
Ok
» નિશ્ચય એટલે મારાપણું, આપણને ભગવાનના કાર્યમાં કેટલું મારાપણું થયું છે એટલો નિશ્ચય કહેવાય
Ok
» અનુભૂતિમાં ભાવના ભળે તો તેની મેમરી થાય, કેવળ અનુભૂતિથી મેમરી થતી નથી
Ok
» અહં પ્રત્યય દોષરૂપ નથી પણ અહંકાર એ દોષરૂપ છે, એમાંથી માન જન્મે છે
Ok
» સાચા સંતમાં સારા સંકલ્પ થાય તો તેને અક્ષરધામનું સુખ આવે અને નબળા સંકલ્પ થાય તો નરકનું દુખ આવે
Ok
» કથા સાંભળવી એ ભગવાનનું સુખ લેવાનું પહેલું પગથિયું છે પણ કેવળ શ્રવણ માત્રથી ભગવાનનું સુખ આવી જતું નથી
Ok
*Title
- _હરિભક્તની પરીક્ષા_
» સાધુ અસાધુનો અવિવેક છે એ કલ્યાણની સામગ્રી હોવા છતાં પણ કલ્યાણને રોકી રાખે છે
Ok
» બીજાને છેતરવું એ પાપ ગણાય પણ આપણે છેતરાઈએ તો એ આપણી મૂર્ખતા ગણાય
Ok
» હરિભક્તોની પરીક્ષા સાધુ-અસાધુની ઓળખાણમાં છે જ્યારે સાધુની પરીક્ષા પંચવિષયમાં લેવાય નહીં એ છે
Ok
» સાધુ અસાધુની ઓળખાણ છે એ લાંબા સમયે થાય છે અને મહા કઠણ છે
Ok
» માણસ પોતાની નબળાઈ છે એ સાતમાં પાતાળે સંઘરી રાખે છે, કોઈ વાતે બહાર દેખાવા દેતા નથી એ તો જ્યારે બુદ્ધિનું બેલેન્સ જતું રહે પછી જ નીકળતી હોય છે માટે અસાધુને ઓળખવા તે મહા કઠણ છે
Ok
» સાધુને ઓળખવા એ આંટી નથી પણ અસાધુને ઓળખવા એ આંટી છે
Ok
» મહારાજના ચિહ્ન, ચરિત્ર ને ચેષ્ટા ગમતા હોય તો મહારાજમાં જોડાણા ગણાય, જે સંતના દર્શન, સેવા ને કથા ગમતી હોય તો એ સંતમાં જોડાણા ગણાય
Ok
» કથા સાંભળ્યા પછી શ્રવણ, મનન, નિદિધ્યાસ કરે તો જીવમાં બળ આવે અને મનન કરવું એટલે કથામાંથી મને શું લાગુ પડે છે તેને જીવનમાં ઉતારવું
Ok
» વાંક ન હોય તોય ભગવાનના ભક્તનું સહન કરે તે સાધુ, વાંક હોય ને સહન કરે તો એ માણસાઇ છે
Ok
» મહારાજે ભાગવતની કથાનો સાર આત્માનંદ સ્વામીને કહ્યો કે મરેલો મકોડો જીવતા મકોડાને તાણી જાય છે
Ok
» સાધુ અસાધુને જે સરખા જાણે છે એને મહારાજે વચનામૃતમાં અડધો વિમુખ રહ્યો છે
Ok
*Title
- _પોતાનો અવગુણ કોને આવે ?_
» સીતાજીને અવગુણ આવવાનો પૂરો chance હતો છતા ભગવાનનો અવગુણ ન આવ્યો એ દૈવીભાવની પરાકાષ્ઠા ગણાય
Ok
» શિશુપાળને અવગુણ આવવાનો કોઈ chance નહોતો તોય કૃષ્ણ ભગવાનનો અવગુણ આવ્યો એ આસુરીભાવની પરાકાષ્ઠા ગણાય
Ok
» ડોંગરેજી મહારાજ એવું કહેતા કે જેને નિષ્કારણ ભગવાન ને ભગવાનના ભક્તમાં હેત થાય કે છેલ્લા જન્મની નિશાની છે
Ok
» આગલા જન્મમાં ભગવાનના દર્શન થયા હોય એને આ જન્મમાં પોતાનો અવગુણ આવે છે
Ok
» આપણને ભગવાનના ભક્તમાં હેત છે એ સારાપણાનું છે જ્યારે કુટુંબમાં છે એ મારાપણાનું છે
Ok
» પોતે સારા હોય અને પોતાનો અવગુણ ન આવતો હોય તો પણ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, પર્વતભાઈ એ મોટા મોટાની સાથે બેન્ચ માર્કિંગ કરવું તો પોતાનો અવગુણ શું છે એ જણાય, એવી પ્રેક્ટિસ કરવી
Ok
» ભગવાનના ભક્તનો ગુણ લેવો સહેલો છે પણ પોતાનો અવગુણ આવવો એ બહુ કઠણ છે
Ok
» સીતાજી જેવું આપણે થયું હોય તો આપણું ઠેકાણું રહે કે નહીં એનો તપાસ કરવો જોઈએ
Ok
» મહારાજે કહ્યું સાધુના વેશમાં પણ કાળનેમી, રાવણ અને રાહુ જેવા હોય એનો અર્થ એ છે કે કપડાંને દૈવીભાવ કે આસુરીભાવ સાથે કોઈ સંબંધ નથી પણ મનને દૈવીભાવ કે આસુરીભાવ સાથે સંબંધ છે
Ok
