Milestone-1 Flashcards

1
Q

(૧) સ્વામિનારાયણ ભગવાન એટલે

A

(૧) સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ સર્વને પરમ શાંતિ, આનંદ અને સુખ અર્પે.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
2
Q

(૨) આ દેહ

A

(૨) આ દેહ મુક્તિનું સાધન છે, કેવળ ભોગનું સાધન નથી. દુર્લભ અને નાશવંત એવો આ દેહ વારંવાર મળતો નથી.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
3
Q

(૩) લૌકિક વ્યવહાર

A

(૩) લૌકિક વ્યવહાર તો દેહના નિર્વાહ માટે છે. તે આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
4
Q

(૪-૫) સર્વ દોષોને

A

(૪-૫) સર્વ દોષોને ટાળવા, બ્રહ્મસ્થિતિને પામવા અને ભગવાનની ભક્તિ કરવા આ દેહ મળ્યો છે. આ બધું સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુઓએ સદાય સત્સંગ કરવો.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
5
Q

(૬) તેથી પરબ્રહ્મ

A

(૬) તેથી પરબ્રહ્મ સ્વામિનારાયણે આ લોકમાં સાક્ષાત્ અવતરીને આ દિવ્ય સત્સંગની સ્થાપના કરી.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
6
Q

(૭) આ સત્સંગનું

A

(૭) આ સત્સંગનું જ્ઞાન મુમુક્ષુઓને થાય એવા શુભ આશયથી ‘સત્સંગદીક્ષા’ એ નામનું શાસ્ત્ર રચવામાં આવે છે.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
7
Q

(૮-૯) સત્ય એવા

A

(૮-૯) સત્ય એવા આત્માનો સંગ કરવો, સત્ય એવા પરમાત્માનો સંગ કરવો, સત્ય એવા ગુરુનો સંગ કરવો અને સચ્છાસ્ત્રનો સંગ કરવો એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું. આવો દિવ્ય સત્સંગ કરનાર મનુષ્ય સુખી થાય છે.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
8
Q

(૧૦) દીક્ષા એટલે

A

(૧૦) દીક્ષા એટલે દૃઢ સંકલ્પ, શ્રદ્ધાએ સહિત એવો અચળ નિશ્ચય, સમ્યક્ સમર્પણ, પ્રીતિપૂર્વક નિષ્ઠા, વ્રત અને દૃઢ આશરો.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
9
Q

(૧૮) સ્વામિનારાયણ ભગવાનને વિષે

A

(૧૮) સ્વામિનારાયણ ભગવાનને વિષે અનન્ય, દૃઢ અને પરમ ભક્તિ માટે આશ્રયદીક્ષામંત્ર ગ્રહણ કરી સત્સંગ પ્રાપ્ત કરવો.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
10
Q

(૧૯) ધન્યોસ્મિ

A

(૧૯) ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી।

અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત્॥

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
11
Q

(૨૨) આ સંસારમાં

A

(૨૨) આ સંસારમાં બ્રહ્મસ્વરૂપ ગુરુ વિના જીવનમાં બ્રહ્મવિદ્યાનો તત્ત્વે કરીને સાક્ષાત્કાર ન થઈ શકે.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
12
Q

(૨૩) અક્ષરબ્રહ્મ ગુરુ

A

(૨૩) અક્ષરબ્રહ્મ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે તથા પોતાના આત્માને વિષે બ્રહ્મભાવ પણ પ્રાપ્ત ન થઈ શકે.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
13
Q

(૨૪) બ્રહ્મસ્વરૂપ ગુરુ

A

(૨૪) બ્રહ્મસ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ આનંદની પ્રાપ્તિ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
14
Q

(૨૫) આથી સર્વ

A

(૨૫) આથી સર્વ અર્થની સિદ્ધિ કરે તથા પરમાત્માનો અનુભવ કરાવે તેવા પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ ગુરુનો આશરો સદાય કરવો.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
15
Q

(૪૪) ભગવાન સર્વકર્તા છે,

A

(૪૪) ભગવાન સર્વકર્તા છે, દયાળુ છે, સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારાં સર્વે સંકટોના ટાળનારા છે.

How well did you know this?
1
Not at all
2
3
4
5
Perfectly
16
Q

(૪૫) ભગવાન જે કરે

A

(૪૫) ભગવાન જે કરે તે સદાય સારા માટે હોય. તેમની ઇચ્છા એ જ મારું પ્રારબ્ધ છે. તેઓ જ મારા તારક છે.

17
Q

(૪૬) મારાં વિઘ્નો

A

(૪૬) મારાં વિઘ્નો, પાપ, દોષ તથા દુર્ગુણો અવશ્ય નાશ પામશે. હું અવશ્ય શાંતિ, પરમ આનંદ અને સુખ પામીશ.

18
Q

(૪૭) કારણ કે

A

(૪૭) કારણ કે મને સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ મળ્યા છે. તેમના બળે હું જરૂર દુઃખને તરી જઈશ.