» ભગવાનના ભક્ત સાથે આપણું એટીટ્યુડ કેવું છે એના આધારે દૈવીભાવ કે આસુરીભાવ નક્કી થાય છે, પંચવર્તમાનને આધારે પણ નહીં
Ok
“બ્રહ્મા હમ કૃષ્ણ દાસોસ્મિ” એટલે હું અધુરો છો, ભગવાનનો સેવક છું
Ruminate everyday
» ગુંદાસરાવાળા મુળજી ભગતની જેમ પોતાના અવગુણની પ્રેક્ટિસ કરવી
Ok
» ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે કે પોતાનો અવગુણ આવવો એ અખંડ સ્મૃતિ રહેવા કરતાં પણ અઘરું છે
Ok
» પંચવર્તમાન પાળતા હોય એમાં આસુરીપણું હોય તો કેમ ઓળખાય ? તો જ્યારે ભટકાય ત્યારે નીચું ન જોખે તો એ આસુરી
Ok
» દૈવીભાવ એટલે બિનશરતી પોતાનો અવગુણ આવો
Ok
*Title
- _કોણ શ્રેષ્ઠ ? સાચા સંત કે મોટા સંત_
» જે પોતાને Prove કરવા મથતા હોય છે એ મીશનનું કાર્ય ચલાવી શકતા નથી
Ok
» ગુણ અને વિનયની શોભા ભગવાનના ભક્તની સેવાથી છે
Ok
» ભગવાનનું મિશન ચલાવતા હોય પણ સાધુતા ન હોય તેનો ગુણ લે તો ઘટતો જાય
Ok
» સત્સંગમાં વધવું એટલે ખામીઓ ઘટતી જાય અને સાધુતા વધતી જાય
Ok
» ભગવાનનું મિશન ચલાવતા હોય અને સાધુતા પણ હોય એમાં પણ જેટલું જોરદાર મિશન ચલાવતા હોય એનો ગુણ લઈએ એટલું વધારે વૃદ્ધિ પામે છે
Ok
» નિર્માની થયા વિના સત્સંગમાં આગળ વધાતું નથી
Ok
» પોતાના વ્યક્તિગત જીવનમાં પણ ખામી ન હોય ભગવાનનું મિશન પણ ચલાવતા હોય પણ એમાં કોઇ સ્કિલની ખામી હોય તોપણ એનો અવગુણ ન લેવો અને એ ખામીને આદર્શરૂપ પણ ન માનવી
Ok
» સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને પણ ધોળા પહેરવા માટે તૈયાર થયા હતા એનું કારણ એ નહોતું કે એમના સંત જીવનમાં ખામી હતી પણ એ મહારાજનું મિશન ચલાવતા હતા અને બીજાનું મિશન ચાલવા દેતા ન હતા એટલા માટે
Ok
*Title
- _પ્રાકૃત બુદ્ધિ કેમ ટળે ?_
» ઉત્તમ સવિકલ્પ નિશ્ચયવાળાને પ્રાકૃત બુદ્ધિ છે, દેહ બુદ્ધિ છે, મહિમા પણ છે અને આત્મબુદ્ધિ નથી
Ok
» નિશ્ચયની શરૂઆત ભગવાન કે ભગવાનના ભક્તને પોતાના કરતા બેટર માને ત્યારે થાય છે
Ok
» આત્મનિષ્ઠા ને મહિમા વિના પૂર્ણકામપણું યથાર્થ મનાતું નથી
Ok
» આત્મનિષ્ઠા સહિત નિશ્ચય અતિરેક હોય અથવા મહિમા સહિત નિશ્ચય અતિરેક હોય તો બીજો નિશ્ચય આવી જાય છે
Ok
» ભગવાનના ભક્ત સાથે અથડામણ થતી હોય તો પછી ગુણ કેવી રીતે લેવો ? તો ભગવાનના ભક્તમાં ખામી છે એવો વિવેક હોવા છતાંય મારા કરતા બેટર છે એમ ગુણ લેવો
Ok
» સવિકલ્પક નિશ્ચયમાં પ્રાકૃતિક બુદ્ધિ છે જ્યારે નિર્વિકલ્પ નિશ્ચયમાં અપ્રાકૃત બુદ્ધિ છે
Ok
» આત્મનિષ્ઠા અને મહિમા બંનેથી વિષય બુદ્ધિ ટળી જાય છે છતાં મહિમાથી સંપૂર્ણ બીજ નાશ થતું નથી, જ્યારે આત્મનિષ્ઠાથી વિષય બુદ્ધિનો સંપૂર્ણ નાશ થઈ જાય છે
Ok
» શુષ્ક વેદાંતીના શબ્દો સાંભળવાથી સ્વામી સેવક ભાવ મટી જાય છે
Ok
» સ્વામી સેવક ભાવ હોય તો જ સત્સંગમાં આગળ વધે છે
Ok
» સત્સંગની મર્યાદામાં યથાવત રહે એટલે વિષયી મટી જતો નથી
Ok
» સવિકલ્પ નિશ્ચયમાં ભગવાનને “ હું જેવા તમે ને તમે જેવો હું “ એવી બુદ્ધિ છે, જ્યારે નિર્વિકલ્પ નિશ્ચયમાં હું જેવા તમે નથી એવી બુદ્ધિ છે
Ok
» શુષ્ક વેદાંતના શબ્દો અને ભગવાનમાં વિષય બુદ્ધિ એ ભગવાનના માર્ગમાંથી પડવાના ઉપાયો છે
Ok
» રસિક માર્ગનો અર્થ છે યથા દેહે તથા દેવે પણ એ જે ભક્તને વિષયની અભરખા ન હોય એવા ભક્તના વર્તનની વાત છે
Ok